SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૩ થી ૧00 છેદસૂત્ર પરિચય ૫૧ ૯૬. પહેલું છેદસૂત્ર-૧ નિશીથ સૂત્ર-આચારાંગ આદિ સૂત્રોમાં મુનિઓના આચારનું નિરૂપણ છે તે આચારથી પતિત થનારા માટે લઘુનિશીથસૂત્રમાં આલોચના લઈ પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવાનું બતાવ્યું છે. સ્કૂલના કરનાર મુનિઓને શિક્ષારૂપે નિશીથસૂત્ર છે અને પ્રમાદાદિથી ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગ પર તે લાવે છે. પ્રાયશ્ચિત્તની મતલબ એ છે કે અજાણપણે એકવાર જે અકૃત્યનું સેવન થયું હોય તેની આલોચના કરી શુદ્ધ થવું ને બીજી વખત તેનું સેવન ન કરવું. એમાં ધર્મનિયમનો ખજાનો છે. ૯૭. આ સૂત્રમાં ૨૦ ઉદેશક છે. પહેલામાં લગભગ ૬૦ બોલ છે તેવું સાધું કરે, કરાવે યા અનુમોદે તેને માસિક પ્રાયશ્ચિત્ત આવે. બીજામાં પણ લગભગ ૬૦ બોલ છે; ત્રીજામાં ૮૦ લગભગ બોલ છે. ચોથામાં સો ઉપરાંત બોલ છે, પાંચમામાં લગભગ ૮૦ છે. તે કરતાં કરાવતાં કે અનુમોદતાં લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે; છઠ્ઠાથી ઓગણીસમા સુધીમાં ૭૭, ૯૧, ૧૭, ૨૮, ૪૭, ૯૨, ૩૦, ૬૦, ૪૫, ૧૫૪, ૫૦, ૧૫૧, ૬૪, ૩૬, બોલ છે. તે કરતાં કરાવતાં કે અનુમોદતાં ચાતુમાર્મિક પ્રાયશ્ચિત્ત આવે, ૨૦માં ઉદ્દેશકમાં આલોચના પૂર્વકનાં પ્રાયશ્ચિત્તો માસિક, લઘુમાસિક, ચર્તુમાસિક આદિ પ્રાયશ્ચિત્તો તેની વિધિ બતાવી છે. ૯૮. બીજું છેદસૂત્ર-૨ (બૃહ) કલ્પસૂત્ર-માં છ ઉદેશક છે. તે મુખ્ય સાધુ સાધ્વીઓનો આચાર કલ્પ છે. જે કર્મહેતુના હેતું અને સંયમને બાધક પદાર્થ, સ્થિતિ વગેરે છે, તેનો નિષેધ કરતાં શાસ્ત્રકારે ન કપૂઈ’ એટલે ન કલ્પ-ન ખપે, એને જે સંયમને સાધક છે તે “કપ્પધ” અર્થાત્ કલ્પે ખપે એમ બે પ્રકારે કહી આમાં તેવા પદાર્થ, સ્થાન, વસ્ત્ર, પાત્ર, આદિ જણાવ્યાં છે. વળી અમુક અકાર્ય માટે કયું પ્રાયશ્ચિત્ત દશ પ્રાયશ્ચિત્તમાંથી આપવું તે, અને કલ્પના છ પ્રકાર વગેરે જણાવેલ છે. ૯૯. વિન્ટરનિટ્ઝ કહે છે કે - આ જૂનું પ્રમાણભૂત કલ્પસૂત્ર છે કે જે બૃહત્ કલ્પસૂત્ર કે બૃહતું સાધુ કલ્પસૂત્ર કહેવાય છે. તે સાધ્વાચારનો મુખ્ય ગ્રંથ છે તેની આવશ્યક પૂર્તિ રૂપે વ્યવહારસૂત્ર છે. આ કલ્પસૂત્રમાં શિક્ષાના પ્રસંગો છે, ને વ્યવહારસૂત્રમાં અમુક અમુક શિક્ષા અમુક અમુક સ્કૂલન માટે બતાવવામાં આવી છે. સમયમાં નિશીથ સૂત્ર આના પછીનું છે. ૧૦૦. ત્રીજું છેદસૂત્ર-૩ વ્યવહારસુત્ર-માં દશ ઉદેશક છે. પહેલામાં આચારથી પતિત થાનારા મુનિઓએ આલોચના (Confession) કરવી ઘટે તો આલોચના સાંભળનાર અને આલોચના કરનાર મુનિ કેવા હોવા જોઇએ, અને આલોચના કેવા ભાવથી કરવી જોઈએ અને તેને કેટલું પ્રાયશ્ચિત્ત દેવું એ છે. બીજામાં એક કરતાં વધુ સાધુ વિહાર કરે તેમાં એક યા વધુ દોષ કરે તો અન્ય શું કરવું એ વગેરે જણાવ્યું છે. ત્રીજામાં સાધુઓને સાથે લઈ તેના ગણી-મુખી બનવામાં શું ગુણો જ્ઞાનચારિત્રાદિ જોઇએ તે, ને કોને આર્ચાય ઉપાધ્યાયાદિ સાત પદવી આપવી ન આપવી ઘટે તે બતાવ્યું છે. ચોથામાં કેટલા સાધુ સહિત કેવી રીતે વિહાર કે ચાર્તુમાસ-સ્થિતિ કરવી ઘટે તે છે. પાંચમામાં સાધ્વીઓની પદવીઓ ધારણ કરનારી પ્રવર્તિની આદિએ કેવી રીતે વિહાર કે ચાર્તુમાસસ્થિતિ કરવી ઘટે વગેરે દર્શાવ્યું છે. છઠ્ઠામાં ગોચરી-ભિક્ષા, અંડિલ, વસતિ ક્યાં અને કેમ કરવી ઘટે યા ન ઘટે તે , તેમજ અમુક સ્કૂલના માટેનાં પ્રાયશ્ચિત્ત જણાવે છે. સાતમામાં બીજા સમવાયમાંથી આવેલ સાધ્વી માટે શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy