SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૫] મોહત્યાગ ભાવાર્થ-“હે તાપસ શ્રેષ્ઠી! આ મૌનવ્રત કરીને શું ? માટે ઘર્મને જાણીને તેનો આદર કર. તું મરીને શૂકર અને પછી સર્પ થયો હતો, અને હમણા પુત્રનો પુત્ર થયો છે.” આ ગાથા સાંભળીને વિસ્મય પામેલા મૂકે તે મુનિને નમીને પૂછ્યું કે “આ વાત તમે શી રીતે જાણી?” તે સાઘુઓ બોલ્યા કે “અમારા ગુરુ ગામ બહાર ઉદ્યાનમાં રહેલા છે, તેમના વચનથી અમે જાણીએ છીએ.” તે સાંભળીને મૂક તેમની સાથે ઉદ્યાનમાં ગયો. ત્યાં ગુરુ પાસે દેશના સાંભળીને તેણે મૌનપણું મૂકી શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. અહીં દેવલોકમાં જાતિમદવાળો પુરોહિતનો પુત્ર જે દેવ થયેલો છે તેણે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ જિનેશ્વરને પ્રશ્ન કર્યો કે “હું સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું?” પ્રભુએ જવાબ આપ્યો કે “તું દુર્લભબોધિ છે; પણ સ્વર્ગથી ચવીને કૌશાંબી નગરીમાં મૂકનો ભાઈ થવાનો છે; તેનાથી તને ઘર્મની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે સાંભળીને તે દેવે કૌશાંબીમાં આવીને મૂકને કહ્યું કે “હું સ્વર્ગમાંથી ચવીને તારી માતાના ઉદરમાં ઉત્પન્ન થઈશ. તેને અકાળે આમ્ર ફળ ખાવાનો દોહદ થશે. તેને માટે મેં આજથી આ સમીપના પર્વત પર હંમેશાં ફળ આપે તેવું આમ્રવૃક્ષ રોપ્યું છે. તેથી જ્યારે તે માતા તારી પાસે ઘણા આગ્રહથી આમ્રફળ માગે ત્યારે તેની પાસે તારે એટલા અક્ષરો લખવા કે હે માતા! ગર્ભમાં રહેલો પુત્ર જો તું મને આપે તો હું તારો દોહદ પૂર્ણ કરું.” આ તારું વચન જ્યારે તે સ્વીકારે, ત્યારે તારે તેને આમ્રફળ લાવી આપવા. મારો જન્મ થયા પછી મને તારે સ્વાધીન રાખીને જૈન ઘર્મનો બોધ આપવો. વળી વૈતાઢ્ય પર્વત ઉપર પુષ્કરિણી વાવમાં મેં મારા નામથી અંકિત બે કુંડળો ગોપવ્યાં છે, તે મને ખાતરીને માટે બતાવવાં. કદાચ તું મરીને સ્વર્ગમાં જાય, તો પણ મારી ઉપેક્ષા કરવી નહીં” આ પ્રમાણેના તે દેવના વચનને મૂકે અંગીકાર કર્યું, એટલે તે દેવ સ્વસ્થાને ગયો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે દેવ ચવીને મૂકની માતાની કુક્ષિમાં અવતર્યો. તેને તુ વિના કેરી ખાવાનો દોહદ થયો, તે વખતે દેવની વાણીનું સ્મરણ કરીને મૂક બોલ્યો કે “હે માતા! જો તું મને આ ગર્ભમાં રહેલા પુત્રને આપે, તો હું તને આમ્રફળ લાવી આપું.” માતાએ તેમ કરવાનું કબૂલ કર્યું, એટલે તે મૂકે દેવે કહેલા પર્વત પરથી આમ્રફળ લાવી આપીને માતાનો દોહદ પૂર્ણ કર્યો. સમય પૂર્ણ થતાં તેણે પુત્ર પ્રસવ્યો. માતાપિતાએ હર્ષથી તે પુત્રનું અહંદુત્ત એવું નામ પાડ્યું. પછી મૂક પોતાના ભાઈનું બાલ્યાવસ્થાથી જ લાલનપાલન કરવા લાગ્યો અને ચૈત્યમાં તથા ઉપાશ્રયમાં સાથે લઈ જવા લાગ્યો. પણ તે બાળક મુનિઓને જોઈને મોટેથી રોવા લાગતો, અને તેમને વંદના પણ કરતો નહીં. મૂકે તેને ઘણી રીતે સમજાવ્યો, પણ તે બાળક સાઘુની ગબ્ધને પણ સહન કરતો નહીં. છેવટ તેને સમજાવતાં મૂક થાકી ગયો, તોપણ તે (અહંદુત્ત) ઘર્મ પામ્યો નહીં. એટલે મૂક તો સાધુ પાસે દીક્ષા લઈને અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગ ગયો. ત્યાં તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ દીઘો તો પોતાના નાના ભાઈ અહંદુત્તને ચાર સ્ત્રીઓ સાથે પરણેલો જોયો. મૂક દેવે તેણે કહેલું અને પોતે સ્વીકાર કરેલું પૂર્વ ભવનું વાક્ય સંભાર્યું, અને તેને પ્રતિબોઘ કરવા માટે પ્રથમ તેના શરીરમાં જલોદરનો વ્યાધિ ઉત્પન્ન કર્યો. તે વ્યાધિના ભારથી અર્વદત્ત ઊઠી પણ શકતો નહીં. સર્વે વૈદ્યો તેની ચિકિત્સા કરી કરીને થાક્યા, પણ કોઈથી સારું થયું નહીં, તેથી સર્વ વૈદ્યોએ તેનો ત્યાગ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy