SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરી ઘેર આવતાં માતાએ જૈનશાસ્ત્રો પણ ભણીને આવે તો ખુશી થાય એમ જણાવતાં તુરત તોસલિપુત્ર આચાર્ય પાસે તેમ કરવા જતાં જૈનદીક્ષા સિવાય અધ્યયન ન થઈ શકે એમ જાણી આર્ય રક્ષિતે તે માટે ૨૨ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરીને તેમની પાસે શ્રુતજ્ઞાન હતું તેટલું ભણી લીધું, (આમ કરતાં માતાપિતાની આજ્ઞા ન લેવાઈ તેથી તે શિષ્યનિષ્ફટિકા-શિષ્યચોરી શ્રી મહાવીરશાસનમાં પહેલી થઈ). પછી તેમણે વજસ્વામી પાસે ઉજ્જયિની જઈ સાડા નવ ‘પૂર્વ’નો અભ્યાસ કર્યો. તે દરમ્યાન તેમના નાનાભાઈ ફલ્ગુરક્ષિતે તેમની પાસે દીક્ષા લીધી. પછી દશપુર જઈ માતાપિતા તથા અન્ય કુટુંબી જનોને પણ જૈન ધર્મમાં દીક્ષિત કર્યા. પોતાના ૪૦ વર્ષના શ્રામણ્ય પછી વીરાત્ ૫૪૪ (વિ.સં. ૭૪)માં યુગપ્રધાન રહ્યા ને વીરાત્ ૫૯૭ (વિ.સં.૧૨૭)માં સ્વર્ગસ્થ થયા. આ વાલભી યુગપ્રધાન-પટ્ટાવલી અનુસાર છે; જ્યારે માથુરી વાચના અનુસાર તેમનો સ્વર્ગવાસ વીરાત્ ૫૮૪માં સિદ્ધ થાય છે. આમ ૧૩ વર્ષનો ફેર માથુરી અને વાલભી એ બે વાચના વચ્ચેના ૧૩ વર્ષના મતભેદને પરિણામે છે. ‘આર્ય રક્ષિતના સમય સુધી સંયમપ્રવૃત્તિ નિરપવાદ હતી. સાધુઓમાં વસ્ત્ર-પાત્રનો પરિગ્રહ પરિમિત હતો, ચોલપટ્ટાદિ જરૂરી ઉપકરણો જરૂરતના સમયમાં જ ઉપયોગમાં લેવાતાં હતાં. એ વાત આર્યરક્ષિતના પિતા સોમદેવનાં સંભાષણો પરથી સ્પષ્ટ છે. સોમદેવ બીજાં ગાર્હસ્થ્ય ચિન્હો છોડવાને તૈયાર થઈ જાય છે પણ નીચેનું વસ્ર બદલવાને તે તૈયાર થતા નથી ને કહે છે કે નનૈઃ રાજ્ય વિમુ સ્થાતું સ્વીયાત્મન-સુતા પુર:' - ‘પોતાના પુત્ર પુત્રીઓ આગળ નગ્ન કેમ રહેવાય'; વળી શ્રાવકનાં છોકરાંઓ તેમનો આ ગૃહસ્થોચિત વેષ જોઈ વંદન કરતા નથી તે પર તે કહે છે કે નનો ન સ્વામહં સૂર્ય મા વનથ્થું પૂર્વના:' હું નગ્ન નહિ થાઉં, ભલે તમે અને તમારા પૂર્વજો કોઈ પણ વન્દન ન કરો.’ તે પરથી જણાશે કે તે વખતે વસ્ત્રપરિધાન કારણપ્રસંગે જ થતું હશે, જેવો કે પ્રાચીન શાસ્ત્રોનો આદેશ છે. (જે વખતે શ્વે. અને દિ. એ બે ભેદ ચોખ્ખા પડ્યા નહોતા.) આમ છતાં પણ એટલું તો કહેવું પડશે કે સાધુઓમાં કંઈક શિથિલતા પ્રવેશવા લાગી હતી અને તેથી આર્ય રક્ષિતજીને સમયનો વિચાર કરી કઠોર નિયમો કંઈક મંદ કરવા પડ્યા હતા; એનું એક ઉદાહરણ ‘માત્રક' (નાનું પાત્ર) સાધુઓને રાખવાના આદેશ સંબંધી છે. પૂર્વે એક સાધુને કેવલ એક જ પાત્ર રાખવાનું વિધાન હતું. પણ તેથી સાધુઓને કંઈક અડચણ પડતી હશે તેથી આ સૂરિએ સાધુઓને વર્ષાઋતુના ચાર માસ માટે તે પાત્ર ઉપરાંત એક ‘માત્રક’ પણ રાખવાની આજ્ઞા આપી હતી – જાઓ વ્યવહાર સૂત્ર ૮ મા ઉદ્દેશકની ચૂર્ણિમાં તેનું વિસ્તૃત વર્ણન. આથી જણાય છે કે આર્ય રક્ષિતનો સમય સંયમપ્રધાન હતો છતાં કંઈક સગવડતાનો વિચાર પણ તે વખતે થતો હતો. આર્ય રક્ષિતનો સમય અવનત્યભિમુખ હતો તેનું બીજું ઉદાહરણ સાધ્વીઓનો આલોચના દેવાનો અધિકાર રદ થવો તે છે એટલે કે પૂર્વે સાધુઓ સાધુઓ પાસે અને સાધ્વીઓ સાધ્વીઓ પાસે આલોચનાપ્રાયશ્ચિત લેવાની રીતિ હતી; પણ તેમના સમયથી સાધ્વીઓનો એ અધિકાર રદ થયો અને તેમને પણ સાધુઓની પાસે આલોચના લેવાનું ઠર્યું. ત્રીજો અને સૌથી મોટો ફેરફાર આર્ય રક્ષિતના સમયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy