SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૨] મગ્નતા ગુણ एवं लग्गंति दुम्मेहा, जे नरा कामलालसा । विरत्ता उ न लग्गंति, जहा सुक्के उ गोलए ॥१॥ ભાવાર્થ-જેમ એક લીલો તથા એક સૂકો એવા માટીના બે ગોળાને ભીંતપર ફેંકીએ, તો આર્દ્ર ગોળો ભીંત સાથે ચોંટી જશે અને સૂકો ગોળો નીચે પડશે, અર્થાત્ તે ચોંટશે નહીં, તેમ જે દુર્બુદ્ધિ માણસો કામની લાલસાવાળા હોય છે તેઓ જ સંસારમાં લીન થાય છે, અને જેઓ તે લાલસાથી વિરક્ત છે તેઓ લીન થતા નથી.’’ ઇત્યાદિ ઉપદેશ સાંભળીને તે વિજયઘોષે સર્વ સંગ તજીને દીક્ષા ગ્રહણ કરી. પછી બન્ને ભાઈઓ અનુક્રમે પૂર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષસુખને પામ્યા. “વાસ્તવિક કલ્પના રહિત અને આત્મગુણ સાધન કરવામાં તત્પર એવી પૂર્ણતા તે જ્ઞાનવૃષ્ટિરૂપ પોતાની જ કાંતિ છે, માટે હે ભવ્ય પ્રાણીઓ! તમે તેને અનુયાયી ચેતના કરો.'' વ્યાખ્યાન ૩૦૨ મગ્નતા ગુણ ૭૧ हित्वाक्षविषयांश्चित्तं, समाधिसौख्यलालसम् । यस्य जातं नमस्तस्मै, मग्नतागुणधारिणे ॥१॥ ભાવાર્થ-‘જેનું ચિત્ત ઇન્દ્રિયોના વિષયોને છોડીને સમાધિસુખનું લાલસ (તલ્લીન) થયું છે, તેવા મગ્નતા ગુણ ઘારણ કરનારને નમસ્કાર છે.’’ મગ્રતા ગુણનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે—આ જીવ અનાદિ કાળથી પુદ્ગલના સ્કન્ધથી ઉત્પન્ન થયેલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ વગેરે વિષયોમાં ભ્રમણ કરતાં કરોડો કલ્પના કરીને ઇષ્ટ વિષયોને ઇચ્છતો સતો વાયુએ ઉપાડેલા પલાશનાં સૂકાં પાંદડાંની જેમ ભટક્યા કરે છે. તે જીવ કોઈ વખત સ્વપરના વિવેકરૂપ ભેદજ્ઞાનને પામીને અનન્ત જ્ઞાન દર્શનના આનંદવાળા આત્મભાવનો સત્તાપણે નિશ્ચય કરીને પછી “આ `વિભાવથી ઉત્પન્ન થયેલું સુખ મારું નહીં, હું તેનો ભોક્તા નહીં, એ તો માત્ર ઉપાધિ જ છે; મેં આજ સુધી આ પરવસ્તુઓમાં મમતા રાખીને તેનો કર્તા, ભોક્તા (ભોગવનાર) અને ગ્રાહક (ગ્રહણ કરનાર) હું છું એમ જે માન્યું હતું તે યોગ્ય નથી. ત્રિકાળજ્ઞ કેવળી ભગવાનના વાક્યરૂપી અંજનવડે જેને સ્વપરનો વિવેક પ્રાસ થયેલો છે, તેને પ૨વસ્તુમાં રમણરૂપ આસ્વાદન યોગ્ય નથી.’’ એવી રીતે વિચાર કરીને આત્માને અનન્ત આનંદમય જાણી ૫રમાત્મસત્તારૂપ સ્વરૂપમાં મગ્ન થાય છે. આવો માણસ મગ્નતા ગુણને ધારણ કરનાર કહેવાય છે. આ મગ્નતા ગુણ નયનિક્ષેપાદિકવડે ઘણા પ્રકારનો છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. ઘન અને મદિરાપાન વગેરેમાં જે મગ્ન હોય તે દ્રવ્યમગ્ન કહેવાય છે. અથવા દ્રવ્યમગ્નના બે પ્રકાર જાણવા. આગમથી મગ્ન અને નોઆગમથી મગ્ન. તેમાં આગમથી મગ્ન એટલે પદાર્થોને જાણે, પણ તેમાં ઉપયોગ વર્તે નહીં તે, અને નોઆગમથી મગ્ન એટલે પૂર્વે કહ્યા પ્રમાણે ધન મદિરાદિકમાં મગ્ન Jain Education ૧ આત્માથી વ્યતિરિક્ત પુદ્ગલાદિક સર્વ વિભાવ કહેવાય છે. only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy