SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જે લોક પીડિત થાય છે તે મા૨ા નિમિત્તથી કે અન્યથા? આ પ્રકારે બીજાનાં દુ:ખોને જાણવા માટે રાજા શહેરમાં ફરતો રહેતો હતો' આ રીતે જ્યારે ગુપ્ત ભ્રમણમાં મહારાજને કોઇ દુ:ખી દેખાતો તો તેનું દુ:ખ દૂર કરવા પ્રયત્ન કરતો. ૩૭૧. ઉંચાશ્રય મહાકાવ્યના છેલ્લા ૨૦ મા સર્ગમાં આ. હેમચંદ્રસૂરિ લખે છે કે ‘ મહારાજ કુમારપાલે એક દિન રસ્તામાં એક ગરીબ માણસને દુભાતા અને જમીન પર પડતા પાંચ સાત બકરાને ખેંચી લઇ જતો જોયો. મહારાજે તે બીચારાં પામર પ્રાણીઓને ક્યાં લઇ જાય છે એમ પૂછતાં તે માણસે જવાબ આપ્યો કે કસાઇને ત્યાં વેચવા, કે જેના કંઇ પૈસા આવશે તથી મારો ઉદરનિર્વાહ કરીશ' આ સાંભળી રાજાને લાગ્યું કે ‘મારા દુર્વિવેકથી જ આ રીતે લોક હિંસામાં પ્રવૃત્ત થાય છે તેથી મારા ‘પ્રજાપતિ' એ નામને ધિક્કાર છે!' પોતાના આત્માને ઠપકો આ રીતે આપી રાજભવનમાં, આવી અધિકારીઓને તેણે સખત આજ્ઞા કરી કે જે જૂઠી પ્રતિજ્ઞા કરે તેને શિક્ષા થશે, જે પરસ્ત્રીલંપટ હોય તેને વિશેષ શિક્ષા થશે અને જે જીવહિંસા કરે તેને સર્વથી વધુ કઠોર દંડ મળશેઃ' આ પ્રકારની આજ્ઞાપત્રિકા આખા રાજ્યમાં મોકલો ને અધિકારીઓએ તે વખતે ઉક્ત ફરમાન સર્વત્ર જાહેર કરી દીધું ૨૯૪ આથી બધા મહારાજ્યમાં-ત્રિકુટાચલ લંકા સુધીમાં ‘અરિ ઘોષણા' કરવામાં આવી. મદ્યપાનનો પ્રાચાર પણ સર્વત્ર બંધ કરાવ્યો. તેમાં જેને નુકશાન પહોચ્યું તેને ત્રણ ત્રણ વર્ષ સુધી અન્ન આપ્યું ૨૯૫ યજ્ઞયાગમાં પણ પશુઓના બદલે અન્નનો હવન કરવાનું શરૂ થયું ! ૩૭૨. એક દિન એક સ્ત્રીને રાત્રે રોતાં સાંભળતાં કુમારપાલે પથારીમાંથી ઉઠી તેની પાસે જઇ રોવાનું કરાણ પૂછ્યું. તેણી ધનાઢ્ય ગૃહસ્થની સ્ત્રી હતી, તેનો પતિ અને પુત્ર બંને મરણ પામ્યા હતા, તેણીએ જણાવ્યું કે ‘રાજ્યનો પૂર્વકાલથી એ ક્રૂર નિયમ ચાલ્યો આવે છે આથી મારી સર્વ સંપત્તિ રાજ્ય લઇ લેશે તો હું મારૂં જીવન કેમ વિતાવીશ, આથી મારે પણ આજે મરી જવું સારૂં છે’ મહારાજે આ સાંભળી આશ્વાસન આપી જણાવ્યું કે ‘તું મર નહિ, રાજા તારૂં ધન લેશે નહિ. સુખપૂર્વક તું તારી જિંદગીને ધર્મકૃત્ય કરવામાં ગાળ.' રાજાએ પછી પ્રજાનો આ ત્રાસ દૂર કરવા અધિકારીઓને હુકમ આપ્યો કે- ‘નિપુત્ર મનુષ્યના મરણ પછી તેની સંપત્તિ રાજા લઇ લે છે એ નિયમ ૨૯૪. વિ.સં. ૧૨૦૯ માઘ વિંદે ૧૪ શનિવારનો એક શિલાલેખ કિરાડૂથી મળ્યો છે તેમાં લખ્યું છે કે ‘શાકંભરી (સાંભ૨) ના વિજેતા કુમારપાલના વિજય રાજ્યમાં સ્વામીની કૃપાથી જેણે કિરાડૂ (કિરાટકૂપ), રાડધડા(લાટહૃદ) અને શિવ (શિવા)નું રાજ્ય પ્રાપ્ત કરેલ છે એવા રાજા શ્રી આલ્હણદેવ પોતાના રાજ્યમાં પ્રત્યેક પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિને જીવહિંસા ન કરવાની આજ્ઞા કરે છે-જુઓ પંડિત વિશ્વેશ્વરનાથ રેઉકૃત ‘ભારત કે પ્રાચીન રાજવંશ’ પ્રથમ ભાગ. પૃ. ૨૯૫. આ આખો લેખ મદ્દોપરાનય (ગા. ઓ. સી.)ના પરિશિષ્ટ ૩માં આપ્યો છે. આ ઉપરાંત મારવાડના માંડલિક રતપુર ચતુરાશિકના રાજા પુનપાક્ષદેવનો અમારિદાનનો લેખ પણ ત્યાં આપેલ છે. ૨૯૫. સદ્ગત પ્રો. મણિલાલ નભુભાઇ દ્વિવેદી લખે છે કે ‘કુમારપાલે જ્યારથી અમારિધોષણા કરાવી ત્યારથી યજ્ઞયાગમાં પણ માંસબિલ અપાતો બંધ થઇ ગયો, ને યવ તથા ડાંગર હોમવાનો ચાલ શરૂ થયો. લોકોને જીવ ઉ૫૨ અત્યંત દયા વધી અને માંસભોજન એટલું બધું નિષિદ્ધ થઇ ગયું કે આખા હિંદુસ્તાનમાં એક કે બીજે પ્રકારે થોડું ઘણું માંસ, કહેવાતા હિંદુઓ વાપરે છે, છતાં ગુજરાતમાં તો તેની ગંધ પણ આવે તોપણ નાહી નાંખે એવી લોકોની વૃત્તિ તે સમયથી બંધાયેલી તે અદ્યાપિ છે’ચાશ્રય ભાષાંતર પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy