SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪પ૯ થી ૪૬૩ રામચન્દ્રસૂરિ ૨૧૫ ૪૬૨. હેમાચાર્યનું શિષ્યમંડળ-પણ જબરું હતું. તે પૈકી રામચંદ્રસૂરિનું મહાકવિ તરીકે ઉંચું સ્થાન છે. તે સિવાય ગુણચંદ્ર ગણિ, મહેન્દ્રસૂરિ, વર્ધમાન ગણિ, દેવચન્દ્ર મુનિ, યશશ્ચંદ્ર, ઉદયચંદ્ર, બાલચંદ્ર આદિ અનેક હતા. રામચંદ્રસૂરિ. प्राणाः कवित्वं विद्यानां लावण्यमिव योषितां । विद्यवेदिनोऽप्यस्मै ततो नित्यं कृतस्पृहाः ॥ - નાટ્યદર્પણ વિવૃત્તિ પ્રારંભે. पंचप्रबंधमिषपंचमुखानकेन विद्वन्मन:सदसि नृत्यति यस्य कीर्त्तिः । विद्यात्रयीचणमचुम्बितकाव्यतन्द्रं कस्तं न वेद सुकृती किल रामचंद्रम् ? ॥ - રઘુવિલાસ પ્રસ્તાવના પ્રસંગે. -જેમ સ્ત્રીઓમાં લાવણ્ય એ પ્રાણ-ખરી વસ્તુ છે. તેમ વિદ્યાઓમાં કવિત્વ એ પ્રાણ-ખરી વસ્તુ છે. (અમારા જેવા) ઐવિદ્યવેદી-ત્રણ વિદ્યાઓ જાણનારાઓ પણ અમારા માટે હંમેશાં સ્પૃહા રાખે છે. -પાંચ પ્રબંધરૂપી પંચમુખના મુખો વડે જેની કીર્તિ વિદ્વાનોના મન રૂપી સભામાં નાચે છે. તેવા ખરેખર રામચંદ્ર કે જે ત્રણ વિદ્યામાં વિશારદ છે અને તંદ્રાએ જેના કાવ્યમાં સ્પર્શ કર્યો નથી તેનો કયો ભાગ્યશાલી જાણતો નથી ?-અર્થાત્ સર્વ જાણે છે. ૪૬૩. રામચંદ્રસૂરિ તે હેમાચાર્યના પટ્ટધર હતા (પ્રભાવક ચરિત પૃ. ૩૦૪ શ્લોક ૧૫૯-૧૩૭). અને સિદ્ધરાજ જયસિંહે તેમને “કવિ કટારમલ્લ’ એ નામનું બિરૂદ આપ્યું હતું. (પ્ર. ચિં. ઉપદેશતરંગિણી). પોતે પોતાને માટે વિદ્યાત્રયીચણ’ અને ‘અચુમ્બિત કાવ્યતન્દ્ર, (રઘુ-વિલાસમાં) વિશીર્ણકાવ્યનિર્માણન્દ્ર (કૌમુદી-મિત્રાણંદમાં) એ વિશેષણો આપ્યાં છે. તેમનામાં સમસ્યા પૂરવાની અદ્ભુત શકિત હતી (પ્ર. ચિં; ચારિત્રસુંદરકૃત કુમારપાલ ચરિત) “ઐવિદ્યવેદી'-ત્રણ વિદ્યા (શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર ને કાવ્યશાસ્ત્ર)ના જાણનાર હતા, અને તેવું સ્પષ્ટ પોતાને માટે તેમણે પોતાના ગ્રંથ(નાટ્યદર્પણ વિવૃત્તિ)માં પણ જણાવ્યું છે, તદુપરાંત પોતે “પ્રબંધશતકર્તા' એ બિરૂદ પોતાને માટે જણાવ્યું છે. (કૌમુદી-મિત્રાણંદ અને નિર્ભયભીમવ્યાયોગના પ્રસ્તાવમાં) તેમજ (પ્ર. ચિં. આદિમાં) તે બિરૂદ પ્રસિદ્ધ છે. મહાકવિ શ્રીપાલ કૃત સહસ્ત્રલિંગ સરોવરની પ્રશસ્તિમાં કાવ્યદૃષ્ટિએ કંઈક સ્મલન તેમણે સિદ્ધરાજને બતાવ્યાનો ઉલ્લેખ પ્ર. ચિ. માં છે. રામચંદ્રની જમણી આંખ ગઈ હતી (એ વાત પ્ર. ચ. પૃ. ૩૦૪ શ્લોક ૧૩૮-૧૪૦, અને પ્ર. ચિં. માં છે). આ. હેમચંદ્ર સં. ૧૨૨૯ માં સ્વર્ગસ્થ થયા તેનાથી કુમારપાલને થયેલા શોકનું શમન આ. રામચંદ્ર કર્યું હતું. (જયસિંહકૃત કુમારપાલ ચરિત). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy