SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૬૪ માલાની વૃત્તિની વ્યાખ્યા કરતાં ચૈત્યવાસનો વિરાગ આવ્યો અને તેઓ ઉપર્યુક્ત ચંદ્રપ્રભસૂરિ પાસે રહી પૌર્ણમિક પક્ષના આશ્રિત થયા.૨૭૨ ૩૩૧. ઉપકેશગચ્છ યશોદેવસૂરિ થયા તે પણ વિદ્વાન ગ્રંથકાર હતા. તેઓ દેવગુપ્ત-કક્ક-સિદ્ધદેવગુપ્તસૂરિના શિષ્ય હતાં. તેમનું પૂર્વનામ ધનદેવ હતું ઉપાધ્યાય પદ પ્રાપ્ત થતાં યશોદેવ નામ થયું. તેમણે સં. ૧૧૬૫માં પાટમાં ઉપકેશીય વીજિનમંદિરમાં દેવગુપ્તસૂરિકૃત નવપદ પ્રકરણ પરની વૃત્તિ પર બૃહદ્ વૃત્તિ (જે નં. ૫૬, ૫ી.૫. ૪૦) અને સં.૧૧૭૪ મા પાટણમાં નવતત્ત્વ પ્રકરણ પર વૃત્તિ રચી અને આશાવલ્લી પુરમાં આરંભી અણહિલવાડમાં સં.૧૧૭૮માં પ્રકૃતમાં ચંદ્રપ્રભ ચરિત્ર પૂર્ણ કર્યું. તેમણે પોતાના ગુરુભાઇ સિદ્ધસૂરિ (સં. ૧૧૯૨માં ક્ષેત્રસમાસવૃત્તિના કર્તા)ને પોતે શાસ્ત્રાર્થ શિખવ્યા હતા. (જુઓ જે. પ્ર. પૂ. ૩૯ અને ૪૮). સં ૧૧૬૬માં વિનયચંદ્ર નામાના કર્તાએ કથાનક કોશ રચ્યો. (પા.સૂચિ નં. ૫૪) O G D ૨૭૨. જુઓ તેમની વંશ પરંપરામાં થયેલ અજિતપ્રભસૂરિએ સં.૧૩૦૭ માં રચેલા શાંતિનાથ ચરિતની પ્રશસ્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy