SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૧ હોય તે. તક્યતિરિક્ત તે મૂઢ, શૂન્ય, જડ હોય છે. ભાવમગ્ન બે પ્રકારે છે, અશુદ્ધ અને શુદ્ધ. તેમાં અશુદ્ધ ભાવમગ્ન એટલે નિરંતર ક્રોધાદિકમાં મગ્ન, વિભાવમાં આત્માને ભાવનારો. શુદ્ધ ભાવમગ્નના બે પ્રકાર છે, તેમાં પ્રથમ સાઘક એટલે આત્મસ્વરૂપને સાઘનાર અને આત્મસ્વરૂપની સન્મુખ રહેલો. નયની અપેક્ષાએ વિચારીએ તો પહેલા ચાર નયની અપેક્ષાએ વિધિ સહિત બાહ્ય સાધનમાં પ્રવૃત્તિ કરનાર અને વસ્તુસ્વરૂપને પ્રગટ કરવાની ઇચ્છાવાળો સાઘક કહેવાય છે; અને શબ્દાદિક ત્રણ નયની અપેક્ષાએ તો સમ્યગદર્શન, જ્ઞાન અને સંયમ વગેરે આત્મસમાધિમાં મગ્ન થયેલો સાઘક કહેવાય છે. બીજો સિદ્ધમગ્ર તે આવરણરહિત સંપૂર્ણ વસ્તુસ્વરૂપમાં મગ્ન થયેલો જાણવો. અહીં જ્ઞાનાદિક આત્મસ્વરૂપમાં મગ્નપણું ગુણાન્વિત જાણવું. પરભાવમાં આસક્ત થયેલામાં ખરું મગ્નપણે જાણવું નહીં. કહ્યું છે કે स्वभावसुखमनस्य, जगत्तत्त्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥१॥ ભાવાર્થ-“જગતના તત્ત્વનું અવલોકન કરનાર સ્વભાવસુખમાં મગ્ન થયેલા અન્ય ભાવોનું કર્તાપણું હોતું નથી, માત્ર સાક્ષીપણું જ અવશેષ રહે છે.” અર્થાત્ સ્વાભાવિક સહજ સુખમાં મગ્ન થયેલા અને લોકના યથાર્થ સ્વરૂપને જાણનારા દર્શનશીલ એવા મનુષ્યોને જ્ઞાનાવરણીયાદિક કર્મોને ઉત્પન્ન કરનાર બાહ્ય પુદ્ગલ સ્કન્ધો લેવામાં અથવા મૂકવામાં કર્તાપણું હોતું નથી, પણ જ્ઞાનપણાના સ્વભાવથી સાક્ષીપણું જ હોય છે. આ ઉપર સૂક્ષ્મ વિચાર કરીએ તો–ક્રિયા કરવામાં જેનું એકાધિપત્યપણું (સ્વતંત્રપણું) હોય તે કર્તા કહેવાય છે. આ કર્તાપણું જીવમાં તેના ગુણોનું જ હોઈ શકે છે. કુંભાર ચક્રાદિક ઉપકરણથી ઘટાદિક પદાર્થો કરે છે તેમ જીવ પણ ચૈતન્યવીર્યરૂપી ઉપકરણથી પોતાના ગુણો ઉત્પન્ન કરી શકે છે. ક્રિયાશૂન્યપણું હોવાથી ઘર્માસ્તિકાયાદિક દ્રવ્યમાં એકાધિપત્ય કર્તાપણું નથી. જીવનું કર્તાપણું પણ પોતાના કાર્ય (આત્મઘમ) સંબંધે છે. કોઈ પણ જીવ જગતનો કર્તા નથી, પરંતુ પોતાના કાર્યના પરિણામ પામતા ગુણોના પર્યાયની પ્રવૃત્તિનો જ કર્તા છે. જો પરભાવોનો કર્તા જીવને માનીએ તો અસત્ આરોપ અને સિદ્ધિ અભાવ વગેરે દૂષણો પ્રાપ્ત થાય છે, માટે જીવ લોકાલોકનો જ્ઞાતા છે પણ પરભાવનો કર્તા નથી, પરંતુ સ્વભાવમાં મૂઢ થઈને અશુદ્ધ પરિણામમાં પ્રવૃત્ત થઈ અશુદ્ધ નિશ્ચયનયે રાગાદિક વિભાવનો અને અશુદ્ધ વ્યવહારનયે જ્ઞાનાવરણીયાદિ કર્મનો કર્તા થાય છે, તેમ છતાં પણ તે જીવ સ્વાભાવિક રુચિવાળો અને અનન્ત અવિનાશી આત્મસ્વરૂપવાળો હોઈને આત્માના પરમાનંદનો જ ભોક્તા છે. તે પરભાવોને કર્તા નથી, પણ જ્ઞાતા (સાક્ષીમાત્ર) છે. આ મમ્રતા ગુણ ઘારણ કરનાર પ્રાણી કેવો હોય છે? તે વિષે પૂર્વપૂજ્ય પુરુષો કહે છે કે परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा । क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ॥१॥ (જ્ઞાનસર) ભાવાર્થ-“પરબ્રહ્મમાં મગ્ન થયેલા મનુષ્યને પુદગલ સંબંઘી કથામાં શિથિલતા (મંદ આદર) હોય છે, તેને પછી આ સુવર્ણના ઉન્માદો ક્યાં? અને દેદીપ્યમાન સ્ત્રીઓનો આદર પણ ક્યાં?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy