SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ પ્રગટ થવા રૂપ કળા પ્રત્યક્ષ થાય છે (શોભે છે). કૃષ્ણપક્ષમાં તો અનાદિ ક્ષયોપશમીભૂત ચેતના વીર્યાદિ પરિણામ મિથ્યાત્વ અવિરતિમય હોવાથી સંસારના હેતુભૂત હોય છે તેથી તે શોભતા નથી. આ પૂર્ણતાને સ્વમતિકલ્પનાથી અનેક પ્રકારે કહેલી છે, પરંતુ સ્યાદ્વાદ રીતે તો જે આત્મસ્વરૂપનું સાધન કરવાની અવસ્થા તે જ પૂર્ણતા પ્રશસ્ત છે. પૂર્ણતાના ચાર પ્રકાર છે–નામ પૂર્ણતા, સ્થાપના પૂર્ણતા, દ્રવ્ય પૂર્ણતા અને ભાવ પૂર્ણતા. તેમાં (૧) નામ પૂર્ણ એટલે કોઈ વસ્તુનું નામ માત્ર જ પૂર્ણ હોય તે; જેમકે પૂર્ણપોળી. (૨) કાષ્ઠ અથવા પાષાણાદિકમાં જે પૂર્ણની આકૃતિ કરીએ તે સ્થાપના પૂર્ણ. (૩) દ્રવ્ય પૂર્ણના ઘણા અર્થો થાય છે, તેમાં દ્રવ્યમાં પૂર્ણ-ઘનાઢ્ય માણસ; દ્રવ્યે કરીને પૂર્ણ-જળ વગેરે દ્વવ્યે કરીને પૂર્ણ ઘડો વગેરે; દ્રવ્યથી પૂર્ણ-પોતાના કાર્યથી પૂર્ણ થયેલો; (અહીં દ્રવ્ય એટલે “અર્થ ક્રિયા કરનારું” એવું દ્રવ્યનું લક્ષણ સમજવું), દ્રવ્યોને વિષે પૂર્ણ-ધર્માસ્તિકાય સ્કન્ધ વગેરે. (અહીં ‘અણુવત્રોનો વધ્વં’ ‘જેનામાં ઉપયોગશૂન્યતા હોય તે દ્રવ્ય’ એવું વચન કહેલું છે. જે પૂર્ણપદના અર્થને જાણનાર છતાં ઉપયોગ રહિત હોય તે આગમથી દ્રવ્ય કહેવાય છે, અને જ્ઞશરીર, ભવ્ય શરીર તથા તેથી વ્યતિરિક્ત એ ત્રણ પ્રકારે કરીને નોઆગમથી દ્રવ્ય કહેવાય છે; તેમાં પૂર્ણપદ જાણનાર જીવનું જે શરીર છે તે જ્ઞશરીર કહેવાય છે, પૂર્ણપદને જાણનાર હવે પછી થવાનો હોય એવો જે લઘુ શિષ્યાદિક તે ભવ્ય શરીર કહેવાય છે, તે બન્નેથી વ્યતિરિક્ત એટલે ગુણાદિકની સત્તા વડે પૂર્ણ હોય, તોપણ તેની પ્રવૃત્તિથી રહિત અને કર્મથી આવરણ પામેલું એવું આત્મારૂપી દ્રવ્ય તે તવ્યતિરિક્ત કહેવાય છે. અહીં તેના ભાવ સ્વભાવની વિવક્ષા કરી નથીઃ કેમકે દ્રવ્ય કોઈ પણ વખતે પર્યાય વિનાનું હોતું જ નથી. પરંતુ અહી તો દ્રવ્ય નિક્ષેપાના પ્રતિપાદનને માટે પર્યાય રહિત માત્ર દ્રવ્યની જ વિવક્ષા કરેલી છે. આ પ્રમાણે જીવસમાસાદિક ગ્રંથમાં નિર્ણય કરેલો છે. પૂર્ણતા તો જીવના ગુણરૂપ છે. તે ગુણ ગુણી વિના રહી શકે નહીં. તેથી તેમાં દ્રવ્યનું પ્રાધાન્ય રાખવાથી દ્રવ્યજીવ કહેવાય છે. (૪) ભાવપૂર્ણ એટલે આગમથી પૂર્ણ-પદાર્થના સમગ્ર ઉપયોગ-વાળો અને નોઆગમથી જ્ઞાનાદિ ગુણોવડે સંપૂર્ણ. સંગ્રહનયને આધારે સર્વે જીવો પૂર્ણતા ગુણે કરીને યુક્ત છે. નૈગમનયને આધારે આસન્નસિદ્ધિવાળા ભવ્ય જીવો જેઓ પૂર્ણતા ગુણના અભિલાષી હોય તે પૂર્ણતા ગુણથી યુક્ત કહેવાય છે. વ્યવહાર નયને આધારે પૂર્ણતા ગુણ પ્રાપ્ત કરવા માટે તેનો અભ્યાસ કરનારા જીવો પૂર્ણ છે. ઋજુસૂત્રના મતમાં પૂર્ણતા ગુણનો વર્તમાન સમયમાં વિચાર કરનારા જીવો પૂર્ણ છે. શબ્દનયના મતમાં સમ્યક્દર્શનાદિ સાધક ગુણોના આનંદથી પૂર્ણ થયેલા જીવો પૂર્ણ છે. સમભિરૂઢ નયનો આશ્રય કરીએ તો અરિહન્ત, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિઓ આત્મસ્વભાવના સુખનો આસ્વાદ કરીને સંસારમાં ઉદ્વેગ પામેલા હોવાથી પૂર્ણતા ગુણથી યુક્ત છે; અને એવંભૂત નયને આધારે સિદ્ધના જીવો અનન્ત ગુણવાળા અવ્યાબાધ આનંદથી પૂર્ણ થયેલા હોવાથી પૂર્ણતા ગુણે યુક્ત છે. અહીં ભાવપૂર્ણતા એટલે ત્રિકાળને વિષે પણ પરપુદ્ગલના સંયોગથી ઉત્પન્ન થતા સુખની વાંછાથી રહિત થવું તે, તેનાથી ન્યૂનપણું ન માનવું તે. તેવા પૂર્ણતા ગુણે કરીને યુકત એવા સાધુને જોઈને જયઘોષ નામનો બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયો હતો. તેની કથા આ પ્રમાણે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy