SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ ડબેલો હોવાથી હું પુરુષ છતાં પણ મને ધિક્કાર છે!” પછી રાજીમતીની સન્મતિથી બોઘ પામીને રથનેમિ મુનિએ તત્કાળ તે સાધ્વીને મિથ્યાદુષ્કત આપીને પ્રભુ પાસે જઈ ફરીથી સાધુધર્મ અંગીકાર કર્યો. રાજીમતી સાધ્વી પણ ગૃહસ્થપણામાં ચારસો વર્ષ, છદ્મસ્થપણામાં એક વર્ષ અને કેવળજ્ઞાન અવસ્થામાં પાંચસો વર્ષ રહીને કુલ નવસો ને એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદને પામી. કામદેવનાં પાંચ બાણના નિવારણ માટે પાંચ મહાવ્રતરૂપી શસ્ત્રો ઘારણ કરવાં, તેમાં પણ વિશેષે કરીને સ્થિરતા ઘારણ કરવી; કેમકે સ્થિરતા વિના પાંચ મહાવ્રતો નિષ્ફળખાય છે.” વ્યાખ્યાન ૩૦૪ મુનિનો સ્થિરતા ગુણ नेच्छन्ति मुनयः केचिच्चिकित्सां व्याधिपीडिताः । निष्प्रकंपा यतेधर्मे, श्रीमत्सनत्कुमारवत् ॥१॥ ભાવાર્થ-“કેટલાક મુનિઓ વ્યાધિથી પીડિત થયા છતાં પણ તે રોગની ચિકિત્સા કરવાને ઇચ્છતા નથી, અને શ્રીમાન્ સનકુમાર ચક્રીની જેમ યતિધર્મમાં કંપરહિત (સ્થિર) રહે છે.” સનસ્કુમાર ચક્રવતની કથા કાંચનપુરમાં વિક્રમશ નામે રાજા હતો. તેને પાંચસો રાણીઓ હતી. તે પુરમાં નાગદત્ત નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. એકદા રાજા માર્ગમાં જતાં વિષ્ણુશ્રીને જોઈને મોહ પામ્યો. તેથી તેનું હરણ કરીને તેને પોતાના અંતઃપુરમાં રાખી. તે વિષે ઘર્મોપદેશમાળાની વૃત્તિમાં કહ્યું છે કે सन्ति मार्गणघातानां, सोढारः प्रचुरा युधि । विरलास्तु स्मरशस्त्रप्रहाराणामिहावनौ ॥४॥ ભાવાર્થ-“યુદ્ધમાં બાણના ઘાતને સહન કરનારા ઘણા હોય છે, પણ કામદેવના શસ્ત્રપ્રહારને સહન કરનારા આ પૃથ્વીમાં વિરલા હોય છે.” પોતાની સ્ત્રીના વિયોગથી વિહ્વળ થયેલો નાગદત્ત મહા દુઃખી હાલતમાં આખા શહેરમાં ભટકવા લાગ્યો. વિષ્ણુશ્રીને અંતઃપુરમાં લાવવાથી રાજાની ઉપર બીજી સર્વે રાણીઓએ કોપ પામીને તે વિષ્ણુશ્રીને કાર્મણપ્રયોગથી મારી નાંખી; પરંતુ વિષ્ણુશ્રીના મોહમાં પડેલા રાજાએ તેને મરેલી ઘારી નહીં, પણ કાંઈ કારણસર રિસાણી છે એમ માનીને તે તેના પગમાં પડ્યો અને બોલ્યો કે “હે પ્રિયે! અપરાધ વિના મારા પર તું શા માટે કોપ કરે છે?” આવાં વાક્યોથી પણ જ્યારે તે બોલી નહીં, ત્યારે તેને પોતાના ખોળામાં બેસાડી. મંત્રીઓએ રાજાને ઘણી રીતે સમજાવ્યો, પરંતુ રાજાએ તેને અગ્નિસંસ્કારાદિક કાંઈ કાર્ય કરવા દીધું નહીં. છેવટે મંત્રીઓએ રાજાને કોઈ બાબતનો વિચાર કરવાના મિષથી કાર્યમાં વ્યગ્ર કર્યો. પછી રાજાની દ્રષ્ટિને છેતરીને તે વિષ્ણુશ્રીના શબને વનમાં લઈ જઈને મૂકી દીધું. થોડીવારે રાજા વિચાર કરીને પાછો આવ્યો, ત્યારે વિષ્ણુશ્રીને જોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy