SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૧ આવવાનો જે આરંભ કર્યો છે તે સર્વને કૃપાઘર્મ જણાવવા માટે, અને પશુના સમૂહને મુકાવવા માટે જ કર્યો છે.” એમ કહીને રુદન કરતા સર્વ યાદવોની ઉપેક્ષા કરીને નેમિનાથજી ઘરે આવ્યા. પછી ઇન્દ્રની આજ્ઞાથી જંભક દેવોએ લાવીને ઘરેલા સુવર્ણથી પ્રભુએ વરસીદાન આપીને ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લીઘા પછી ચોપન દિવસે આશ્વિન માસની અમાવાસ્યાએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર સ્થિત હતો તે વખતે જન્મથી જ બ્રહ્મચર્યાવસ્થામાં રહેલા પ્રભુને રૈવતક (ગિરનાર) પર્વત ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અહીં ભોજરાજ (ઉગ્રસેન)ની પુત્રી રાજીમતી, પ્રભુએ જ્યારે રથ પાછો વાળ્યો ત્યારે આવેલી મૂછને લીધે, તત્કાળ પૃથ્વી પર પડી ગઈ. તેની સખીઓએ તેને અનેક ઉપચારોથી સાવઘ કરી, એટલે રાજીમતી મુખરૂપી ચંદ્રના સંબંઘથી જાણે કરમાઈ ગયા હોય તેવા હસ્તકમળને કપોલ પર રાખી વિલાપ કરવા લાગી કે “હે ઈશ! જ્યારે તમે પાછું વળવાનું આગળથી જ ઘારી રાખ્યું હતું. તો મને આવી રીતે છેતરી શા માટે? સત્પરુષને આવું કાર્ય કરવું યોગ્ય નથી. કેમકે આરંભ કરેલા કાર્યને ઉત્તમ પુરુષો કદી તજતા નથી. તે તમે શું નથી સાંભળ્યું? શું મેં પૂર્વ ભવમાં કોઈ દંપતીના ભોગસુખમાં કાંઈ વિધ્ર કર્યું હશે? અથવા શું કોઈના હાથનું વિઘટન કર્યું હશે કે જેથી હું આપના કરકમળનો સ્પર્શ પણ પામી નહીં?” આ પ્રમાણે વિલાપ કરતી રામતીને તેની સખીઓએ કહ્યું કે હે સખી! તું શા માટે શોક કરે છે? એ કઠોર હૃદયવાળા નેમિ ગયા તો ભલે ગયા, તેનું શું કામ છે? યાદવોમાં પોતાના સ્વરૂપથી કામદેવને પણ જીતનારા બીજા ઘણા કુમારો છે, તેમાંથી કોઈ પણ શું તને પરણશે નહીં?” આ પ્રમાણે સખીઓનાં વચન સાંભળીને રાજીમતી બોલી કે “હે સખીઓ! આવું કુળને કલંક લગાડનારું વચન તમે કેમ બોલો છો? શું કોઈ પણ શાસ્ત્રમાં બીજી વાર કન્યાદાન અપાય એમ કહ્યું છે? માટે નેમિ જ મારા સ્વામી હો. બીજાને હું મનવચનથી ઇચ્છતી નથી.” એમ કહીને તે રાજીમતી કેટલેક કાળે શોકરહિત થઈ, અને જેમ ચક્રવાકી પોતાના પતિના સમાગમની ઉત્કંઠાથી ચંદ્રોદયની રાહ જુએ, તેમ દીક્ષા લેવાની ઉત્કંઠાથી ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાની રાહ જોતી દુઃખથી દિવસો નિર્ગમન કરવા લાગી. અહીં ભગવાને દીક્ષા લીધી, ત્યારે તેમના નાના ભાઈ રથનેમિ રાજીમતીને પરણવાની વાંચ્છાથી તેને નવાં નવાં ભેંટણાં મોકલવા લાગ્યો. તે જોઈ રાજીમતી એમ ઘારતી કે “પોતાના ભાઈના પ્રેમને લીધે આ રથનેમિ મને ભેટો મોકલે છે, માટે મારે તે ગ્રહણ કરવી જોઈએ.” એમ ઘારીને તે ગ્રહણ કરવા લાગી. એક દિવસે વિવાહની ઇચ્છાથી રથનેમિએ રાજીમતીની પ્રાર્થના કરી, એટલે રાજીમતીએ કહ્યું કે “મદનફળ (મીંઢોળ) સુંઘીને તું વમન કર, પછી તે વમન કરેલું ખાઈ જા.” તે બોલ્યો કે “શું હું કૂતરો છું કે વમન કરેલું ખાઉં?” રાજીમતી બોલી કે “ત્યારે તમારા ભાઈએ ત્યાગ કરેલી એવી મને ભોગવવાને શા માટે ઇચ્છા કરો છો? વળી કયો માણસ હસ્તીને છોડીને ગધેડાની ઇચ્છા કરે? અને કયો માણસ રત્નનો અનાદર કરીને કાચના કકડાને ઇચ્છે? હું તો જન્માંતરમાં પણ નેમિનાથે વરને જ ઇચ્છું છું, બીજાને ઇચ્છતી નથી.” ઇત્યાદિ યુક્તિથી સમજાવીને રથનેમિન મનોરથ ભંગ કરી પાછો મોકલ્યો. ૧. ગુજરાતી મિતિ પ્રમાણે ભાદરવા વદ ૦)) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy