SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૯૯ થી ૨૦૫ ૧૩મા શતકનું સાહિત્ય ૨૩૧ એમ સોમેશ્વરના એક વચનથી જણાય છે. ૩૭૨ ૫૦૨. આ રીતે અજયપાલથી ત્રિભુવનપાલ સુધીનું જૈન સાહિત્ય જોયું. બીજી બાજુ વસ્તુપાલયુગમાં સાહિત્યપ્રવાહ બહુ જોસથી વહેતો હતો અને તે આ પછીના પ્રકરણમાં બતાવવામાં આવેલ છે. ૫૦૩. અપભ્રંશ સાહિત્ય-આ દરમ્યાન અપભ્રંશ ભાષામાં જૈન કવિઓએ જે સાહિત્ય રચ્યું તે પૈકી જે અત્યાર સુધીમાં દુગ્ગોચર થયું છે તે એ છે કે:- સં. ૧૨૩૮ માં રત્નપ્રભસૂરિએ રચેલી ઉપદેશમાલાપરની દોઘટ્ટી વૃતિમાં અને સં. ૧૨૪૧માં સોમપ્રભાચાર્યે રચેલ કુમારપાલપ્રતિબોધમાં કેટલોક અપભ્રંશ ભાગ આવે છે. સં. ૧૨૪૭ (૧૨૭૪) માં મહાકવિ અમરકીર્તિએ ગોધરામાં કર્ણ (કાન્ડ ?) રાજ્યમાં ગૃહસ્થોના પર્ કર્મોના ઉપદેશ સંબંધીનો ગ્રંથ નામે છકમ્યુવએસો પ્રાયઃ અઢી હજાર ગાથા પ્રમાણ અપભ્રંશમાં એક મહિનામાં રચી નાંખ્યો હતો, અને તે તેમણે નાગરકુલ અને કણહલર (કર્ણપુર ?) વંશના ગુણપાલના ચચ્ચિણીથી થયેલા પુત્ર મહાભવ્ય નામે એવપરાય (અંબાપ્રસાદ)ની પ્રાર્થનાથી રચ્યો અને તે અંબાપ્રસાદને તે કવિ પોતાના લઘુબંધુ કહે છે તેથી તે કવિ જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ જણાય છે, છતાં તેમણે દિગંબરી જૈન દીક્ષા લીધી હતી. તેઓ મુંજ અને ભોજના સમયમાં થયેલ અમિતગતિ નામના દિગંબર આચાર્યના પ્રશિષ્યના પ્રશિષ્ય હતા. તેમણે બીજા સાત ગ્રંથો રચેલા જણાવ્યા છે-નેમિનાથચરિત્ર, મહાવીરચરિત્ર, યશોધરચરિત્ર (પદ્ધડિયાબદ્ધ), ધર્મચરિત ટિપ્પન, સુભાષિત રત્નનિધિ, ચૂડામણિ અને ધ્યાનોપદેશ, આ સિવાય લોકોને આનન્દદાયક સંસ્કૃત પ્રાકૃત કાવ્યો તેમણે ઘણાં રચ્યાં હતાં. આ પરથી તેમનું સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં કેટલું પ્રાવીણ્ય હશે તે કલ્પી શકાય તેમ છે. (જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગની પ્રસ્તાવના પૃ. ૭૬-૭૮.) ૫૦૪. આ સિવાય ચરિંગસંધિ, જયદેવગણિત ભાવનાસંધિ (સં.એમ.સી. મોદી એ. એનલ્સ ભા. ૧૧ ભાં.ઈ. } આ શતકમાં મૂકી શકાય તેમ છે. આ પરથી અપભ્રંશ ભાષા સાહિત્યભાષા થઈ હતી તે સ્પષ્ટ જણાય છે. ૫૦૫. જૂની ગુજરાતીનું સાહિત્ય-અપભ્રંશ ભાષા ખેડાતી ગઈ. તેમાં રૂપાંતર થતું ગયું અને તેના પરિણામે જુની ગૂજરાતી, જૂની હિન્દી, વગેરે ભાષાઓ આધુનિક ગૂજરાતી હિન્દી આદિ દેશભાષાઓના મૂળ-જૂના સ્વરૂપમાં પરિણમી હતી. આ જૂની ગુજરાતીમાં રાસ આદિ અનેક કૃતિઓ થતી ગઈ. તેરમા શતકમાં શાલિભદ્રસૂરિએ જૈન મહાપુરુષો નામે ભરતેશ્વર બાહુબલિ પર રાસ સં. ૧૨૪૧માં રચ્યો. તેમનો એક નાનો બુદ્ધિરાસ છે કે જેમાં સામાન્ય ઉપદેશ છે. જિનેશ્વરસૂરિના પિતા નેમિચંદ્ર ભાંડાગારિકનું સં. ૧૨૪૫નું જિનવલ્લભસૂરિ ગીત છે; મહેંદ્રસૂરિ શિષ્ય ધર્મ શ્રી મહાવીરના શિષ્ય સુધર્મા સ્વામિના શિષ્ય-પટ્ટધર જંબૂસ્વામી ચરિત રચેલું છે અને વસ્તુપાલના કુલગુરુ નાગેંદ્ર ગચ્છના વિજયસેનસૂરિએ રેવંતગિરિ રાસો સં. ૧૨૮૭ આસપાસ રચ્યો છે. બૃહગચ્છના રામચંદ્રસૂરિ શિષ્ય મંગલસૂરિએ મહાવીર જન્માભિષેક કાવ્ય પ્રાચીન ગુજરાતીમાં કર્યું છે. (જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૧ થી ૪.] 3७२. वैदुष्यं विगताश्रयं श्रितवति श्री हेमचन्द्रे दिवं । श्री प्रह्लादनमन्तरेण विरतं विश्वोपकारव्रतम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy