SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૬-૨૦ વિભાગ-૧, પ્રકરણ-૨, “પ્રાચીન બાર અંગો” ૧૮. જૈનશાસ્ત્રના સૌથી પ્રાચીન ગ્રંથો “અંગો' કહેવાય છે. તે બાર છે અને તેમાં બારમું અંગ નામે દૃષ્ટિવાદે, જેમાં ચૌદ ‘પૂર્વોનો સમાવેશ થાય છે તે-પછી લુપ્ત થએલું છે અને તેમાં દર્શન સંબંધી વિવાદો, રહસ્યભૂત વિવિધ વિષયિક વિવેચન, તથા ચમત્કારી વિદ્યાઓ આદિ હતાં. બાકીનાં અગિયાર અંગો નામે આચારાંગ આદિ શ્વેતાંબર જૈનો હજુ સુધી અમુક પ્રમાણમાં જાળવી શક્યા છે. ૧૯. જેમાં પુરુષનાં ૧૨ અંગ નામે બે પગ, બે જંઘા (સાથળ), બે ઉરૂ, બે ગાત્રાર્ધ-પીઠ અને ઉદર, બે હાથ, એક ડોક અને એક મસ્તક છે, તેવી રીતે સમય-શ્રુતરૂપ પરમ પુરુષના-શ્રુત પુરુષનાસમયપુરુષના આચાર આદિ બાર અંગ છે. જૈન આમ્નાયમાં આને “શ્રુત” કહેવામાં આવે છે તે અન્ય દર્શનમાં જેને “શ્રુતિ' કહેવામાં આવે છે તે જ અર્થમાં છે. અહ પાસેથી સાંભળેલું એવો અર્થ “શ્રુત'નો થઈ શકે. પ્રાચીન બાર અંગો. ૨૦. પ્રાચીનકાળમાં બારે અંગોમાં જે હતું તે સર્વ અખંડપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવના પરિણામે અત્યારે નથી રહ્યું, તેમજ પ્રાચીન અંગોમાં શું હતું તેનું જો કે વિસ્તૃત વિગતવાર વર્ણન અત્યારે સાંપડતું નથી; તોપણ તે પ્રાચીન અંગોમાં સામાન્ય રીતે જે વિષયો હતા તેનો અતિ અલ્પ નિર્દેશ યત્રતત્ર કરવામાં આવ્યો છે. સમવાય નામના અંગમા (તેમજ નંદી સૂત્રમાં) તેનો નિર્દેશ જે છે તે અત્રે સંક્ષેપમાં ઉદ્ધત કરીએ :1 વર્તમાનસૂરિએ પોતાના માવતર નામના ગ્રંથમાં આગમમાંથી એક ગાથા ટાંકી છે ને તત્વનિર્ણય પ્રાસાદ પૃ. ૪૧૨માં જણાવ્યું છે કે : યત મા મે मुत्तूण दिट्ठिवायं कालिय-उक्कालियंगसिद्धतं । थी-बाल-वायणत्थं पाइयमुइयं जिणवरेहिं ॥ -–દષ્ટિવાદ સિવાયના કાલિક-ઉત્કાલિક અંગ-સિદ્ધાંતને સ્ત્રી અને બાલકને વાંચવા માટે જિનવરોથી પ્રાકૃતમાં કહેવાયાં છે. શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણના વિશેષાવશ્યકમાં ૫૫૧મી ગાથા આ પ્રમાણે છે. :जइ विय भूयावाए सव्वस्स वओमयस्स ओआरो। निजूहणा तहावि हु दुम्मेहे इत्थीय ॥ गा. ५५१ ॥ –જો કે ભતવાદ (૧૨મા અંગ નામે દષ્ટિવાદ)માં સર્વ વચોમયવાત્મયનો અવતાર છે (એટલે કે બધુ વાય સમાઇ જાય છે) તથાપિ ખરેખર દુર્મસ (લોકો) માટે અને સ્ત્રીઓ માટે (એ સિવાયનાં બીજાં-૧૧ અંગોની) નિસ્પૃહણા-રચના છે. આ ગાથા પર મલધારી શ્રી હેમચંદ્રસૂરિ પોતાની ટીકામાં સમજાવે છે કે : तेषु च निश्शेषमपि वाङ्मयमवतरति । अतश्चतुर्दशपूर्वात्मकं द्वादशमेवाङ्गमस्तु, किं शेषांगविरचनेन, अंगबाह्यश्रुतरचनेन वा ? xxx तत्र यद्यपि दृष्टिवादे सर्वस्याऽपि वाङ्मयस्याऽवतारोऽस्ति, तथापि दुर्मेधसां तदवधारणाद्ययोग्यानां मन्दमतीनां, तथा श्रावकादीनां स्त्रीणां चानुग्रहाय निर्वृहणा विरचना शेषश्रुतस्येति । -જો બધાં વાલ્મય-બધાં અંગોનો સાર તે ચૌદ પૂર્વમાં આવી જાય છે ચૌદ પૂર્વ તે બારમું અંગ છે, તો પછી બાકીનાં અંગો રચવાનું અથવા અંગબાહ્ય શ્રુત રચવાનું કંઈ કારણ ? ત્યાં જણાવવાનું કે, જો કે દૃષ્ટિવાદ (બારમા અંગોમાં સર્વ વાડ્મય આવે છે, તથાપિ દુર્મધર્સ એટલે તેનું અવધારણ કરવામાં અયોગ્ય એવા મંદમતિઓ તથા શ્રાવકાદિ તથા સ્ત્રીઓના અનુગ્રહ માટે બાકીનાં શ્રતની રચના થઈ છે. (વિશેષાવશ્યક પૃ. ૨૯૮-૨૯૯ ગા. ૫૫૧) ૨૩. શ્રી નંદીસૂત્રની વૃત્તિમાં મલયગિરિજીએ સૂત્ર ૪૩ની ટીકામાં પ્રાચીન ગાથા ‘ઉક્ત' કહીને મૂકી છે કે - पायदुर्ग जंघोरू गायदुगद्धं तु दोय बाहू य । गीवा सिरं च पुरिसो बारस अंगो सुयविसिट्ठो ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy