SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ હજુ તો મારા મસ્તકના ચાર કેશ પણ પૂરા પડ્યા નથી. એકેક ચોકડી વીશ હજાર વર્ષે થાય છે. તે પ્રમાણે સર્વ રોમ પડશે ત્યારે મારું મૃત્યુ થશે, તેથી આ દેહ અનિત્ય છે. જો આ શરીર શાશ્વત હોત તો તેને માટે મઠ વગેરે કરવાનો મોહ રાખત, પણ તેમ તો નથી.” તે સાંભળી ઇન્દ્ર વિચાર કર્યો કે, “આ ઋષિની પાસે મારું આયુષ્ય તો જળના કણીઆ જેટલું જ છે તો નવીન સ્વર્ગ કરવાનો શો મોહ કરવો?” એમ નિશ્ચય કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો.” આ પ્રમાણે પુરાણની કથા સાંભળીને તે સોમ બ્રાહ્મણે વિચાર્યું કે, “કુળધર્મ તો શ્રેષ્ઠ નથી માટે ઘર્મની પરીક્ષા કરીને જ્ઞાનઘર્મનું આચરણ કરું.” પછી તેણે નાના પ્રકારનાં દર્શનો જોતાં જોતાં કોઈ એક મતના પરિવ્રાજકને ઘર્મ પૂછ્યો કે, “પ્રભુએ ત્રણ પદમાં ઘર્મ કહેલો છે–મીઠું ખાવું, સુખે સૂવું અને પોતાનો આત્મા લોકપ્રિય કરવો. આ ત્રણ પદનો શો અર્થ સમજવો?” પરિવ્રાજકે જવાબ આપ્યો કે, “પ્રથમનું જમેલું જીર્ણ થયા પછી (પચી ગયા પછી) રુચિ પ્રમાણે જમવું તે મીઠું ભોજન, કોમળ શય્યામાં સૂવું તે સુખશયન અને મંત્ર તથા ઔષધિના પ્રયોગથી લોકોમાં પ્રશંસા થાય તેમ કરવું તે લોકપ્રિય થવું.” તે સાંભળીને સોમવસુએ વિચાર્યું કે, “આ સમ્યગુ ઘર્મ નથી, કેમકે આ તો પાપવૃત્તિમય છે.” એમ વિચારીને તેણે તે ત્રણે પદનો અર્થ કોઈ મુનિ પાસે જઈને પૂછ્યું. એટલે મુનિએ જવાબ આપ્યો કે, “જે ભોજન પોતે કર્યું ન હોય, કરાવ્યું ન હોય અને તેના કરનારને અનુમોદન પણ કર્યું ન હોય એવું ભોજન એકાંતરે ખાવામાં આવે તો તે પરમાર્થથી મિષ્ટ કહેવાય છે. કેમકે તે દાતા, દાન ને દેય એમ ત્રણ પ્રકારની શુદ્ધિવાળું હોવાથી દાન કરનાર અને લેનાર બન્નેને સુખકારી છે. વિધિપૂર્વક અલ્પ નિદ્રા લેવી તે સુખશયન કહેવાય છે; અને કોઈ પણ પ્રકારની ઈહા (ઇચ્છા) ન કરવી, એવું મહા નિરીહપણું હોવાથી લોકપ્રિય થવાય છે.” આ પ્રમાણે સાંભળીને સોમવસુએ વિચાર્યું કે, “આ અર્થ માર્ગાનુયાયી અને સમીચીન જણાય છે.” એ પ્રમાણે તત્ત્વજ્ઞાન સાંભળીને તે બ્રાહ્મણ હર્ષ પામ્યો અને પાંચ સમિતિ તથા ત્રણ ગુણિથી યુક્ત એવા તે સાધુએ આચરણ કરેલી ત્રિપદીને જોઈને તથા સાંભળીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. એકદા તે સોમ સાધુ અરણ્યમાં પ્રતિમા ઘારણ કરી ઊભા રહ્યા હતા. તે વખતે ઇન્દ્રિયોના વિષયોને નિવારીને આત્મસ્વરૂપના અવલોકનમાં જ તત્પર થઈ તન્મય ચિત્ત કરીને આત્મસ્વરૂપના જ્ઞાનમાં મગ્ન થયા. કહ્યું છે કે ज्ञानमनस्य यत्सौख्यं, तद्वक्तुं नैव शक्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः॥४॥ ભાવાર્થ-“જ્ઞાનમાં મગ્ન થયેલા મનુષ્યને જે સુખ હોય છે, તે કહેવાને કોઈ સમર્થ નથી. તે સુખને પ્રિયાના આલિંગન સાથે અથવા તો ચંદન રસના વિલેપન સાથે ઉપમા આપી શકાય તેમ નથી.” આત્મસ્વરૂપની ઉપલબ્ધિથી પ્રાપ્ત થયેલું જે સુખ તે વાણીગોચર છે જ નહીં. તે અધ્યાત્મ સુખને બાહ્ય સુખની ઉપમા વડે ઉપમિત કરાય જ નહીં; કેમકે આરોપિત સુખ આત્મજ્ઞાનના સુખની બરાબર થઈ શકે નહીં. કહ્યું છે કે लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो । इक्को नवरिं न लब्भई, जिणवरदेसओ धम्मो ॥१॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy