SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૧ અહદત્તની કથા અચલપુરના રાજાનો પુત્ર યુવરાજ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા ગ્રહણ કરીને વિહાર કરતાં અવન્તિ નગરીમાં આવ્યો. ત્યાં મધ્યાહ્નકાળે ભિક્ષા માટે રાજમંદિર તરફ જતા તે મુનિને જોઈને લોકોએ કહ્યું કે “આ ગામમાં રાજાનો પુત્ર અને પુરોહિતનો પુત્ર સાઘુને જોઈને તેને પીડા કરે છે; માટે આપે આ ગામમાં રહેવા જેવું નથી.” આ પ્રમાણે સાંભળ્યા છતાં પણ ભયરહિત મુનિ ત્યાં જઈને ઊંચે સ્વરે “ઘર્મલાભ' એમ બોલ્યા. તે સાંભળીને એક સ્થાનમાં રહેલા જાણે બે પાપગ્રહો હોય તેવા તે બન્ને જણા મુનિ પાસે આવીને બોલ્યા કે “હે સાધુ! તું અમારી પાસે નૃત્ય કર, અમે વાજિંત્ર વગાડીએ.” ત્યારે સાઘુએ કહ્યું કે બહુ સારું.” પછી સાઘુ નૃત્ય કરવા લાગ્યા અને તે બન્ને વાજિંત્ર વગાડવા લાગ્યા. થોડી વારે સાધુએ તે બન્નેને તિરસ્કારથી કહ્યું કે “અરે! કૌળિકો (કોળીના પુત્રો!) તમને વાજિંત્ર વગાડતાં બરાબર આવડતું નથી, કેમકે તમે મૂર્ખ છો.” આ પ્રમાણે સાંભળીને તે બન્ને ક્રોધથી મુનિને મારવા દોડ્યા; એટલે નિયુદ્ધ કુશળ મુનિએ તેમના શરીરના અવયવોને સંધિમાંથી ઉતારી નાંખ્યા. આ પ્રમાણે મુનિના વેષીઓને શિક્ષા આપીને તે યુવરાજ મુનિ ત્યાંથી નગર બહાર ચાલ્યા ગયા. પછી રાજા તથા પુરોહિતને તે વાતની ખબર થતાં પોતાના પુત્રોની અતિ દુઃખી અવસ્થા જોઈને અત્યંત ખેદ પામ્યા સતા તત્કાળ યુવરાજ ઋષિની પાસે આવ્યા. ત્યાં તેમને ઓળખીને રાજા વિજ્ઞપ્તિ કરવા લાગ્યો કે “હે ભાઈ! તમારા ભત્રીજાને સાજો કરો ને તે બાળકનો અપરાધ ક્ષમા કરો.” મુનિ બોલ્યા કે “હે રાજા! જો તે બન્ને પુત્રો હિતકારી એવા વ્રતને આદરે તો તરત જ તે બન્નેને હું સાજા કરું. તે સિવાય તેમને સાજા નહીં કરું.” તે સાંભળીને તે બન્ને કુમારોને મુનિ પાસે લાવવામાં આવ્યા. તેઓએ મુનિનું વચન અંગીકાર કર્યું. તેથી મુનિએ પ્રથમ તેમનો લોચ કર્યો, અને પછી તેમને સાજા કરીને દીક્ષા આપી. ત્યાર પછી રાજપુત્ર શંકારહિત વ્રતનું પાલન કરવા લાગ્યો. પણ પુરોહિતનો પુત્ર જાતે બ્રાહ્મણ હોવાથી ચારિત્રનું પાલન કરતા છતાં પણ “મને આ મુનિએ બળાત્કારે દીક્ષા આપી છે.” એમ મનમાં તેમના પર અભાવ રાખવા લાગ્યો. અનુક્રમે તે બન્ને મરણ પામીને દેવતા થયા. કૌશાંબી નામની નગરીમાં કોઈ એક તાપસ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તે મરણ પામીને પોતાના ઘરના ઉકરડામાં જ શૂકર (ભંડ) થયો. તેને પોતાનો મહેલ વગેરે જોવાથી જાતિસ્મરણ થયું. અન્યદા તેના છોકરાઓએ તેના જ શ્રાદ્ધને દિવસે તેને જ (તે શૂકરને) માર્યો. તે મરીને પોતાના ઘરમાં સર્પ થયો. એકદા તે સર્પ ઘરમાં ફરતો હતો, તેને જોઈને તેના પુત્રોએ મારી નાંખ્યો, તે મરીને પોતાના પુત્રનો જ દીકરો થયો. તેને પૂર્વની જેમ જાતિસ્મરણ થયું. તેથી “પુત્રની વહુને મા અને પુત્રને પિતા શી રીતે કહું ?” એમ વિચારીને તેણે મૌન ધારણ કર્યું. તેથી તેનું નામ અશોકદર પાડ્યું હતું, છતાં મૂક નામ સર્વત્ર પ્રસિદ્ધ થયું. એકદા તે નગરીમાં ચાર જ્ઞાનને ઘારણ કરનાર કોઈ સૂરિ સમવસર્યા. તેમણે પોતાના બે સાધુને નીચેની ગાથા શીખવીને મૂકને ઘેર મોકલ્યા तावस किमिमिणा मूअव्वएण, पडिवज जाणिउं धम्म । मरिउण सुअरोरग, जाओ पुत्तस्स पुत्तोसि ॥४॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy