SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૦] વીર્યાચાર ૬૫ હવેલીની છાયામાં વિશ્રાન્તિ લેવા ઊભો રહ્યો. તે વખતે હવેલીના ગોખમાં તે ગૃહની સ્વામિની તિલોત્તમા અપ્સરાના જેવી મનોહર રૂપવતી બેઠી હતી. તેને જોઈને તેણે વિચાર્યું કે,‘અહો! સમગ્ર ત્રૈલોક્યનું સુખ તો આ યુવતીએ જ ખેંચી લીધું છે, પરંતુ આવા સુખનું કારણ માત્ર દ્રવ્ય જ છે; તો હું પણ દ્રવ્યનું ઉપાર્જન કરીને આવું સુખ મેળવી જન્મ સફળ કરું.'' એમ વિચારીને ત્યારથી તેણે ભોજનાદિકમાં કૃપણતા (કસર) કરવા માંડી. કાષ્ઠ વેચતાં જે પૈસા આવે તેમાંથી થોડા ખર્ચે અને વધારે સંગ્રહ કરે. એ પ્રમાણે નિરંતર દ્રવ્ય ઉપાર્જન કરવાના ધ્યાનરૂપી કલ્લોલથી ચપળ મનવાળો તે કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસ અતિ કૃપણતાને લીધે જેનું અંગ અતિ કૃશ થઈ ગયું છે એવો તે ભારવાહક સૂર્યનાં કિરણોના તાપથી આકુળવ્યાકુળ થઈ ગયો, શરીરનાં સર્વ અવયવો પરસેવાના બિંદુઓથી ભીંજાઈ ગયાં, લુહારની ધમણની જેમ શ્વાસોશ્વાસ લેવા લાગ્યો, અને કેડે બે હાથ રાખીને ફરતો ફરતો અરણ્યના એક કૂવા પાસે આવ્યો. ત્યાં વિશ્રામ લેવા માટે કૂવાના થાળામાં સૂઈ ગયો. તત્કાળ નિદ્રા આવી ગઈ. તેમાં તેને સ્વપ્ર આવ્યું. સ્વપ્રમાં તેણે જોયું કે જાણે પોતે મહાન કષ્ટો અનુભવીને દ્રવ્ય મેળવ્યું. તેના વડે વિવાહાદિક કાર્યો કર્યાં, પૂર્વે ગોખમાં બેઠેલી યુવતી જોઈ હતી તેના જેવી સુંદર સ્ત્રી પરણ્યો. તેની સાથે હાવભાવ, કટાક્ષ વગેરે ક્રીડા અનુભવવા લાગ્યો. પરસ્પર પ્રશ્નોત્તરો કરતાં તે સ્ત્રીને કાંઈ રોષ ઉત્પન્ન કર્યો તેથી તે સ્ત્રી વક્ર દૃષ્ટિ કરી બોલી કે,‘‘આવું લક્ષ્ણવાળું વાક્ય કેમ બોલો છો? અહીંથી દૂર જાઓ.'' આ પ્રમાણે કોમળ અને સુંદર વાણી સાંભળીને તે પ્રેમગર્ભિત ચેષ્ટાથી પ્રસન્ન થયો; તેથી બે હાથવડે તેને ગાઢ આલિંગન કરવા તૈયાર થયો, એટલે તે સ્ત્રીએ વિલાસથી જ એક દોરડીવડે તેનાપર પ્રહાર કર્યો. તે જોઈને તે ભારવાહક જરા દૂર ખસ્યો. આમ સ્વપ્રમાં તેનું થાળામાં પડેલું શરીર પણ નિદ્રામાં સાક્ષાત્ ખસ્યું, એટલે તે થાળામાંથી કૂવામાં પડી ગયો. પડતાં પડતાં તેની નિદ્રા જતી રહી, એટલે તે વિચારવા લાગ્યો કે,‘‘અહો! આ શું થયું? મેં શું જોયું? તે સ્ત્રી ક્યાં ગઈ? તેના વિલાસની કેવી છટા! અહો! જેનું નિરંતર ધ્યાન કર્યું હતું તે આજે સ્વપ્નમાં ફળીભૂત થયું; પરંતુ આ તો સ્વપ્નની સ્ત્રીએ પોતાની માયાજાળમાં બાંધીને મને આ અંઘકૂવામાં નાંખી દીધો; તો પછી સાક્ષાત્ સ્ત્રીનો અનુભવ કર્યો હોય, તો તે તો ખરેખર નરકગતિમાં જ નાંખે, તેમાં પ્રાણીઓએ કાંઈ પણ સંદેહ રાખવા જેવું નથી. ,, આ પ્રમાણે કૂવામાં રહ્યો સતો તે વિચાર કરતો હતો. તેવામાં ત્યાં એક રાજા આવી ચડ્યો. તેણે કૂવામાં પડેલા તે માણસને જોઈને તેને બહાર કાઢી પૂછ્યું કે,“તને આ કૂવામાં કોણે નાંખ્યો તે કહે. હું તેને શિક્ષા કરીશ.'' ભારવાહક બોલ્યો કે,“હે સ્વામી! તેની પાસે તમે તો શી ગણતરીમાં છો? ઇન્દ્રાદિક પણ તેને શિક્ષા કરવા સમર્થ નથી, તો પછી બીજાની તો વાત જ શી કરવી!’’ તે સાંભળીને પોતાના બળથી ગર્વ પામેલો તે રાજા ગાજી ઊઠ્યો કે,“અરે! હું પૃથ્વીપતિ છું; તેથી એવી કોઈ પણ વસ્તુ નથી કે જે હું કરી ન શકું.'' ત્યારે તે ભારવાહકે પોતાના સ્વપ્નનું સર્વ વૃત્તાન્ત કહ્યું. તે સાંભળી રાજા પ્રતિબોધ પામી બોલ્યો કે,“તેં સત્ય કહ્યું છે. સ્ત્રીના વિલાસને જીતનાર તો માત્ર મહર્ષિઓ જ છે.’' પછી તે ભારવાહક પૂરેપૂરો પ્રબોઘ પામવાથી તેને પ્રથમ દ્રવ્ય તથા સ્ત્રી ઉપર જેવી આસક્તિ થઈ હતી, તેવી જ હવે સત્ત્વ, રજસ અને તમોગુણથી રહિત એવા નિર્ગુણ માર્ગમાં આસક્તિ થઈ. Jain Education ભાગ ૫-૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy