SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ કેમ ? ગૌતમસ્વામી એ ઉત્તરમાં કહ્યું કે “મધ્યના બાવીસ તીર્થકરોના સાધુઓ ઋજુપ્રાજ્ઞ હોવાથી ચોથા અપરિગ્રહ મહાવ્રતમાં જ બ્રહ્મચર્યનો સમાવેશ કરી લે છે. અને તેમને સચેલક રહેવાનું કહ્યું છે. અને આ ૨૪મા તીર્થંકરના સાધુ વક્રજડ હોવાથી તેમને માટે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બે વ્રત જૂદા પાડી પાંચ મહાવ્રતો કહ્યાં છે. ને એચેલક ધર્મ કહ્યો છે. વગેરે અનેક પ્રશ્નોનું સમાધાન છે. ૨૪ પ્રવચન માતા-શંકાનું નિવારણ કરવામાં ભાષાસમિતિરૂપ વાગયોગની જરૂર છે, તેથી આમાં પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચન માતાનું સ્વરૂપ આપ્યું છે. આ આઠમાં સર્વ દ્વાદશાંગરૂપ પ્રવચનનો સમાવેશ થાય છે. તેથી તે તેની માતારૂપ કહેવાય છે. ૨૫ યજ્ઞીય-આમાં જયઘોષ અને વિજયઘોષની કથા દ્વારા બ્રાહ્મણનાં લક્ષણ અને બ્રહ્મચર્યનાં ગુણ બતાવ્યા છે. વિજયઘોષ બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યો તે વખેત જયઘોષ મુનિ ભિક્ષા લેવા જતાં તેણે ભિક્ષા ન આપી તેથી બંને વચ્ચે સંવાદ થાય છે. ને તેમાં બ્રાહ્મણનું લક્ષણ આપતાં પ્રસંગને લીધે સાધુ, બ્રાહ્મણ, મુનિ, તાપસ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, વગેરેનાં લક્ષણો પણ આપ્યાં છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જન્મથી કાંઈ જાતિની પ્રાપ્તિ થતી નથી. માત્ર કંઠમાં યજ્ઞોપવિત ધારણ કરી લેવાથી બ્રાહ્મણ બની શકાય નહિં; વલ્કલ માત્રના પહેરવાથી કાંઈ યથાર્થ તપસ્વી બની જવાતું નથી તેમ યોગ્ય કાર્યો સિવાય બ્રાહ્મણ આદી જાતિને યોગ્ય બની શકાતું નથી. ૨૬ સામાચારી- સાધુ સામાચારી દશ પ્રકારની આવશ્યકી આદિ બતાવી છે તે ઉપરાંત બીજી રીતે સાધુ માટેની સામાચારી દિનકૃત્ય રાત્રિકૃત્ય વગેરે બતાવેલ છે. ૨૭ ખાંકીય-સામાચારી અશઠપણાથી પળાય તે પર ગર્ગ નામના મુનિની કથા કહી તેમાં ખલુંક (બળદ-ગળીઆ બળદ)નું દૃષ્ટાંત આપી તે ઉપનયથી શિષ્યો પર ઉતાર્યું છે. ૨૮ મોક્ષમાર્ગ અશઠતાથી મોક્ષ સુલભ થાય છે. આમાં મોક્ષ માર્ગનાં ૪ કારણો નામે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ જણાવી તે દરેકના ભેદ સમજાવ્યા છે. ૨૯ સમ્યક્ત્વપરાક્રમ-વીતરાગ થયા વિના મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. તે સમજાવવા આ અધ્યયન છે. તેમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા આદિ (૭૩) દ્વાર કહ્યાં છે. ૩૦ તપોમાર્ગ-આસવદ્વાર બંધ કરી તપવડે કર્મનું શોષણ કરાય છે. તે તપના ૬ પ્રકારનાં બાહ્ય તપ અને ૬ પ્રકારના અંતરંગ તપ એમ બે ભેદ દરેકના પ્રભેદ સાથે જણાવેલ છે. ૩૧. ચરણવિધિ-ચરણ એટલે ચારિત્ર તેની વિધિ-વર્ણન છે. અમુકનો ત્યાગ ને અમુક ગુણોનો સ્વીકાર એ જણાવી ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. ૩૨ પ્રમાદસ્થાનપ્રમાદનું જ્ઞાન કરી તેનો ત્યાગ કરવો ઘટે છે તેથી પ્રમાદનું સ્વરૂપ આપ્યું છે. રાગ, દ્વેષ, મોહ અને કષાયનું સ્વરૂપ ને તેના દોષ બતાવ્યા છે. ૩૩ કર્મપ્રકૃતિ-આમાં કર્મનું સ્વરૂપ તેના જ્ઞાનાવરણીયાદિ ભેદ અને ઉત્તર ભેદ વગેરેથી બતાવ્યું છે. ૩૪ વેશ્યા-લેશ્યાના પ્રકાર ને તેનું નિરૂપણ છે. ૩૫ અનગાર માર્ગ-અનુગાર એટલે અગાર-ગૃહ રહિત એવા સાધુના ગુણો પંચમહાવ્રતાદિ પાળવાનું જણાવ્યું છે. ૩૬ જીવાજીવ-વિભક્તિ-સાધુ ગુણ સેવવામાં જીવાજીવનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. તેથી જીવ અને અજીવ, તેના પ્રકાર વગેરે સમજાવ્યું છે. ૮૬. શ્રી ભદ્રબાહુ સ્વામિ આ પરની નિયુક્તિમાં જણાવે છેકે આનાં ૩૬ અધ્યયનમાં કેટલાંક અંગમાંથી પ્રભવેલા, કેટલાક જિનભાષિત, કેટલાક પ્રત્યેકબુદ્ધ સંવાદરૂપ છે (ગાથા-૪). તે પર આ. શાંતિસૂરિ ટીકા કરતાં જણાવે છે કે અંગ એટલે દૃષ્ટિવાદ આદિમાંથી ઉત્પન્ન થયેલ જેવાં કે પરીષહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy