SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૧] પૂર્ણતા ગુણ જયઘોષ દ્વિજની કથા ૬૯ વાણારસી નગરીમાં સાથે જન્મેલા જયઘોષ અને વિજયઘોષ નામના બે ભાઈઓ કાશ્યપગોત્રી બ્રાહ્મણો હતા. એકદા જયઘોષ સ્નાન કરવા ગંગાને કિનારે ગયો. ત્યાં મુખમાં શબ્દ કરતા દેડકાને લઈને ખાતો એક સર્પ તેણે જોયો. તે સર્પને પણ એક કુર૨ પક્ષીએ ઉપાડીને ઊંચો ઉડાડી પૃથ્વીપર નાંખી ખાવા માંડ્યો. તે પક્ષીથી ભક્ષણ કરાતાં છતાં પણ તે સર્પ પેલા શબ્દ કરતા દેડકાને તોડીતોડીને ખાતો હતો. આ પ્રમાણે પરસ્પર ભક્ષણ કરતા તે પ્રાણીઓને જોઈને જયઘોષે વિચાર્યું કે, “અહો! સંસારનું સ્વરૂપ કેવું છે?’’ यो हि यस्मै प्रभवति, ग्रसते तं स मीनवत् । न तु गोपयति स्वीयशक्तिं कोऽपि न दीनवत् ॥ १ ॥ ભાવાર્થ-જે જેના કરતાં વધારે સમર્થ છે, તે તેને મત્સ્યની પેઠે ગ્રસન કરે છે. કોઈ પણ પ્રાણી દીનની જેમ પોતાની શક્તિને ગોપવતા નથી.’’ અને कृतान्तस्तु महाशक्तिरिति स ग्रसतेऽखिलम् । તવસારેત્ર સંસારે, જા નામાસ્થા મનીવિગમ્ ॥૨॥ ભાવાર્થ-યમરાજ તો મહાશક્તિમાન છે, તેથી તે સમગ્ર પ્રાણીને ગળી જાય છે; તો આવા અસાર સંસારમાં બુદ્ધિમાન પુરુષોની કેમ આસ્થા હોય? ન જ હોય.’’ પરંતુ આ સંસારમાં માત્ર એક ધર્મ જ યમરાજની શક્તિને કુંઠિત કરવા સમર્થ છે, તેથી હું તેનો જ આશ્રય કરું. આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તે ગંગાનદીને સામે તીરે ગયો. ત્યાં તેણે પૂર્વે કહેલા પૂર્ણતા ગુણથી યુક્ત એવા સાધુઓને જોયા. એટલે તેમની વાણીથી જૈનધર્મનું રહસ્ય જાણીને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વીપર વિહાર કરવા લાગ્યો. અનુક્રમે વિહાર કરતાં તે જયઘોષ મુનિ વાણારસી નગરીના ઉદ્યાનમાં આવ્યા. તે નગરીમાં વિજયઘોષે યજ્ઞ કરવા માંડ્યો હતો, ત્યાં જયઘોષ મુનિ માસક્ષપણને પારણે ભિક્ષા માટે ગયા. તેને યજ્ઞ કરનાર વિજયઘોષે ઓળખ્યા નહીં, તેથી પોતે જ તેને ભિક્ષાનો નિષેધ કરી કહ્યું કે, “હે ભિક્ષુક! તને હું ભિક્ષા આપીશ નહીં. બીજે ઠેકાણે યાચના કર; કેમકે વેદ જાણનાર બ્રાહ્મણો જ યજ્ઞમંડપમાં નિષ્પન્ન થયેલું અન્ન ખાવાને યોગ્ય છે.’’ આ પ્રમાણે તે યાજકે (યજ્ઞ કરનારાએ) નિષેધ કર્યા છતાં પણ તે મુનિ સમતા ઘારણ કરીને ઊભા રહ્યા. પછી અન્નની ઇચ્છાથી નહીં, પણ તેને તા૨વાની બુદ્ધિથી તે બોલ્યા કે, ‘“હે બ્રાહ્મણ! વેદમુખ એટલે વેદમાં મુખ્ય ઘર્મ શો કહ્યો છે? યજ્ઞમુખ એટલે મુખ્ય યજ્ઞ કયો છે? નક્ષત્રમુખ એટલે નક્ષત્રોમાં મુખ્ય કોણ છે? અને ઘર્મમુખ એટલે ધર્મને શરૂ કરનાર કોણ છે? તે તું કાંઈ પણ જાણતો નથી.'' તે સાંભળીને યાજક બોલ્યો કે, ‘“ત્યારે તમે જ તે સર્વ કહો.'' મુનિ બોલ્યા કે, ‘‘વેદમાં અહિંસા ધર્મ જ સર્વ ધર્મમાં મુખ્ય કહેલો છે, સર્વ યજ્ઞોમાં ભાવયજ્ઞ મુખ્ય છે, નક્ષત્રોમાં મુખ્ય ચંદ્રમા છે અને ધર્મમુખ કાશ્યપગોત્રી ઋષભદેવ જ છે. કેમકે તેમણે જ ધર્મનો પ્રથમ ઉપદેશ કરેલો છે અને તેમણે પ્રરૂપેલા ધર્મનું આરાધન કરનારા જ બ્રાહ્મણ કહેવાય છે. તે વિષે શ્રી ઉત્તરાધ્યયનના પચીશમા અઘ્યયનમાં કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy