SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયમાં) ગોઠવી દીધાં છે ત્યાર પછી વિશ્વવિદ્યા (Cosmology) આપે છે. એમને મતે વિશ્વ વીશ પ્રદેશોમાં સમાઈ રહેલું છે, તેમાં સૌથી નીચે ભયંકર નરક છે, એની ઉપર બીજા અનેક નરક આવેલાં છે, એમના ઉપર આપણું જગત્ આવે છે, એની ઉપર નક્ષત્ર-તારાથી ભરેલો પ્રદેશ આવે છે અને એના બાર ભાગ પડેલા છે. અને એટલા જ વર્ગમાં વહેંચાયેલા દેવલોક એ પ્રદેશોમાં વસે છે - ત્યારપછી જીવવિદ્યા (Biology), એમાં સમસ્ત જીવોનો:દશ્ય જીવોનો અને અદૃશ્ય જીવોનો (જેની અંદર નરકાવાસીઓ, ભૂતપ્રેતો અને દેવલોક પણ આવી જાય છે), ચોવીશ પ્રકારના જીવગણનો (આમાં પંચેન્દ્રિય ઉપરાંત ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, હીન્દ્રિય અને એકેન્દ્રિય એ મુખ્ય છે.) સમાવેશ થાય છે, ત્યારપછી માનસશાસ્ત્ર (Psychology), એમાં આત્માના ચૈતન્યની જુદી જુદી દશાઓનું વર્ગીકરણ કરેલું છે. ટૂંકમાં કહીએ તો મહાવીરે એમના સમયમાં જે વિદ્યાઓ વર્તમાન હતી તે સૌનો ઉપયોગ કરીને એમણે પોતાની વિચારમાળા વ્યવસ્થિત કરી છે.' ૧૬. શ્રી મહાવીરના સમયમાં સર્વ ધર્મવિચાર અને તત્ સંબંધી રચના સંસ્કૃત ભાષામાં ચાલતી હતી. તે વખતે , યજુષ અને સામ વેદાદિ હતાં, સંસ્કૃત ભાષા લોકો વિશેષ કરીને સમજતા ન હતા. લોકભાષા પ્રાકૃત હતી, અને તે ભાષામાં જ કરેલો બોધ લોકમાં સંક્રાંત થાય, તે માટે શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ બંનેએ પ્રાકૃતનો જ ઉપદેશાર્થે સ્વીકાર કર્યો. આ પ્રાકૃત ભાષા તે તે વખતની પૂર્વ મગધ દેશથી તે પશ્ચિમે પંજાબ અને દક્ષિણે માળવા વૈદર્ભ વગેરે પ્રદેશ સુધીની પ્રચલિત લોકભાષા. મગધ દેશનું બહાનું રાજ્ય, તે પરથી તેને “માગધી' કહેવામાં આવતી; અને બૌદ્ધ ગ્રંથોની ભાષા પણ પ્રાકૃત છે કે જેને પશ્ચિમના વિદ્વાનો પાલી” (પ્રાકૃતિ-પાયડી-પાલી) નામ આપે છે. જૈનોની પ્રાકૃતભાષાને “અર્ધમાગધી' કહેવામાં આવે છે. અને કોઈ “મહારાષ્ટ્રી' કહે છે. તેમની ધર્મભાષા એ રીતે પ્રાકૃત જ છે. શા માટે પ્રાકૃતમાં ? તો તે માટે હરિભદ્રકૃત ‘ઉક્ત” એમ કહી દશવૈકાલિક ટીકા તથા ધર્મબિંદુ વૃત્તિમાં ટાંક્યું છે કે : बालस्त्रीमूढ(मंद)मूर्खाणां नृणां चारित्रकांक्षिणाम् । अनुग्रहार्थं सर्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ॥ ચારિત્રને ચાહનાર બાળ, સ્ત્રી, મંદ-મૂર્ખ વગેરે મનુષ્યોના અનુગ્રહ માટે સર્વજ્ઞાએ (પાઠાંતર તત્ત્વજ્ઞોએ) સિદ્ધાન્તને પ્રાકૃત બનાવ્યો છે.૨૨ ૧૭. શ્રી મહાવીરના મુખ્ય ૧૧ શિષ્યો હતા. એ “ગણધર' મુનિઓના ગણના ધારક-ઉપરી કહેવાય છે. તે બધા બ્રાહ્મણો હતા. તેમાંના નવ શ્રી મહાવીરની હયાતીમાં નિર્વાણ પામ્યા. બાકીના બેમાં એક ગૌતમ ઇન્દ્રભૂતિ અને બીજા સુધર્મા. સુધર્માએ અંગો આદિ ગુંથી શ્રી મહાવીરનો ઉપદેશ જાળવી રાખ્યો. ૨૧. જુઓ ઉક્ત બુદ્ધ અને મહાવીર. પૃ. ૩૩ ૨૨. પ્રાકૃત થાશ્રય કાવ્યની વૃત્તિમાં રાજશેખરસૂરિએ આ જ ભાવ વ્યક્ત કરેલ છે :बालस्त्र्यादिजडप्रायभव्यजन्तुहितेच्छया । प्राकृतागमकर्तृभ्यो गणभृद्भ्यो नमो नमः ॥ - બાળ, સ્ત્રી આદિ જડપ્રાય ભવ્ય જીવોના હિતની ઇચ્છાથી પ્રાકતમાં આગમો કરનાર ગણધરોને અમારા અનેકવાર નમસ્કાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy