SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કહ્યું છે કે શ્રી અર્હતોએ અર્થથી અને મહાબુદ્ધિવાન્ ગણધરોએ સૂત્રથી ગૂંથેલું જે શ્રુત તે ‘અંગ’રૂપ શ્રુત. ૫૦ તે પછી ગણધરોના પંરપરાથી વાડ્મયને પામેલા અને પ્રકૃષ્ટ વાણી, મતિ અને શક્તિવાળા શિષ્ય પ્રશિષ્ય આચાર્યોએ કાલ સંહનન આયુષ્યના દોષથી અલ્પ બુદ્ધિવાળાના અનુગ્રહને માટે ગૂંથેલું જે શ્રુત તે અનંગાત્મક શ્રુત. તેમના કરતાં વધારે સાંપ્રત ઋષિઓએ અજ્ઞજનોના ઉપકાર માટે શાસ્ત્રના એકદેશથી સંબદ્ધ થયેલા પ્રકરણો પણ રચ્યાં. છ છેદ સૂત્રો ૯૩. કુલ છ છેદ સૂત્ર છેઃ-૧ નિશીથ-(લઘુનિશીથ), ૨ બૃહત્કલ્પ, ૩ વ્યવહાર ૪ દશાશ્રુતસ્કંધ, ૫ પંચલ્પ અને ૬ મહાનિશીથ. આ પૈકી નિશીથ, પંચકલ્પ ને મહાનિશીથ ગણધરકૃત છે. અને બૃહત્કલ્પ, વ્યવહાર અને દશાશ્રુતસ્કંધ એ ત્રણના કર્તા ભદ્રબાહુસ્વામી છે, તેમાં પંચકલ્પ નામનું છેદસૂત્ર વિચ્છિન્ન થયું છે, પરંતુ તે પર સંઘદાસગણિનુ ભાષ્ય ઉપલબ્ધ છે(પી.૧, ૧૦૩). આ છેદસૂત્રો પર નિર્યુક્તિ કે ભાષ્ય, બૃહત્માષ્ય, ચૂર્ણિ, અવિસૂરિ અનેક ટિપ્પનાદિ ભિન્ન ભિન્ન આચાર્યોએ રચ્યાં છે. ૯૪. આ છ છેદોમાં પ્રાયઃ સાધુ સાધ્વીઓના આચાર, ગોચરી, ભિક્ષા, કલ્પ, ક્રિયા, અને સામાન્ય નિયમમાર્ગોનું પ્રતિપાદન કર્યું છે. તેની સાથે સાથે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ઉત્સર્ગ અપવાદાદિ માર્ગોનું પણ સમયાનુસાર નિરૂપણ કર્યું છે. સામાન્ય રીતે આ છેદસૂત્રો ‘અપવાદ માર્ગ'ના સૂત્રો ગણાય છે. આમાં જોકે વિશેષતાથી-ખાસ કરીને સાધુઓના આચારનું પ્રતિપાદન છે છતાં ચિત્ ચિત્ શ્રાવકના આચાર સંબંધી પણ તેમાં વક્તવ્ય છેઃ જેવા કે શ્રાવકોની ૧૧ પ્રતિમા (વ્રતવિશેષ)નો વિસ્તાર તથા ગુરુની ૩૩ આશાતના ટાળવી, અને કોઇ આચાર્ય પદવી-દાનને યોગ્ય ન હોય તો તે પદવી છોડાવવી તથા આલોચના કરવી વગેરે આચાર પણ છેદ સૂત્રોમાં છે.પ ૯૫. વિન્ટરનિટ્ઝ કહે છે કે ‘આ છેદસૂત્રોમાં ખરી ઉપયોગી વાત [Kennel] ત્રીજાથી પાંચમા છેદસૂત્રોમાં છે કે જે સૂત્રમાં ઘણા પ્રાચીન છે. આ ત્રણેને એકત્રિત તરીકે ‘દસા-કપ્પ-વવહાર' કહેવામાં આવે છે. છેદ સૂત્રોમાં કેટલીક દંતકથાઓ સાથે સાથે, બૌદ્ધોના વિનયપિટકમાંથી જે જાણીએ છીએ તે પ્રમાણે સાધુ સાધ્વીના આચાર, તેમને માટે પ્રાયશ્ચિત્તની આજ્ઞાઓ છે-ટુંકમાં સાધુસંઘનો આખો નિયમન ગ્રંથ છે.’ ૬૫ પ્રો. શુષિંગે આ પૈકી બૃહત્કલ્પ સન ૧૯૦૫માં, વ્યવહાર અને નિશીથ સૂત્રો સન ૧૯૧૮મા સંશોધિત કરેલાં લિપઝિમમાં છપાયાં છે ને એ ત્રણે મૂળ એક સાથે જૈન સાહિત્ય સંશોધક સમિતિ' તરફથી મુદ્રિત થઇ પ્રગટ થયાં છે અને બૃહત્કલ્પ સૂત્ર, દશાશ્રુતસ્કંધ સૂત્ર, વ્યવહારસૂત્ર, અને (લઘુ) નિશીથ સૂત્રનો સંક્ષિપ્ત સાર હિંદીમાં જ્ઞાનસુંદરજી કૃત શીઘ્રબોધ ભાગ ૧૯ થી ૨૨ મા પ્રકટ થઇ ગયો છે, વ્યવહાર સૂત્ર (વે. ને. ૧૫૨૧) ભાષ્ય તેમજ મલયગિરિની ટીકા સહિત પ્રસિદ્ધ થયેલ છે. (પ્ર. માણેકમુનિ હસ્તે વકીલ કેશવલાલ પ્રેમચંદ મોદી અમદાવાદ) નિશીથ સૂત્ર માટે જુઓ વે. ન. ૧૪૮૭ છ છેદ સૂત્રો માટે જુઓ વેબ૨ ઇ. એ. વૉ. ૨૧ પૃ. ૧૭૮ થી ૧૮૫ અને ૨૧૦ થી ૨૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy