SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ વ્યાખ્યાન ૩૦૨] મગ્નતા ગુણ વિશેષાર્થ“પરબ્રહ્મ એટલે જ્ઞાનાદિ આત્મસ્વરૂપમાં મગ્ન થયેલા મનુષ્યને પુદ્ગલ સંબંધી કથા એટલે શરીરાદિકના સુંદર વર્ણ વગેરેની કથા શિથિલ એટલે નષ્ટ થઈ જાય છે, કેમકે તે શરીરાદિક પરવસ્તુ છે, અગ્રાહ્ય છે, અને અભોગ્ય છે, એમ તેને નિર્ધાર થયેલો હોય છે. અર્થાત્ આવા પગલાદિકની કથા પણ જેને કરવા લાયક નથી, તેને પછી તેના પર આગ્રહ તો ક્યાંથી જ થાય? તે કારણથી જ તેને કાંચન એટલે સુવર્ણનો ઉન્માદ જ ક્યાંથી હોય? કેમકે પાપસ્થાનોના નિમિત્તભૂત હોવાથી આત્મગુણરૂપી સંપત્તિવાળા મનુષ્યને સુવર્ણાદિકનું ગ્રહણ કરવાપણું જ હોતું નથી, તેમજ એવા પુરુષને ફાર-દેદીપ્યમાન એવી જે સ્ત્રી તેનો આદર પણ ક્યાંથી જ હોય? ન જ હોય.” અહર્નિશ પુદ્ગલ સંબંધી કથામાં મગ્ન રહેનાર સર્વ સ્થાને ઉન્માદવાળા જ હોય છે. જુઓ! રામચંદ્ર ત્રિકાળમાં પણ અસંભવિત એવો સુવર્ણનો મૃગ જોઈને તેને ગ્રહણ કરવા માટે અનેક પ્રકારના ઉન્માદો કર્યા હતા. ત્યારપછી સ્ત્રીને માટે પણ તેણે ઘણો આદર પ્રગટ કર્યો હતો. અર્થાત્ સીતાનું હરણ થતાં ઘણો ઉન્માદ બતાવ્યો હતો અને તેને પાછી લાવવા પારાવાર પ્રયાસ કર્યો હતો; માટે વ્યથા ઉત્પન્ન કરનારી તે પુગલની કથાને જેણે જ્ઞાનગોચર કરેલી છે તે જ મગ્નતા ગુણયુક્ત કહેવાય છે. આ સંબંધમાં ઉપયોગી સોમવસુનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે સોમવસુની કથા કૌશાંબી નગરીમાં સોમ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે હમેશાં ઘર્મશાસ્ત્ર શ્રવણ કરવામાં પ્રીતિવાળો હતો. એકદા પુરાણમાં તેણે આ પ્રમાણે લોમ ઋષિની કથા સાંભળી કે “કોઈ એક દીર્ઘદર્શી (સૂક્ષ્મ દ્રષ્ટિવાળા) તાપસે બાર હજાર વર્ષ સુધી તપ કર્યું. તે માસક્ષપણને પારણે પાંચ જ ઘેર ભિક્ષા માગતો હતો. જો કદાચ તે પાંચ ઘરમાંથી તેને ભિક્ષા ન મળતી તો ફરીથી માસના ઉપવાસ કરતો, પણ છડ઼ે ઘેર ભિક્ષા માગતો નહીં. એ પ્રમાણે ચાર માસક્ષપણ સુઘી કરતો, અને આહાર મળતો ત્યારે મળેલા આહારના ચાર ભાગ કરીને એક ભાગ જળચરને, બીજો સ્થળચરને અને ત્રીજો ખેચરને આપીને અવશેષ રહેલા ચોથા ભાગને એકવીશ વાર પાણીથી ધોઈને પોતે ખાતો હતો. આવી રીતે તપ કરતાં તે તાપસ મૃત્યુ પામીને ઇન્દ્ર થયો, ત્યાં તેણે સર્વ દેવોને પૂછ્યું કે, “આ સ્વર્ગ કોણે બનાવ્યું છે?” ત્યારે દેવતાઓ બોલ્યા કે, “આ સ્વર્ગ કોઈએ બનાવ્યું નથી. તે તો સ્વયંસિદ્ધ જ છે. તે સાંભળીને તેણે (ઇન્દ્ર) વિચાર્યું કે, “આ સ્વર્ગ જીર્ણ થઈ ગયું છે માટે હું નવું સ્વર્ગ બનાવું.” દેવતાઓએ કહ્યું કે, “નવીન સ્વર્ગ કોઈથી બની શકે જ નહીં.” ઇન્ટે કહ્યું કે, ‘પ્રથમના ઇન્દ્રો નવીન સ્વર્ગ બનાવવામાં અશક્ત હતા, પણ હું તો સમર્થ છું.” ત્યારે દેવો બોલ્યા કે, “હે સ્વામી! તમે પ્રથમ મૃત્યુલોકને જુઓ, પછી તમારી ઘારણા પ્રમાણે કરો.” તે સાંભળીને ઇન્દ્ર મનુષ્યલોક જોવા ગયો. ત્યાં કોઈ એક અરણ્યમાં એક આકડાના વૃક્ષની નીચે લોમ નામના ઋષિને તપસ્યા કરતા જોયા. તે ઋષિને ઇન્ટે પૂછ્યું કે, “હે ઋષિ! તમે મઠ કર્યા વિના તપ કેમ કરી શકો છો?” લોમઋષિ બોલ્યા કે–“જ્યારે ચૌદ ચોકડી જાય છે, ત્યારે મારા શરીરનો એક વાળ ખરે છે. એવી રીતે આ મારા આખા શરીરના સાડાત્રણ કરોડ વાળ ખરી જશે, ત્યારે મારું મૃત્યુ થવાનું છે. ૧. માછલાં વગેરે ૨. પશુઓ ૩. પક્ષીઓ ૪. તેંતાળીશ લાખ અને વિશ હજાર વર્ષની એક ચોકડી કહેવાય છે એમ ટબામાં લખ્યું છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy