SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છેવટે પોતાના સમકાલીન એવા વાદી દેવસૂરિ અને હેમચંદ્રાચાર્ય જેવા જૈન મહાન્ ધર્મગુરુઓના; જયસિંહદેવ, કુમારપાલ, અજયદેવ અને મૂલરાજ જેવા ગુજરાતના ક્રમિક ૪ ચૌલુક્ય રાજાઓના, કવિ સિદ્ધપાલ જેવા શ્રેષ્ઠ નાગરિકના અને અજિતદેવ તથા વિજયસિંહ નામે પોતાના ગુરુઓના અર્થો પણ અવતાર્યા છે. પછી પોતાનો અર્થ બેસાડ્યો છે. ને છેવટે કોઈ શિષ્યના મુખેથી પાંચ પદ્યોની પ્રશસ્તિ છે. આમાં અજયપાલ અને મૂલરાજ પર અર્થ બેસાડ્યો છે તે તેના સમયમાં પાછળથી બેસાડ્યો હોય, યા તો આખી કૃતિ મૂલરાજના સમયમાં થઇ હોય-એટલે તેની રચના તેના રાજ્યકાલમાં સં ૧૨૩૩ થી ૧૨૩૫ ની વચ્ચે થઈ હોય. ૪૧૦. ચોથો ગ્રંથ કુમારપાલ પ્રતિબોધ છે. તે કુમારપાલના મરણ પછી નવવર્ષે એટલે સં.૧૨૪૧માં પાટણમાં કવિ સિદ્ધપાલની વસતિમાં પૂર્ણ ર્યો છે તે પ્રસિદ્ધ હેમાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ તથા વર્ધમાનગણિએ અને ગુણચન્દ્ર ગણિએ સાંભળ્યો હતો. (કાં. છાણી. પ્ર. જિનવિજય સંપાદિત ગા. ઓ. સી. નં. ૧૪) - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy