SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ जहा पौमं जले जायं, नो वि लिप्पइ वारिणा । एवं अलित्त कामेहि, तं वयं बंभमाहणं ॥१॥ ભાવાર્થ-જેમ જળમાં ઉત્પન્ન થયેલું કમળ જળથી લેપાતું નથી, તેવી જ રીતે જેઓ કામભોગથી લેપાતા નથી, તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.' વળી– न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो । ન મુ િરવાસે, સીરેખ ન તાવસો રાા ભાવાર્થ-“માત્ર મુંડન કરાવવાથી (લોચ કર્યાથી) કાંઈ સાધુ કહેવાય નહીં, માત્ર ઓંકાર ( ભૂર્ભુવ: સ્વ: રિ ગાયત્રીમંત્રો બોલવાથી બ્રાહ્મણ કહેવાય નહીં, માત્ર અરણ્યમાં રહેવાથી મુનિ કહેવાય નહીં અને માત્ર દર્ભ અથવા વલ્કલનાં વસ્ત્ર ઘારણ કરવાથી તાપસ કહેવાય નહીં.” समयाए समणो होइ, बंभचेरेण बंभणो । __ नाणेण य मुणि होइ, तवेण होइ तावसो ॥३॥ ભાવાર્થ-સમતા ગુણ ઘારણ કરવાથી શ્રમણ (સાધુ) કહેવાય છે, બ્રહ્મચર્ય પાળવાથી બ્રાહ્મણ કહેવાય છે, જ્ઞાનથી મુનિ કહેવાય છે, અને તપ કરવાથી તાપસ કહેવાય છે. વળી– कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तीउ । कम्मुणा वइसो होइ, सुद्दो हवइ कम्मुणा ॥१॥ ભાવાર્થ-કર્મ (ક્રિયાવડે) કરીને જ બ્રાહ્મણ કહેવાય છે, કર્મ કરીને જ ક્ષત્રિય કહેવાય છે, કર્મે કરીને જ વૈશ્ય કહેવાય છે, અને કર્મે કરીને જ શુદ્ર કહેવાય છે.” કર્મે કરીને જ બ્રાહ્મણ કહેવાય છે. તે વિષે કહ્યું છે કે क्षमा दानं तपो ध्यानं, सत्यं शौचं धृतिः क्षमा । ज्ञानं विज्ञानमास्तिक्य-मेतद्ब्राह्मणलक्षणम् ॥१॥ ભાવાર્થ-“ક્ષમા, દાન, તપ, ધ્યાન, સત્ય, શૌચ, ધૃતિ, ક્ષમા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકપણું એ બ્રાહ્મણનાં લક્ષણ છે.” કર્મ કરીને ક્ષત્રિય કહેવાય છે, એટલે ભયથી રક્ષણ કરવારૂપ કર્મો કરીને ક્ષત્રિય કહેવાય છે, કૃષિ તથા પશુપાલન વગેરે કરવાથી વૈશ્ય કહેવાય છે અને કાસદિયું, નોકરી વગેરે કર્મ કરવાથી શુદ્ર કહેવાય છે. આ પ્રમાણે પોતપોતાને યોગ્ય કર્મ ન કરે તો તે બ્રાહ્મણાદિક જાતિથી ને તેવી સંજ્ઞાથી પણ ભ્રષ્ટ થયેલા જાણવા. અહિંસાદિક ગુણોથી યુક્ત એવા શ્રેષ્ઠ બ્રાહ્મણો જ તરવા અને તારવામાં સમર્થ હોય છે.” આ પ્રમાણે તે મુનિનાં ઘર્મવાક્યો સાંભળીને વિજયઘોષ સંશય રહિત થઈ “જરૂર આ મુનિ મારા ભાઈ છે” એમ જાણીને પ્રસન્ન થઈ બોલ્યો કે- “હે મુનિ! તમે જ ખરા વેદને જાણનારા છો, હે યથાસ્થિત વસ્તુતત્ત્વને જાણનાર! તમે જ યજ્ઞના કરનારા છો, ભાવયજ્ઞ કરીને તમે જ પોતાને અને પર તારવાને સમર્થ છો. માટે હે ઉત્તમ ભિક્ષુ! આ ભિક્ષા ગ્રહણ કરીને તમે મારાપર અનુગ્રહ કરો.” મુનિ બોલ્યા કે, “હે બ્રાહ્મણ! મારે ભિક્ષાની કાંઈ જરૂર નથી; પરંતુ જલદીથી તું આ કૃત્યથી નિવૃત્તિ પામી પ્રવ્રજ્યા ગ્રહણ કર. ભયના આવર્તવાળા આ સંસારસાગરમાં ભટક નહીં. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy