SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સત્ય, અહિંસા ને બ્રહ્મચર્ય છે. આ બધાનું જ્ઞાન ધર્મસાહિત્યમાંથી મેળવી શકાય છે. ધર્મ-પુસ્તકોમાંથી પરમાત્માનો મેળાપ અને સત્યનું દર્શન મળી શકશે. ૬૦. ભારતવર્ષની પુરાણી વિદ્યાપીઠોની પેઠે આપણી હાલની યુનિવર્સિટીઓમાં જ્યાં લગી દેશમાં વિદ્યાદાન ચારિત્રવાન શિક્ષકોની મારફતે નહિ થાય, જ્યાં સુધી ગરીબમાં ગરીબ હિંદીને સારામાં સારી વિદ્યા પહોંચી શકે એવી સ્થિતિ નહિ હોય, જ્યાં સુધી વિદ્યા અને ધર્મનો સંપૂર્ણ સંગમ નહિ થયો હોય, જ્યાં સુધી પ૨-ભાષાની મારફતે શિક્ષણ આપી બાળકો અને જાવાનોમાં મનની ઉપર અસહ્ય બોજો પડે છે તે દૂર કરવામાં નહિ આવ્યો હોય, ત્યાં સુધી પ્રજાજીવન કદી ઉચ્ચ બનવાનું નથી એ નિઃશંક છે. પ્રજાકીય શિક્ષણ તે તે પ્રાંતની ભાષા મારફતે અપાવું જોઇએ. શિક્ષકો ઉચ્ચ કોટિના હોવા જોઇએ. જ્યાં વિદ્યાર્થીને સ્વચ્છ હવાપાણી મળે, જ્યાં મકાન અને આસપાસની જમીન આરોગ્યનો પદાર્થપાઠ આપતી હોય એવી જગ્યાએ શાળા હોવી જોઈએ અને જેમાંથી મુખ્ય ધર્મોનું જ્ઞાન મળી શકે એવી શિક્ષણપદ્ધતિ હોવી જોઇએ. આવી વિદ્યાપીઠો એક નહિ પણ અનેક -પ્રાંતપ્રાંતમાં ઉભી થશે ત્યારે વિદ્યા અને ધર્મનો સંપૂર્ણ સંગમ પ્રાપ્ત થશે. ૬૧. ગુજરાતમાં જે વિદ્યાપીઠ સ્થપાઇ તેણે કંઇ કાર્ય કરી બતાવ્યું. અત્યારે તેની સ્થિતિ ગુજરાતને શોભે તેવી નથી. તેવી વિદ્યાપીઠમાં શિક્ષણનું વાહન ખરી ગૂજરાતી ભાષા હોવી જ જોઇએ. જે ગૂજરાતી લાખો ગુજરાતના ભણેલા વતની બોલે છે ને લખે છે તે ખરી ગૂજરાતી. ગૂજરાતી સંસ્કૃતની અને પ્રાકૃતની દીકરી હોઇ તેનો આધાર સંસ્કૃત-પ્રાકૃત ઉપર હોવો જ જોઇએ એમાં તો કોઇ શંકા ન લાવી શકે. જેમ જેમ આપણામાં પ્રજાપ્રેમ વધતો જાય છે તેમ તેમ આપણામાં ભાષાપ્રેમ વધવો જોઇએ દેશપ્રેમ હોય ને ભાષાપ્રેમની ખેવના ન હોય એ અસંભવિત છે. હિંદુ (જેમાં જૈનો સમાય છે), મુસલમાન ને પારસી એ ત્રણે કોમો ગૂજરાતી બોલે છે, ત્રણે વેપારી હોઇ આખા હિંદુસ્તાનમાં ને દેશાવરમાં ફરનારી છે. એ ત્રણેને ગૂજરાતી તરીકે ઓળખાવનાર વસ્તુ તેમની ભાષા છે. તેની સેવા ત્રણે કોમે કરવી અને તે ભાષામાં શિક્ષણ આપનારી વિદ્યાપીઠને સ્થાપિત-પોષિત અને વર્ધિત કરવી એ તેમની ફરજ છે. ૬૨. પ્રજાકીય ઉન્નતિમાં સ્વભાષા પ્રેમ ઉપરાંત દેશની સર્વ સામાન્ય ભાષા પર પણ આદર હોવો જોઇએ. તે ભાષા તે હિન્દી છે. તેનું શિક્ષણ તે પ્રજાકીય શિક્ષણના મૂળાક્ષર સમાન છે. તેથી નવજવાનોએ હિન્દી ભાષા શીખી લેવી જોઇએ; કે જેથી અત્યારે દેશના એક પ્રાંતના નવ જવાનોને બીજા પ્રાંતમાં જવું ને ખપ લાગવું સો સો વાત થઇ પડે છે તેમ ન બને. ચાલાક, નમ્ર, અને મહેનતુ હરકોઇ જવાન એ થોડા માસમાં શીખી લઈ શકે. એ શીખવામાં સહેલી ભાષા છે. તેમાં કેટલાયે શબ્દો તો ઘરના જ લાગશે, કારણ દ્રાવિડી ભાષાઓ સિવાયની ઉત્તરની ભાષાઓના મોટા ભાગનો શબ્દભંડોળ એક જ છે. એ ભાષા ઉચ્ચ અને વિદ્વત્તા ભર્યા વિચારોને સુદ્ધાં પહોંચી વળે તેવી છે. ૬૩. અંગ્રેજી ભાષા એ પરભાષા છે, અને સાહિત્યની દૃષ્ટિએ તેનું મહત્ત્વ ઘણું છે. અંગ્રેજી ગ્રંથોમાં ભારે વિભૂતિઓ સમાયેલ છે, પણ અંગ્રેજીનું શિક્ષણ સમસ્ત પ્રજાવર્ગ પર લાદિ નહિ શકાય. અંગ્રેજી ભાષા આજકાલનો વાયુ છે. તેના પ્રત્યે તિરસ્કાર ન કરતાં એ ભાષા શીખવી એ જાદી વસ્તુ છે અને તેને માતૃભાષામાદરીજબાન બનાવવી એ જાદી વસ્તુ છે. રાજકારણી ભાષા અથવા વ્યાપારની ભાષા ઉપરાંત અંગ્રેજીનું બીજું સ્થાન નથી એમ અંગ્રેજીભાષામાં વિશારદ થયેલ કેટલાક પ્રજાનેતાઓ જણાવે છે. હાલ તે રાજભાષા છે અને તે પ્રત્યે લોકોનું ધ્યાન ઘણું વળ્યું છે અને એને પરિણામે અસંખ્ય ગ્રેજ્યુએટો-યુનિવર્સિટીના પદવીધરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy