SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૫] મોહત્યાગ ૮૫ એક આંગળીને પોતાના શ્લેષ્મ (થૂંક) વડે લેપ કરીને સુવર્ણ જેવી કરી બતાવી. પછી મુનિ બોલ્યા કે–‘આઠ કર્મને ભાવવ્યાધિઓ કહેલી છે. તે કર્મોની એકસો ને અઠ્ઠાવન પ્રકૃતિઓ કહેલી છે. તેમના પ્રતિકારને હું પોતે ક્રિયા વડે કરું છું. તે પ્રતિકાર જ્ઞાનવિકળ અને ક્રિયામાં નપુંસક જેવા પુરુષોને અતિ દુષ્કર છે. હું મારા ચિત્તને શુભ ક્રિયા રહિત ક્ષણવાર પણ રાખતો નથી; તે છતાં પણ ભાવરોગોથી હમેશાં ભય પામતો રહું છું. માટે જો તમે ખરા વૈદ્ય હો તો મારા ભાવરોગનો પ્રતિકાર કરો.’’ આ પ્રમાણે સાંભળીને તે બન્ને દેવો પોતાના આગમનનું કારણ કહી તેમની સ્તુતિ કરીને પોતાને સ્થાને ગયા, અને સર્વ વૃત્તાંત ઇન્દ્રને નિવેદન કર્યાં. સનત્કૃમાર મુનીશ્વર ખડ્ગધારા સમાન તીવ્ર વ્રતનું પાલન કરીને અંતે અનશન ગ્રહણ કરી ઉપાધિરહિત સમાધિ વડે દેહને તજી દઈ ત્રીજા દેવલોકમાં મહર્ધિક દેવતા થયા. વ્યાખ્યાન ૩૦૫ મોહત્યાગ स्वरूपानवबोधेन, मोहमूढा ममत्वगाः । भ्रमन्ति भवकान्तारे, हेयो मोहस्ततोऽशुभः ॥ १॥ ભાવાર્થ-‘આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે મોહમાં મૂઢ થયેલા અને સંસારમાં મમતાવાળા જીવો ભવાટવીમાં ભ્રમણ કર્યા કરે છે, માટે એ અશુભ મોહ ત્યાગ કરવા લાયક છે.’’ આ શ્લોકના અર્થનું સમર્થન કરવા માટે અહીં એવી ભાવના કરવાની કે જ્ઞાનાદિક ગુણના સુખનો રોઘ કરનારા, ચંચળ સ્વભાવવાળા, અનંત જીવોએ અનંતવાર ભોગવી ભોગવીને મૂકી દીધેલા, જડ અને અગ્રાહ્ય એવા પુદ્ગલોમાં ગ્રહણરૂપ જે વિકલ્પ (પુદ્ગલો ઉપર જે મમતા) તે મોહ કહેવાય છે. આવા મોહમાં આસક્ત થયેલા જીવો ભવાટવીમાં પરિભ્રમણ કરે છે. તેથી તે મોહનો ત્યાગ કરવો યોગ્ય છે. કહ્યું છે કે— अप्पा नाणसहावी, दंसणसीलो विसुद्धसुहरूवो । સો સંસારે મમ, સો ોસો જી મોહમ્સ શા ભાવાર્થ—“જ્ઞાન દર્શનના સ્વભાવવાળો અને વિશુદ્ધ સુખરૂપ એવો આત્મા પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે દોષ મોહનો જ છે.'' મોહનો ત્યાગ શુદ્ધ આત્મજ્ઞાને કરીને થઈ શકે છે. ‘‘જ્ઞાનાદિક અનંત ગુણ પર્યાયવાળો, નિત્યાનિત્ય વગેરે અનંત સ્વભાવવાળો, અસંખ્ય પ્રદેશી, સ્વભાવપરિણામી (આત્મભાવના પરિણામવાળો), પોતાના સ્વભાવનો જ કર્તા અને ભોક્તા ઇત્યાદિ ગુણવાળો શુદ્ધ આત્મા તે જ હું છું. હું અનંત સ્યાદ્વાદ સત્તાનો રસિક છું. એક સમયમાં ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં રહેલા સર્વ દ્રવ્યપર્યાયોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને જણાવનારું જે જ્ઞાન તે મારો (આત્માનો) ગુણ છે.” ઇત્યાદિક આત્મસ્વરૂપને જાણનારો મનુષ્ય જ મોહનો જય કરે છે; બીજો જય કરી શકતો નથી. કેમકે મોહનીય કર્મ અતિ દુર્જય છે. આ સંબંધમાં અર્હદ્દત્તની કથા છે તે નીચે પ્રમાણે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy