SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાનત્યાગ ૯ વ્યાખ્યાન ૩૦૬]. તેથી પ્રતિબોઘ પામીને તે ભાવચારિત્ર પામ્યો. આ રીતે તેને ઘર્મમાં સ્થિર કરીને તે મૂકી દેવા સ્વસ્થાને ગયો. સર્વ કર્મમાં શ્રી જિનેશ્વરે મોહને અતિ દુર્જય કહેલો છે, તે મોહનો મૂક દેવે ત્યાગ કરાવ્યો ત્યારે જ અહંદત્ત ઘર્મ પામીને મોક્ષે ગયો.” વ્યાખ્યાન ૩૦૬. અજ્ઞાનત્યાગ मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः । ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥१॥ ભાવાર્થ-“અજ્ઞ એટલે આત્મભાવ અને પરભાવને નહીં જાણનારો માણસ અજ્ઞાન એટલે અયથાર્થ ઉપયોગમાં વિષ્ટામાં શૂકરની જેમ મગ્ન થાય છે, અને માનસરોવરમાં રાજહંસની જેમ જ્ઞાની યથાર્થ ઉપયોગવાળા તત્ત્વાવબોઘમાં (આત્મસ્વરૂપમાં) મગ્ન થાય છે.” આ સંબંધમાં સાલ અને મહાસાલનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે સાલ અને મહાસાલની કથા પૃષ્ઠચંપા નગરીના રાજાના પુત્રો સાલ અને મહાસાલ બન્ને યુવરાજ હતા. અન્યદા તે નગરીમાં શ્રી વીરસ્વામી સમવસર્યા. પ્રભુને વાંદવા માટે તે બન્ને ભાઈઓ મોટી ઋદ્ધિ સહિત ગયા. ત્યાં શ્રી વીરપ્રભુને નમીને ઘર્મ શ્રવણ કરી વૈરાગ્ય પામી પોતાને ઘેર ગયા. પછી પોતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સોંપીને જિનેશ્વર પાસે તે બન્નેએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર સાધુ પાસે તેઓએ સંપૂર્ણ અગિયાર અંગનો અભ્યાસ કર્યો. એકદા શ્રી વિરપ્રભુની આજ્ઞા લઈને શ્રી ગૌતમસ્વામીની સાથે પોતાના કુટુંબને પ્રતિબોઘ કરવા માટે તેઓ પૃષ્ઠચંપાએ આવ્યા. તેમનું આગમન સાંભળીને ગાંગિલ રાજા તેમને વાંદવા આવ્યો. ગણધર મહારાજને તથા સાલ મહાસાલ મુનિને નમીને તે દેશના સાંભળવા બેઠો. તે વખતે ચાર જ્ઞાનને ઘારણ કરનાર શ્રી ગૌતમસ્વામીએ દેશનાનો આરંભ કર્યો निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥१॥ ભાવાર્થ-“નિર્વાણપદ એટલે કર્મરહિત થવાના હેતભૂત એવા એક મોક્ષપદની જ સ્યાદ્વાદના સાપેક્ષપણાએ વારંવાર ભાવના કરાય એટલે આત્માને તન્મય કરાય, સ્વરૂપમાં એકતા થાય તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, જે જ્ઞાન વડે આત્મા અનાદિ કાળથી નહીં પામેલા આત્મસુખનો અનુભવ કરે છે. બાકી આત્મજ્ઞાનથી વ્યતિરિક્ત બીજા વાણીના વિસ્તારવાળા એવા ઘણા સંવેદન જ્ઞાન વડે કાંઈ આત્મસુખનો નિશ્ચય થતો નથી. કેમકે થોડું પણ અમૃતસદ્દશ જ્ઞાન જ અનાદિ કર્મરોગનો નાશ કરનારું છે. वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा । તાજું નૈવ છત્તિ, તિતલવાત રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy