SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૦૮ થી ૩૧૧ ૧૫૫ ૩૦૮. રાજાના પ્રાતપથી રાજ્યની ઉન્નતિ શિખરે ચડી. લોકોમાં વૈભવ અને સુખ વધે જતાં હતાં. આથી અન્ય પ્રદેશોમાંથી આવી પાટણની વસ્તી ભરાતી ગઈ. સં.૧૧૭૫માં શ્રીમાલમાં દુકાળ પડ્યો હતો તેથી ત્યાર પછી સં.૧૨૦૦ની લગભગમાં શ્રીમાલ નગરની ઘણી વસ્તી ગૂજરાતમાં આવી. જોકે એ પહેલાં પણ કર્ણદેવનાં વખતમાં લાટ (લાડ, ભરૂચ પાસેના) દેશમાં શ્રીમાળીઓ આવતા થયા હતા. સિદ્ધરાજે સોરઠના સુબા તરીકે શ્રીમાળી સજ્જન મંત્રીને નીમ્યો હતો. એથી શ્રીમાળીઓને સોરઠમાં (કાઠિયાવાડમાં) વસવાટ કરવાને બહુ અનુકૂળ સંધિ મળી હતી. ત્યારથી શ્રીમાલ દેશથી -નગરથી આવેલ સર્વ શ્રીમાળી કુળના ગણાતા . તે શ્રીમાળીઓએ આવી સૌરાષ્ટ્રમાં પોતાની વસ્તી વધારી. લાટ દેશ કે જે સં.૧૧૦૦ ની લગભગમાં ગુજરાત સાથે જોડાયો, તેમાં કર્ણદેવના વખતથી અને ખાસ કરી સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં દંડનાયક તરીકે શ્રીમાળી જૈન વાણીયા જ નીમાઈને આવતા. વિ. સં. ૧૧૯૩ માં પ્રા૦ મુનિસુવ્રતચરિત્ર રચનાર શ્રીચંદ્રસૂરિ પોતાની પૂર્વ અવસ્થામાં લાટદેશની મંત્રિમુદ્રા શોભાવતા હતા. આમ લાટમાં જૈન શ્રીમાળીઓ ગયા તે લાડ-લાડવા વાણીઆ કહેવાયા. ૩૦૯. વિદ્ધત્રિય સાહિત્યરસિક સિદ્ધરાજે ત્રણસો લહિયાઓ એકઠા કરી સર્વ દર્શનના ગ્રંથો લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાનો તથા આચાર્ય હેમચંદ્રકૃત સાંગોપાંગ સપાદલક્ષ (સવાલાખ) વ્યાકરણ ગ્રંથની સેંકડો પ્રતિઓ લખાવી તેના અભ્યાસીઓને આપ્યાનો તેમજ અંગ બંગ આદિ ભિન્ન ભિન્ન દેશોમાં ભેટ મોકલાવ્યાનો અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે ગ્રંથો પૂરા પાડ્યાનો ઉલ્લેખ૪૮ પ્રભાવક ચરિત તથા કુમારપાલપ્રબંધમાં છે. ૩૧૦. હવે સિદ્ધરાજના સમયની કેટલીક ઘટનાઓ ટુંકમાં જણાવીએ. તેણે સં. ૧૧૫ર માં સિદ્ધપુર વસાવ્યું તથા રૂદ્રમહાલય (રૂદ્રમાલ) નામનું શિવાલય બંધાવ્યું; તેમજ સુવિધિનાથ (જૈનોના ૯મા તીર્થંકર)નો પ્રાસાદ નિપજાવ્યો.(મહાવીર જિનમંદિર કરાવ્યું -લા.ભ.) સિદ્ધપુરમાં ચાર જિનપડિમાયુક્ત સિદ્ધપુરવિહાર અને પાટણમાં રાજવિહાર કરાવ્યો.(કુ. પ્રતિબોધ)તેના સમયમાં અનેક પ્રભાવક જૈનો થયા. (૩૧૧. મલધારી અભયદેવસૂરિઃ- પ્રશ્રવાહન કુલના હર્ષપુરીય ગચ્છના જયસિંહસૂરિના શિષ્ય અભયદેવસૂરિ થયા. તેઓ વસ્ત્રમાં માત્ર એકજ “ચોલપટ્ટો'(પહેરવાનું વસ્ત્ર)અને એક જ પ્રચ્છાદન પટી (પછેડી-ઉપર ઓઢવાનું વસ્ત્ર) રાખતા. તેમને મલમલીન વસ્ત્ર અને દેહવાળા જોઈ સિદ્ધરાજે૪૯ ર૪૮. રસજ્ઞ: પુર: પુરજોશ વિધિવવિત તતઃ | ૨ વર્ષશ્રયં વર્ષ (વિત) રાજ્ઞી પુસ્તજનેઉને . ૨૦૩ राजादेशान्नियक्तैश्च सर्वस्थानेभ्य उद्यतैः। तदा चाहूय सच्चक्रे लेखकानां शतत्रयम् ॥ १०४ ॥ पुस्तकाः समलेख्यन्त सर्वदर्शनिनां ततः । प्रत्येकमेवादीयंताऽ ध्येतुणामुद्यमस्पृशाम् ॥ १०५॥ अंगवंग कलिंगेष लाटकर्णाटकुंकणे । इत्यादि विश्वदेशेषु शास्त्रं व्यस्तार्यत स्फुट ॥ १०६-१०९।। -प्रभावकचरित हेमचंद्रसूरिप्रबंध पृ. २०२ २४९. अन्नया सिरि जयसिंहदेवनरिंदेण गयखंधारूढेण रायवाडियागएण दिट्ठो मलमलिणवत्थदेहो । रायेण गयखंधाओ મોરિઝળ સુક્ષરો ઉત્ત gિ ‘મનથરિ' ત્તિ નાના –જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પ (સં ૧૩૮૫-૮૯) પૈકી ૪૦ મો કલ્પ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy