SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ અનાયતન, વિધિ, અવિધિ વિષયને ન ચર્ચવા સૂચના કરી હતી, કે જે સૂચના તેમણે મતભેદોનું સમર્થન કરી સ્વીકારી ન હતી. એ ધનદેવ(જિનવલ્લભના ભક્ત)ના પુત્ર પદ્માનન્દ થયા કે જેમણે વૈરાગ્યશકત રચ્યું. ૨૨ ૩૨૦. સોમનાથના પુત્ર વામ્ભટ્ટે પાંચ પરિચ્છેદમાં વામ્ભટ્ટાલંકાર આ જયસિંહના રાજ્યમાં રો. (પ્ર.કા; મા. નં.૪૮) તેમાં તણે જયસિંહ રાજા સંબંધિ પોતે રચેલાં કાવ્યોને અનેક અલંકારોનાં ઉદાહરણો રૂપે મૂક્યાં છે. {વાગ્લટાલંકાર અપરના અલંકારસૂત્ર ઉપર સંસ્કૃતમાં ટીકા રચનારાઓના નામ આ પ્રમાણે છે.- સિંહદેવગણિ, સોમદેવગણિ, જ્ઞાનપ્રમોદગણિ, જિનવર્ધનસૂરિ, સમયસુંદરગણિ, ક્ષેમહંસગણિ, વર્ધમાનસૂરિ, મુનિ કુમુદચન્દ્ર, સાધુકીર્તિ, અજ્ઞાત મુનિ, વાદિરાજ, પ્રમોદમાણિચંગણિ, ગણેશ કૃષ્ણવર્મા. આ ઉપરાંત પણ અર્વાચીન સંસ્કૃત ટીકાઓ રચાઈ છે. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ દુર્ગાશંકર શાસ્ત્રી પૃ. ૨૫૫ } ૩૨૧. સિદ્ધરાજ ઘણો વિદ્યાપ્રેમી હતો- પંડિતોને રાજસભામાં સ્થાન આપી તેમની વિદ્વત્તાને પીછાનતો. ભારતના સર્વ પ્રદેશોમાંથી પ્રૌઢ પ્રૌઢ પંડિતો પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવા ગૂર્જર રાજધાનીમાં અવશ્ય આવ્યા કરતા હતા, ગૂર્જરપતિની વિદ્વત્સભા પણ ભારતમાં આદર્શ ગણાતી. આવી પ્રતિભાશાલી પરિષદના પ્રમુખ સભ્ય-સભાપતિ કવિરાજ શ્રીપાલ હતો. તે જૈન પોરવાડ વૈશ્ય ર૬૨. પં. લાલચંદ ગાંધીનો ટૂંકો લેખ નામે “કવિ પવાનંદ જૈન ૭-૮-૧૯૨૭ પૃ, ૫૫૫. વૈરાગ્યશતક કાવ્યમાલા સાતમું ગુચ્છક (નિ. પ્રે)માં પ્રકટ થયું છે. ૨૬૩. કોઈ ઉદયનમંત્રિના પુત્ર વામ્ભટ્ટ (બાહડ) ને આ ગ્રંથના રચનાર માને છે. વળી નેમિકુમારના પુત્ર વાત્મભટ્ટ કે જેમણે કાવ્યાનુશાસન રચ્યું છે અને જેમણે તેમાં ઉક્ત વામ્ભટ્ટાલંકારનો પણ ઉલ્લેખ કર્યો છે અને જેમણે સંક્ષિપ્ત છંદોનુશાસન (સંઘવીપાડાનો પાટણ ભં. નં. ૧૮૩ પત્ર ૪૨) રચેલ છે અને જેઓ ભરૂચના રહેવાસી હતા (શ્રી જિનવિજયની નોંધ) તે જુદા વામ્ભટ્ટ છે તે ઉપરાંત એક ત્રીજા વાગભટ છે કે જે નેમિનિર્વાણ કાવ્યના કર્તા છે. {વાભટ નામના ચાર કે પાંચ ગ્રંથકારો થયા છે. દરેકના પિતાનું નામ અલગ છે. અષ્ટાંગ હૃદયકારના પિતા સિંહગુપ્ત, નેમિનિર્વાણકારના પિતા છાડ, વાલ્મટાલંકારના કર્તાના પિતા સોમ, કાવ્યાનુશાસનકારના પિતા નેમિકુમાર હતા. વૃદ્ધવાભટના પિતાનું નામ જાણવા મળ્યું નથી. વિશેષ માટે જુઓ “જૈન સાહિત્ય ઓર ઈતિહાસ” લે. નાથુરામ પ્રેમી, શ્રમણ વર્ષ ૫૦ અંક ૧૦-૧૨} २६४. इन्द्रः स एष यदि किं न सहस्रमक्ष्णां लक्ष्मीपति यदि कथं न चतुर्भुजोऽसौ ॥ મા: ચન્દ્રનષ્યનવૃતોદ્ધરતા પ્રવૂડ: શ્રી વિનૃપસૂનરયે રાખે || -સંશયનિશ્ચયાલંકાર ૫. ૪, ગ્લો ૮૧. इन्द्रेण किं यदि स कर्णनरेन्द्रसूनु-रैरावणेन किमहो यदि तद्विपेन्द्रः । તિનાથ7મત્તે દ્રિ તત્રતાપ: સ્વડથંય નનુ પુથા દ્રિ તપુરી . || -આક્ષેપાલંકાર પ. ૪, ગ્લો ૭૬ अणहिल्लपाटकं पुरमवनिपतिः कर्णदेवनृपसूनुः । શ્રીવનશનામધેય: વરી રત્નાનિ જાતીદ અત્યુત્કષ્ટ સમુચ્ચયાલંકાર ૫. ૪, શ્લો. ૧૩૨ जगदात्मकीर्तिशुभ्रं जनयन्नुद्दामधामदो:परिधः। जयति प्रतापयूषा जयसिंहः क्ष्माभदधिनाथः॥ -અસંયુતા વૃત્તિ વર્ણયમક ૫. ૪, ગ્લો ૪૫ अस्त्वस्तु पौरूषगुणाज्जयसिहंदेव-पृथ्वीपते मंगपतेश्च समानभावः । ફ્રિ : પ્રતિમટ: સમાં વિદાય સાદો વિશેન વનવિમર્શનનઃ || -વ્યતિરેકાલંકાર ૫. ૪, ગ્લો. ૮૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy