SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ છે.” તે સાંભળીને ચક્રી પોતાના શરીરને વિવર્ણ તેજવાળું જોઈ વિચારવા લાગ્યા તે આ પ્રમાણે *अचिन्तयच्च धिगिदं, सदागदपदं वपुः । मुधैव मुग्धाः कुर्वन्ति, तन्मूछौँ तुच्छबुद्धयः॥१॥ शरीरमन्तरुत्पन्नाधिभिर्विविधैरिदम् । વીર્યક્તિ દ્વાર્થ, ઈ વીરગMરિવારના अद्यश्वीनविनाशस्य, शरीरस्य शरीरिणाम् । सकामनिर्जरासारं, तप एव महत्फलम् ॥३॥ ભાવાર્થ-“ચક્રીએ વિચાર્યું કે નિરંતર વ્યાધિના સ્થાનભૂત એવા આ શરીરને ધિક્કાર છે! આવા શરીરની મૂચ્છ તુચ્છ બુદ્ધિવાળા મૂર્ખ માણસો ફોગટ જ કરે છે. શરીરની અંદર ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના ભયંકર વ્યાધિઓએ કરીને કીડાના સમૂહ વડે કાષ્ઠની જેમ આ શરીર વિદીર્ણ થાય છે. આજ કે કાલ નાશ પામવાવાળા શરીરનું મોટું ફળ સકામ નિર્જરાના સારવાળું તપ કરવું તે જ છે.” ઇત્યાદિ વિચાર કરીને સનકુમાર ચક્રીએ ચક્રીપણાની ઋદ્ધિને તજી દઈને વિનયંઘર નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી તેઓ ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી વિચરવા લાગ્યા. તેમની પાછળ છ માસ સુધી વિવિઘ પ્રકારના આલાપ કરતી તેમની રાણીઓ તથા મંત્રીઓ વગેરે ફર્યા પણ તે મુનીન્દ્ર દ્રષ્ટિ વડે જોવા જેટલી પણ તેમની સંભાવના કરી નહીં. છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરીને પારણાને દિવસે ગોચરી માટે ફરતાં અન્યદા કુરીયા અને બકરીની છાશ તેમને પ્રાપ્ત થઈ. તેનો આહાર કરવાથી તેમના શરીરમાં સાત વ્યાધિઓ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે शुष्ककच्छु ज्वरः श्वासः, काशश्चान्नारुचिस्तथा । __ अक्षिदुःखं तुंददुःखं, सप्तैतेऽत्यन्तदारुणाः॥१॥ ભાવાર્થ-“સૂકી ખરજ, વર, શ્વાસ, કાશ (ખાંસી), અન્નપર અરુચિ, નેત્રરોગ અને ઉદરરોગ એ સાત વ્યાધિઓ અત્યંત દારુણ છે.” આ સાત વ્યાધિના દુઃખને તેમણે સાતસો વર્ષ સુધી સહન કર્યું, પણ કોઈ વખત પોતાના દેહમાં વ્યાધિઓ છે એવો ઉપયોગ પણ તેમણે દીઘો નહીં. સંયમની ક્રિયારહિત એક ક્ષણ પણ તેમની નિર્ગમન થતી નહીં કે જે વખતે વ્યાધિનું સ્મરણ થાય. આવી તેમની ચારિત્રમાં સ્થિરતા જોઈને સભામાં બેઠેલા સૌઘર્મ ઇન્દ્ર સર્વ દેવોની સમક્ષ કહ્યું કે-“અહો! સનસ્કુમાર મુનિની કેવી અનુપમ સ્થિરતા છે, કે જે વ્યાધિના પ્રતિકારની ઇચ્છા પણ કરતા નથી.” તે સાંભળીને પેલા પ્રથમના જ બે દેવો પરીક્ષા કરવા માટે વૈદ્યનું રૂ૫ ઘારણ કરીને પૃથ્વી પર આવ્યા. તે વૈદ્યોએ મુનિને કહ્યું કે-“હે મુનિ! જો આપની આજ્ઞા હોય તો અમે વૈદ્યો આપના વ્યાધિની નિર્દોષ ઔષઘથી ચિકિત્સા કરીએ.” મુનિ બોલ્યા કે–“દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની વ્યાધિઓ છે. તેમાં દ્રવ્ય એટલે બાહ્ય વ્યાધિના પ્રતિકારને તો હું પણ જાણું છું.” એમ કહીને તે મુનિએ પોતાની * આ શ્લોકો શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં ચોથા ચક્રીની ભાવનામાંથી લીધેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy