SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ આ પ્રમાણેનાં અનેક દૃષ્ટાન્નો સાંભળીને તે સુઘર્મા શેઠ પ્રતિબોઘ પામ્યો હતો. તે પોતાના એક મિત્રને હમેશાં ઘર્મકથાઓ કહીને ઉપદેશ આપવા લાગ્યો. પણ તે મિત્ર તીવ્ર મોહ અને અજ્ઞાનસમન્વિત હોવાથી એક ક્ષણમાત્ર પણ જૈન ઘર્મ ઉપર રુચિવાળો થયો નહીં. તેથી વિષાદ પામીને સુધર્મા શ્રેષ્ઠીએ એકલાએ જ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તેણે એકાદશ અંગનો અભ્યાસ કર્યો. એકદા તે મુનિ નગરમાં પ્રવેશ કરતાં કોઈ ઠેકાણે વિવાહ-ઉત્સવ હોવાથી મધુર ગીત, નૃત્ય અને વાજિંત્રના મનોહર નાદ સાંભળીને તથા કામને ઉદીપન કરે તેવાં સુંદર લાવણ્યથી, વસ્ત્રાભૂષણથી અને મનોહર ગીતના આલાપથી કામી જનના મનને વિહ્વળ કરનાર સ્ત્રીઓના સમૂહને જોઈને તત્કાળ પાછા ફર્યા અને અરણ્યના કોઈ વિભાગમાં જઈને લીલાં તૃણ, પર્ણ અને બીજાદિકની વિરાઘના ન થાય તેવી રીતે કોઈ વૃક્ષની નીચે ઈર્યાપથિકી પડિક્કમીને ધ્યાનમગ્ન થયા સતા વિચારવા લાગ્યા કે, “અહો! મારો આત્મા અતિ લોલુપ છે, તેથી જો તે મોહજનક નિમિત્તો જોઈને હું પાછો નિવર્યો ન હોત તો મોટી કર્મવૃદ્ધિ થાત. તે પુરુષોને જ ઘન્ય છે કે જેઓ રંભા અને તિલોત્તમા જેવી યુવતીઓના સમૂહમાં રહ્યા છતાં એક ક્ષણમાત્ર પણ આત્મતત્ત્વની રમણતાને મૂકતા નથી.” આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતાં તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે ઉપરના વૃક્ષ ઉપરથી એક પાંદડું તેમના ચોલપટ્ટ ઉપર પડ્યું. તે જોઈને મુનિએ વિચાર્યું કે, “આ પત્રમાં હું પણ અનેકવાર ઉત્પન્ન થયો હોઈશ; પરંતુ મારો પૂર્વનો મિત્ર કઈ ગતિમાં ગયો હશે?” એમ વિચારીને તેમણે અવધિજ્ઞાનવડે જોયું તો તે જ પત્રમાં પોતાના મિત્રને એકેન્દ્રિયપણે ઉત્પન્ન થયેલો જોયો. તે વખતે મુનિ બોલ્યા કે, “હે મિત્ર! પૂર્વે મેં તને અનેક પ્રકારે વાર્યા છતાં પણ તે મોહની આસક્તિ છોડી નહીં; હવે તો તું મન, વાણી અને બીજી ઇન્દ્રિયો વિનાનો થયો છે; તેથી હવે હું તને શું કહ્યું? તે મનુષ્યભવ નિરર્થક ગુમાવ્યો. અરે રે! પરમાત્માનો કહેલો ઘર્મ તે સમ્યગુ પ્રકારે અંગીકાર કર્યો નહીં.” ઇત્યાદિ ભાવદયા ભાવતાં અનુક્રમે તે મુનિ અનન્તાનંદપણું (મોક્ષ) પામ્યા. વિલાસમાં લાલસાવાળા તે મિત્રને સારી રીતે બોઘ કર્યા છતાં પણ તેણે પોતાનું વીર્ય ગોપવી રાખ્યું, તેથી તે વૃક્ષના પત્રપણાને પામ્યો, અને સુઘર્મા મુનિએ પોતાનું વીર્ય ફોરવ્યું, તો તે આ જ જન્મમાં અવ્યયપદને પામ્યા.” | વિંશતિતમ સંભ સમાપ્ત . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy