SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૪] મુનિનો સ્થિરતા ગુણ ૮૧ નહીં. તેથી તે મૂર્છા પામ્યો. મંત્રીઓએ તેને ચંદનના જળથી સિંચન કરી સાવધ કર્યો. એટલે રાજાએ કહ્યું કે “મારી પ્રિયા ક્યાં છે? જ્યાં હોય ત્યાંથી લાવીને મને બતાવો.’’ મંત્રી બોલ્યા કે ‘‘હૈ સ્વામી! આપના વિરહથી પીડા પામીને તે વાડીમાં ગયેલ છે. પરંતુ આપના ઉપરનો ક્રોધ તજીને આપના ગુણનું સ્મરણ કરી હમણા પાછી આવશે, માટે આપ તેની ચિંતા ન કરો.’' તે સાંભળીને રાજા અન્નાદિકનો ત્યાગ કરીને બેઠો. આ પ્રમાણે રાજા બે દિવસ સુધી શોકમગ્ન રહ્યો. ત્યારે મંત્રીઓ તેને વિષ્ણુશ્રીના શબ પાસે લઈ ગયા. તે શબને જોયું તો તેનું મુખ પહોળું થઈ ગયેલું હોવાથી અંદ૨ના દાંત દેખાવાને લીઘે તે ભયંકર લાગતું હતું, પક્ષીઓએ વજ્ર જેવી ચાંચો મારીને તેના બન્ને નેત્રો ઉખેડી નાંખેલાં હતાં, તેના દેહમાં કીડા પડ્યા હતા, નાક અને કાન પક્ષીઓ ખાઈ ગયા હતા; શિયાળ, કાગડા, કૂતરા અને ઘુવડ વગેરેએ તે શબને ચાવી નાખ્યું હતું, તેથી તેમાંથી નીકળતું દુર્ગંધવાળું પાણી પૃથ્વીને આર્દ્ર કરતું હતું. આવી સ્થિતિમાં તે શબને જોઈને રાજાને ૫૨મ વૈરાગ્ય પ્રાપ્ત થયો. તે વિચારવા લાગ્યો કે—‘‘જ્યાં સુધી મારો જીવ આ શરીરને તજીને જાય નહીં, ત્યાં સુધીમાં હું આ શરીરે કરીને મારા આત્માનું હિત કરું.’’ ઇત્યાદિ વિચારીને તેણે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. પછી ચારિત્રનું પાલન કરી તપ તપીને ત્રીજા સ્વર્ગે દેવતા થયો. ત્યાંથી ચવીને રત્નપુરમાં જિનધર્મ નામે વણિક થયો. પેલો નાગદત્ત પણ ભવમાં ભ્રમણ કરીને સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થયો; તેણે તાપસપણું અંગીકાર કર્યું. તે તાપસ બે માસ ઉપવાસના પારણા માટે રત્નપુરમાં આવ્યો. રાજાએ પારણા માટે નિમંત્રણ કર્યું. ત્યાં જિનધર્મ શ્રાવકને જોઈને તેણે રાજાને કહ્યું કે “જો આ વણિકના પૃષ્ઠ પર ઉષ્ણ ભોજનપાત્ર રાખીને જમાડો તો હું જમું.’’ તે સાંભળીને રાજાએ તે પ્રમાણે કરાવ્યું. ભોજનપાત્ર અતિ ઉષ્ણ હોવાથી જિનધર્મના પૃષ્ઠની ચામડી ઊખડી ગઈ; તો પણ તેણે ક્રોધ કે દ્વેષ કર્યા વિના પોતાના પૂર્વકર્મનું જ એ ફળ છે એમ ધાર્યું; પછી તેણે સાત ક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરીને વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે અનશન કરી એક માસે કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર થયો. પેલો તાપસ તે ઇન્દ્રનો એરાવણ હસ્તી થયો. તે હસ્તી ત્યાંથી ચવીને ભવમાં ભ્રમણ કરી અમિત નામે યક્ષ થયો; અને જિનધર્મનો જીવ જે ઇન્દ્ર થયો હતો તે આયુષ્ય પૂર્ણ થતાં ચવીને ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત સનકુમાર નામનો ચોથો ચક્રવર્તી હસ્તિનાપુરમાં અશ્વસેન રાજાની પટરાણી સહદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયો. તે ચક્રીને મહેન્દ્રસિંહ નામે એક મિત્ર હતો. એકદા વસંત ઋતુને વિષે યુવાવસ્થાના આરંભમાં મિત્ર સહિત સનસ્કુમાર નંદનવન જેવા મકરંદ નામના વનમાં ગયો. ત્યાં કોઈ અશ્વપાલકે એક જાતિવંત અશ્વ કુમારને ભેટ તરીકે આપ્યો. તેના પર ચઢીને સનકુમાર તેને ચલાવવા લાગ્યો, તેવામાં તે અશ્વ એક ક્ષણમાં સર્વ જનને અદૃશ્ય થઈ ગયો. તે ખબર અશ્વસેન રાજાને થતાં તેણે ઘણી શોઘ કરાવી, પણ અશ્વ તથા પુત્રની શોધ મળી શકી નહીં. પછી સનકુમારનો મિત્ર મહેન્દ્રસિંહ રાજાની ૨જા લઈને મિત્રની શોઘ માટે ચાલ્યો. એક વર્ષ સુધી તે મોટા અરણ્યમાં ભટક્યો, પણ મિત્રની પ્રાપ્તિ થઈ નહીં. એકદા સારસ પક્ષીનો ધ્વનિ સાંભળીને તે શબ્દને અનુસારે આગળ ગયો, તો એક સરોવર તેના જોવામાં આવ્યું. તે સરોવરની પાસે કદલીગૃહમાં સ્ત્રીઓના સમૂહથી અનુસરતા બંદીજનના મુખથી એક સ્તુતિનો શ્લોક મહેન્દ્રસિંહે સાંભળ્યો કે– Jain Educt wal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy