SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૭ આપણો તીવ્ર આવેશ બહાર નીકળે છે, અનિષ્ટ તત્ત્વો પ્રત્યે સહનશીલતા રહેતી નથી અને સત્ય કહેવા જતાં કોઈને ખોટું લગાડવાનો, કોઈ વખત વધુ પડતું કહી જવાનો, તેમ કોક ટાણે અન્યાય કરી દેવાનો પણ પ્રસંગ આવવાનો સંપૂર્ણ સંભવ છે. “જીવતા માણસની પૂરી આંકણી તેના સમકાલીનો મૂકી જ નથી શકતા; તેમનાથી કંઈક ને કંઈક પક્ષપાત થઇ જ જાય'-આ કારણે વર્તમાન પહેલાંના એટલે જે જૈન ગ્રંથકારોને મેં જાતે જોયા-જાણ્યા-ઓળખ્યા નથી તેનો આમાં સમાવેશ કર્યો છે. એટલે જે વર્ષમાં હું સગીર મટી ગયો હતો તે સંવત્ ૧૯૬૦ ના વર્ષ પહેલાં જે સ્વર્ગસ્થ થયા તેમને જ આમાં સ્થાન આપવાની સીમા રાખી છે. ત્યારપછીના વિદ્યમાન કે અવિદ્યમાનું નોંધવા લાયક વ્યક્તિઓ સંબંધી ખાસ કંઈ કહ્યું નથી-આટલા ખુલાસાથી કોઈને હવે પૂછવાનું કે ટીકા કરવાનું કારણ નહિ રહે કે શા માટે વિદેશીય-પશ્ચિમાત્ય વિદ્વાનોને હસ્તલિખિત જૈન ગ્રથો પૂરાં પાડી તે દ્વારા પશ્ચિમમાં જૈન ધર્મના અભ્યાસકો વધારનાર શ્રી વિજયધર્મસૂરિ, અધ્યાત્મ-યોગના રસિક અનેક ગ્રંથોના પ્રયોજક કવિ શ્રી બુદ્ધિસાગર સૂરિ, અનેક પુસ્તકોનું સુંદર સંશોધન કરનાર મહાન્ અભ્યાસક વિદ્વાન્ ગ્રેજ્યુએટ શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, સિદ્ધહસ્ત લેખક અને વિચારક શ્રી વાડીલાલ મોતીલાલ શાહ વગેરે સ્વર્ગસ્થોને તેમજ વિદ્યમાનોમાં અપ્રકટ રહેલા આગમસાહિત્યને પ્રકટ કરાવી તેનો તે રીતે ઉદ્ધાર કરનાર શ્રી સાગરાનંદ સૂરિ, પંડિતોમાં વિચારક પંડિતવર્ય સુખલાલ, . બેચરદાસ, અને પં. લાલચંદ, સુંદર લેખક રા. સુશીલ, વર્તમાન પત્રકાર રા. અમૃતલાલ શેઠ, સોરઠી લોકસાહિત્યના ઉદ્ધારક લેખક અને કવિશ્રી ઝવેરચંદ મેઘાણી, નવલકથાકાર રા. ચુનિલાલ વર્ધમાન શાહ, આદિને આ ઇતિહાસમાં સ્થાન આપી શકાયું નથી. ૪૭. આ સાથે એ પણ કહી દેવું યોગ્ય છે કે વીસમી સદી તે ચાલુ સદી છે; તેમાં સ્વર્ગવાસ થનાર શ્રી આત્મારામજી (વિજયાનંદ સૂરિ), શ્રી વીરચંદ ગાંધી, શેઠ પ્રેમચંદ રાયચંદ, શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી, શ્રી રાયચંદ કવિ વિષે પ્રમાણ કરતાં વિશેષ લખી જવાયું છે, પરંતુ તે પણ મારા પોતાના વિશિષ્ટ મત અનુસાર નહિ, પણ પ્રમાણિક વિદ્વાનોના ગ્રાહ્ય મત અનુસાર લખાયું છે; અને આવો ઇતિહાસ ફરી વાર બહાર પડશે ત્યારે ખરો, એટલે તત્ત્વનું જેટલું ટુંકમાં લખાય તેટલું તેમના સંબંધી લખી બહાર પાડી દેવું ઠીક છે એ હેતુથી કંઈક વિશેષ લખાયું છે તો તે સંતવ્ય ગણાશે. ૪૮. જૈનો હિંદુ છે–જે માણસ હિન્દુસ્થાનમાં હિન્દુકુળમાં જન્મીને વેદ, ઉપનિષદ, પુરાણાદિ ગ્રન્થોને ધર્મગ્રન્થરૂપે માને; જે માણસ સત્ય અહિંસાદિ પાંચ યમોને વિષે શ્રદ્ધા રાખે ને તે યથાશક્તિ પાળે, જે માણસ આત્મા છે પરમાત્મા છે, આત્મા અજ અને અમર છે તેમ છતાં દેહાધ્યાસથી સંસારમાં અનેક યોનિમાં આવજા કર્યા કરે છે, તેને મોક્ષ છે, અને મોક્ષ એ પરમ પુરૂષાર્થ છે એમ માને, જે વર્ણાશ્રમ ને ગૌરક્ષા ધર્મને માને તે હિન્દુ છે-આવી વ્યાખ્યા હિન્દુની ગાંધીજીએ કરી છે, તેજ ગાંધીજી ગૌતમબુદ્ધ માટે જણાવે છે કે : “મારો તો નિશ્ચિત અભિપ્રાય છે કે બૌદ્ધધર્મનો અથવા બુદ્ધના ઉપદેશનો પૂરો પરિપાક ભારતવર્ષમાં જ થયો હતો. એથી ઉલટું થવું શકય પણ નહોતું. કારણ ગૌતમ પોતે હિંદુ હતા-હિંદુશ્રેષ્ઠ હતા. હિંદુ ધર્મના ઉત્તમાંશથી તેઓ ભીંજાયા હતા. કેટલાંક તત્ત્વો જે વેદમાં દટાઈ રહેલાં હતા અને જેની પર જાળાં બાઝી ગયાં હતાં તે તત્ત્વોને તેમણે નવજીવન આપ્યું. વેદમાં રહેલા ઝળહળતા સત્ય પર શબ્દોનું-નિરર્થક શબ્દજાળનું જે અરણ્ય જામ્યું હતું. તેમાંથી તેમના મહાન હિંદુ આત્માએ પોતાનો રસ્તો શોધી કાઢ્યો. વેદના કેટલાક શબ્દોમાંથી તેમણે જે અર્થનું દોહન કર્યું. તેનાથી એમના કાળના માણસો સાવ અજાણ હતા. ભારતવર્ષની ભૂમિ એમને આ ધર્મકાર્યને સારૂ સૌથી અનુકૂળ લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy