SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪-૭ વિભાગ-૧, પ્રકરણ-૧, ભ. મહાવીરસ્વામિ પરિગ્રહનો અર્થ સંકુચિત થયો, એટલે કે પરિગ્રહમાં ધન, ધાન્ય જમીન વગેરે ગણાવા લાગ્યું અને સ્ત્રીનો પરિગ્રહ પરિગ્રહ તરીકે ન સમજાય એટલે કે અપરિગ્રહનો અર્થ કેવળ કોઈપણ વસ્તુનો સંગ્રહ કરવો નહિ એવો થવા લાગ્યો, અને કોઈ કોઈ પ્રસંગે સ્ત્રીસંગ કરવાને હરકત નથી એવું કેટલાક દંભી પરિવ્રાજકો પ્રતિપાદન કરવા લાગ્યા, તેથી શ્રી મહાવીરે સર્વથા મૈથુનવિરતિ એ પાંચમો યામ ઉક્ત ચાર યામો સાથે જોડી પંચશિક્ષારૂપે-પંચવ્રતરૂપે ઉપદેશ્યો. ઉત્તરાધ્યયન સૂત્ર). ૫. શ્રી મહાવીરનો જન્મ વિ.સ. પૂર્વે પ૪૨ (ઈ.સ. પૂર્વે પ૯૮)માં અને તેમનું નિર્વાણ પાવાપુરીમાં ૭૨ વર્ષની વયે વિ.સં. પૂર્વે ૪૭૦ (ઇ.સ. પૂર્વે પર૬)માં કાર્તિક (ગુજરાતી આશ્વિન) વદ અમાવાસ્યાને દિને થયું. તે દિને લિચ્છવી રાજાઓએ તે નિર્વાણના સ્મરણાર્થે પોતાના નગરમાં દીપમાલા-રોશની કરી હતી. આથી દીવાલી પર્વ થયું. ને તેમના નિર્વાણથી જૈનોનો શક ચાલતો આવ્યો છે. “ઇતિહાસ ઉપરથી ધર્માચાર્યના નામથી શક ચલાવવાની પહેલ જૈનોએ કરેલી જણાય છે.” (લોકમાન્ય તિલકનું વડોદરાની ત્રીજી જૈન શ્વે. કોન્ફરન્સ વખતે કરેલું ભાષણ). ૬. નિગ્રંથ મહાવીર અને શ્રમણ બુદ્ધ બંને સમકાલીન હતા. બંને નિર્વાણવાદી મહાપુરુષો હતા. બંનેનું લક્ષ્ય એક જ હતું, પરંતુ તે લક્ષ્ય સાધવાની બંનેની પ્રવૃત્તિ ભિન્ન હતી. બંનેના સમયમાં સમાજની અને ધર્મની સ્થિતિ સરખી જ હતી, ને ધાર્મિક અને સામાજિક ચળવળનો તે સમય હતો. ધર્મવિચારનાં પ્રખ્યાત ‘દર્શનોલગભગ આ સમયમાં-ક્ષત્રિયયુગમાં થયાં. વેદવિહિત હિંસા આદિ, ક્રિયાકાંડે ધર્મનું સ્વરૂપ પકડ્યું હતું. શૂદ્રોને અને સ્ત્રીઓને માટે વેદાધ્યયન અને સન્યાસાદિનો નિષેધ હતો. યજ્ઞોથી દેવકૃપા મનાવી મનુષ્યોને તારી આપવાના ક્રિયાકાંડો રચી વર્ણભેદની પ્રચંડ દીવાલો ઉભી કરી પોતાને સર્વોત્તમ-ઉચ્ચત્તમ માની મનાવી બ્રાહ્મણોએ લોભ, લાલચ, અજ્ઞાન અને અભિમાનને વશ થઇ આખા સમાજની સ્થિતિ ઉલટી કરીને બગાડી નાંખી હતી. ૭. જર્મન પ્રોફેસર લોઇમાન Leumann જણાવે છે કે બંને (શ્રી મહાવીર અને બુદ્ધ) ઉત્તમકુળમાં જન્મ પામ્યા હતા, બંને પોતાના જ કુટુંબમાં ઉછરીને મોટા થયા હતા અને બંને આશરે ત્રીશ ત્રીશ વર્ષના સંસારવ્યવહારથી કંટાળી આખરે સાધુ થયા. બંનેએ અતિ આતુરતાથી અને પોતાના પરિપૂર્ણ પરુષાર્થથી તપશ્ચર્યા આદરી, પણ તપ એમને તો કસોટી-પત્થર હતી. મહાવીર એમાં પાર ઉતર્યા અને એને અનુસરીને પોતાનો ધર્મ યોજ્યો નૈતિક સિદ્ધાંતોમાં અને ધાર્મિક ભાવનાઓમાં તો મહાવીર અને બુદ્ધ બંને લગભગ સરખા હતા; મુખ્ય વિષયોમાં તો એકમત જ હતા; એટલું જ નહિ પણ એમના સમયના બીજા વિચારકોના, (કેટલાક) નૈતિક અને ધાર્મિક અભિપ્રાયો સાથે પણ એ બંને એકમત હતા.બ્રાહ્મણધર્મના આચાર્યો જ્ઞાતિભેદના સંકુચિતપણાએ કરીને અને યજ્ઞમાં પશુઓને મારી હોમવાના ધર્મે કરીને બંધાઈ પડ્યા હતા. એજ ધર્મ આ સાધુઓને એકવારે પાપકર્મ લાગ્યું, ૬. તે સૂત્રમાં અધ્યયન ૨૩ ગાથા ૨૩માં કહ્યું છે કે : चाउज्जामो अ जो धम्मो । जो इमो पंचसिक्खिओ ॥ देसिओ वद्धमाणेणं । पासेण य महामुणी ॥ અર્થ : પાર્થ મહામુનિએ જે ચાતુર્યામ ધર્મ કહ્યો છે તે જ વર્ધમાન સ્વામીએ પંચશિક્ષા રૂપે ઉપદેશ્યો છે. ૭. “બુદ્ધ અને મહાવીર' ગૂ. ભાષાંતર કરનાર રા. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ પૃ. ૧૫, ૧૬, ૧૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy