SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૧ દષ્ટિવાદ વિષયનિરૂપણ ૧૦ વિદ્યાનુપ્રવાદ-તેમાં અનેકાતિશય વાળી વિદ્યા સાધનની અનુકુળતાથી સિદ્ધિપ્રકર્ષ વડે જણાવે છે- વિદ્યાના અતિશયો સાધનાની અનુકૂળતા વડે સિદ્ધિના પ્રકર્ષવડે વર્ણવ્યા છે. ૧૧ અવધ્ય-કલ્યાણ-વચ્ચે એટલે નિષ્ફળ, નહિ એવું અવંધ્ય સફલ તેમાં જ્ઞાન તપ સંયોગ આદિ શુભ ફલો અને પ્રમાદ આદિ અશુભ ફલો વર્ણવ્યા છે. બીજા તેને કલ્યાણપૂર્વ કહે છે. ૧૨ પ્રાણાયુ-પ્રાણાવાય તેમાં પ્રાણ-જીવો એટલે પાંચ ઇંદ્રિય, ત્રણ પ્રકારનું બલ, ઉચ્છવાસ અને નિશ્વાસરૂપ પ્રાણોનું અથવા આયુ અનેક પ્રકારનું વર્ણવ્યું છે. જેમાં ભેદ સહિત પ્રાણવિધાન અને બીજા પ્રાણી વર્ણવેલા છે. ૧૩ ક્રિયાવિશાલ-કાયિકીઆદિ અને સંયમાદિ ક્રિયા વિશાલ એટલે ભેદ વડે વિસ્તીર્ણપણે ભેદ સહિત જણાવવામાં આવી છે. ૧૪ બિંદુસાર-અર્થાત્ લોકશબ્દ અધ્યાહાર છે. એટલે લોકબિંદુસાર. જે લોક એટલે જગત્માં, શ્રુતલોકમાં અક્ષરની ઉપર બિંદુ જેવા સારરૂપ-સર્વોત્તમ સર્વાક્ષરના સન્નિપાતથી લબ્ધિ હેતુ વાળે છે તે. આ ચૌદ પૂર્વના પદ પરિમાણનો વિષય સમવાયાંગ ટીકામાં છે. ૪ અનુયોગ-(એટલે અનુરૂપ-અનુકૂલ યોગ અર્થાત્ સૂત્રની વસ્તુ સાથેનો અનુરૂપ સંબંધ) તે બે પ્રકારનો છે : ૧ મૂલ પ્રથમાનુયોગ-(મૂલ એટલે ધર્મના પ્રવર્તનથી તીર્થકરોનો પ્રથમ એટલે સમ્યકત્ત્વની પ્રાપ્તિના લક્ષણ રૂપ પૂર્વભવાદિ ગોચર એવો અનુયોગ તે), ર ચંડિકાનુયોગ (ઈક્વાદિના પૂર્વાપર પર્વથી પરિચ્છિન્ન, મધ્યભાગ તે ચંડિકા તેની પેઠે એકાર્થ અધિકારવાળી ગ્રંથ પદ્ધતિ તેને ગંડિકા કહેવામાં આવે છે, તેનો અનુયોગ). મૂલ પ્રથમાનુયોગમાં અત્ ભગવંતોના સમ્યકત્વથી આરંભી પૂર્વભવો-દેવલોક ગમન, દેવભવનું આયુ, ત્યાંથી ચ્યવન, તીર્થંકરનો ઉત્પાત-જન્મ, અભિષેક, રાજશ્રીનો ત્યાગ, પ્રવ્રજ્યા, તપ, કેવલજ્ઞાન, તીર્થપ્રવર્તન, શિષ્યો, ગણો, ગણધરો, આર્યાપ્રવર્તિનીઓ, ચતુર્વિધ સંઘ.... સિદ્ધિ આદિ કહેવામાં આવેલ હોય છે. ચંડિકાનુયોગમાં કુલકરોની, તીર્થકરોની, ચક્રવર્તિઓની દશાઈની બલદેવની, વાસુદેવની, ગણધરોની, ભદ્રબાહુની, તપકર્મની, હરિવંશની, ઉત્સર્પિણીની, અવસર્પિણીની ચિત્રાન્તર ગંડિકાઓ, દેવતા મનુષ્ય તિર્યંચ નારક ગતિ ગમન વિવિધ પર્યટનો વગેરે કહેવામાં આવેલ હોય છે. “સૂત્રકાળમાં પ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ નામના ગ્રંથ હતા જ. પરંતુ કાળબળે તે લુપ્ત થઈ જવાને લીધે તેમાંની જે અને જેટલી હકિકતો મળી આવી તે આધારે તેનો પુનરુદ્ધાર આર્ય કાલકે કર્યો હતો. મને લાગે છે કે સૂત્રકાળમાં પ્રથમાનુયોગનું ગમે તે સ્વરૂપ હો. પરંતુ સ્થવિર આર્ય કાલકે પુનરુદ્ધાર કર્યો ત્યારે તેનું સ્વરૂપ શ્રી ભદ્રેશ્વરકૃત કહાવલી, શ્રી શીલાંકાચાર્ય કૃત ચઉપન્ન મહાપુરુષ ચ. અને આ. શ્રી હેમચન્દ્ર કૃત ત્રિશષ્ટિ ૨૫. પૂર્વ સંબંધી આ હકીકત માટે નંદીસૂત્ર, સમવાયાંગસૂત્ર, પ્રવચનસારોદ્ધાર ટીકા પૃ. ૨૦૭-૨૦૦(પ્ર.દે.લા.) પરથી તેમજ અભિધાન ચિંતામણી પૃ ૧૦૪ થી ૧૦૬(ય. ગં.)જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy