SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ પછી તે મૂક દેવ પોતે વૈદ્યનો આડંબર કરીને અર્હદ્દત્તની પાસે આવ્યો. અર્હદુત્ત તેને જોઈને દીનમુખે બોલ્યો કે “હે વૈદ્યરાજ! મને રોગથી મુક્ત કરો.' વૈદ્ય બોલ્યો કે “તારો આ વ્યાધિ અસાધ્ય છે, તો પણ વિવિધ પ્રકારના ઔષધોથી હું તને નીરોગી કરું; પરંતુ સારું થયા પછી તારે આ મારો ઔષધ તથા શાઓનો કોથળો ઉપાડીને જીવતાં સુધી મારી સાથે ફરવું પડશે.'' તે સાંભળીને અર્હદ્દત્તે તે વાત કબૂલ કરી, એટલે તે માયાવી વૈદ્ય ઔષધો આપીને તેને સારો કર્યો. પછી અર્હદુત્ત તેની સાથે ચાલ્યો. દેવવૈધે તેને વૈદકને યોગ્ય એવાં શાસ્ત્રોથી ભરેલો કોથળો ઉપાડવા આપ્યો. તે કોથળાને માયા વડે અત્યંત ભારવાળો કર્યો. અર્હદુત્ત તેવા અસહ્ય ભારને હમેશાં વહન કરતો વિચારવા લાગ્યો કે ‘“આટલો ભાર હું નિરંતર શી રીતે વહન કરી શકીશ?’' એક દિવસ કોઈક સ્થાને તેણે સંયમઘારી સાધુઓને જોયા. તે વખતે અર્હદુત્તના મનમાં વિવિધ પ્રકારનો ઉદ્વેગ થતો હતો. તે જાણીને દેવવૈદ્યે તેને કહ્યું કે “જો તું દીક્ષા ગ્રહણ કરે તો હું તને છોડી દઉં.’’ તે સાંભળીને મહાભારથી પીડા પામેલો અર્હદુત્ત બોલ્યો કે “હું વજ્ર જેવા આ ભારને હમેશાં ઉપાડી ઉપાડીને કુબ્જ થઈ ગયો છું; તેથી આવો ભાર ઉપાડવા કરતાં તો મારે વ્રત લેવું તે જ સારું છે.’’ પછી તે દેવ તેને મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરાવીને સ્વસ્થાને ગયો. જ દેવના ગયા પછી અર્હદુત્ત વ્રત તજીને પાછો પોતાને ઘેર ગયો. દેવે અવધિજ્ઞાનથી તેને ચારિત્રથી ભ્રષ્ટ જાણ્યો; એટલે ફરીથી જલોદરનો વ્યાધિ ઉત્પન્ન કર્યો, અને પૂર્વની જ જેમ તેને ફરીથી દીક્ષા અપાવી. એ પ્રમાણે ત્રણ વાર દીક્ષા લઈને તેણે મૂકી દીધી. પછી ચોથી વાર દીક્ષા અપાવીને તેને વ્રતમાં સ્થિર કરવા માટે તે દેવ હમેશાં તેની પાસે જ રહેવા લાગ્યો. એકદા માથે તૃણનો ભારો લઈને ચાલતો તે દેવ કોઈ અગ્નિથી બળતા ગામમાં પેસવા લાગ્યો. તે જોઈને અર્હદુત્તે તેને કહ્યું કે “ઘાસનો ભારો લઈને આ અગ્નિથી બળતા ગામમાં કેમ પેસે છે?’’ દેવ બોલ્યો કે “જ્યારે તું આમ જાણે છે, ત્યારે ક્રોધાદિક અગ્નિથી બળતા ગૃહવાસમાં તું કેમ પ્રવેશ કરે છે?’’ તે સાંભળીને પણ બોધ નહીં પામેલા અર્હદુત્તને સાથે લઈને આગળ ચાલતાં તે દેવ સારો માર્ગ મૂકીને ભયંકર અરણ્ય તરફ ચાલ્યો. તે જોઈને અર્હદુત્ત બોલ્યો કે ‘“સારો માર્ગ મૂકીને ઉન્માર્ગે કેમ ચાલે છે?’’ દેવ બોલ્યો કે ‘‘જ્યારે તું એમ જાણે છે, ત્યારે મુક્તિમાર્ગને મૂકીને ભવાટવીમાં પેસવાની કેમ ઇચ્છા કરે છે?’’ આવી રીતે કહ્યા છતાં પણ અર્હદ્દત્ત બોધ પામ્યો નહીં, તો પણ ‘કાયર ન થવું એ જ સંપત્તિનું સ્થાન છે' એમ જાણીને તે દેવ તેની સાથે જ આગળ ચાલ્યો. માર્ગમાં કોઈ એક ચૈત્યમાં લોકોથી પૂજાતાં છતાં નીચે મુખે પડતા એક યક્ષને તેણે દિવ્ય શક્તિથી બતાવ્યો. તે જોઈને અર્હદત્તે કહ્યું કે ‘“આ વ્યંતર જેમ જેમ લોકોથી પૂજાય છે તેમ તેમ અધોમુખ થઈને નીચે પડતો જાય છે, માટે આ યક્ષના જેવો બીજો કોઈ અઘન્ય પૃથ્વી પર જણાતો નથી.’’ તે સાંભળી તેને દેવે કહ્યું કે “સંયમરૂપી ઊંચે સ્થાને સ્થાપન કર્યા છતાં પણ તું વારંવાર નીચે પડે છે, માટે હે મૂર્ખશિરોમણિ! તું તેના કરતાં વિશેષ અધન્ય છે.’’ તે સાંભળીને અર્હદુત્તે તેને પૂછ્યું કે ‘વારંવાર આવી રીતે બોલનાર તમે કોણ છો?’’ ત્યારે તે દેવે પોતાનું મૂકના ભવવાળું સ્વરૂપ દેખાડી તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને અર્હદ્દત્તે તેને પૂછ્યું કે “હું પૂર્વ ભવે દેવ હતો તેની ખાતરી શી?’’ એટલે દેવ તેને વૈતાઢ્ય પર્વત પર લઈ ગયો, અને પુષ્કરિણી વાવમાં ગોપવેલાં તેના નામથી અંકિત એવાં બે કુંડળો કાઢીને તેને દેખાડ્યાં. તે જોઈને અર્હદ્દત્તને જાતિસ્મરણ થયું, Jain Education International For Private & Personal Use Only www.jainemetary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy