SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સ્તિંભ ૨૦ છે. તે અપેક્ષાએ ભવસ્થિતિ અનિયત જાણવી. આ બાબત સિદ્ધાન્તથી પણ વિરુદ્ધ નથી; કેમકે મહાનિશીથાદિ શાસ્ત્રોમાં આપણે સાંભળીએ છીએ કે–સાવદ્યાચાર્ય વગેરેને ભવસ્થિતિ એક જ ભવ બાકી રહેવા રૂપ હતી, પણ ઉત્સુત્ર ભાષણાદિ વડે તેઓની ભવસ્થિતિ અધિક થઈ હતી. કોઈ જીવ ભવસ્થિતિના પ્રતિનિયત સમયે જ મોક્ષની પ્રાપ્તિને યોગ્ય એવું પુણ્ય કરવા શક્તિમાન થાય અને બીજે વખતે તેવું પુણ્ય કરી ન શકે, તે નિયત કાળે જ મોક્ષે જાય, તેની અપેક્ષાએ ભવસ્થિતિ નિયત જાણવી. કેવળજ્ઞાનીએ જે સ્થિતિ કહી હોય તે તો નિયત સ્થિતિ જ જાણવી; કેમકે કેવળજ્ઞાની તો સંપૂર્ણ જ્ઞાનના પ્રભાવથી આ જીવ આ પ્રમાણે પુણ્યાદિ ઉપક્રમ કરશે, અને આ જીવ તેમ નહીં કરે' ઇત્યાદિ દરેક જીવના ઉપક્રમનું સ્વરૂપ જાણીને જ ભવસ્થિતિ કહે છે, જાણ્યા વિના કહેતા નથી; માટે નિયત જાણવી. પણ જો ભવસ્થિતિનું એકાન્ત નિયતપણું જ અંગીકાર કરીએ, તો પ્રાણીને તેવા તેવા પ્રકારનાં દુષ્કર ઘર્મકૃત્યો કરવાનું અને હિંસાદિક પાપવ્યાપારના પરિવારનું નિષ્ફળપણું પ્રાપ્ત થશે, તે કાંઈ યુક્તિયુક્ત નથી. માટે ભવ્ય પ્રાણીઓની ભવસ્થિતિનું નિયતાનિયતપણું સિદ્ધ છે એમ સમજવું; અને તેની સિદ્ધિ થવાથી સર્વત્ર ઘર્મક્રિયામાં પોતાની શક્તિ ફોરવવા રૂપ વીર્યાચારની પણ સફળતા સિદ્ધ થઈ.” તે વિષે સૂત્રમાં કહ્યું છે કે तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्झियव्वय धुवंमि । अणिगूहियबलविरिओ, सव्वत्थामेण उज्जमइ ॥१॥ ભાવાર્થ-“ચાર જ્ઞાનને ઘારણ કરનાર, દેવતાઓથી પૂજિત અને ધ્રુવ (નિશ્ચયે) સિદ્ધિપદને પામનારા એવા તીર્થકરો પણ બળ અને વીર્યને ગોપવ્યા વિના સર્વ સામર્થ્યવડે ઉદ્યમ કરે છે.” इअ जह तेवि हु निच्छिणपायसंसारसायरा वि जिणा । - अप्भुजमंति तो सेसयाण को इत्थ वामोहो ॥२॥ ભાવાર્થ-“આ પ્રમાણે જ્યારે જેમને સંસારસાગર પ્રાયે તરી ગયેલા જેવો જ છે એવા જિનેશ્વરો પણ (શુભ યોગમાં) ઉદ્યમવંત થયા છે, તો પછી બીજાઓને શું વ્યામોહ કરવા જેવું છે?” અર્થાત્ શો વિચાર કરવાનો છે? તેમણે તો અવશ્ય શુભ નિમિત્તમાં મન વચન કાયાનું બળ વીર્ય ફોરવવા યોગ્ય જ છે. અહીં વીર્યના ગોપન તથા અગોપનનું ફળ સુઘર્મ શ્રેષ્ઠીના દૃષ્ટાંત વડે બતાવે છે સુધર્મા શ્રેષ્ઠીની કથા પૃથ્વીપુરમાં સુઘર્મા નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, તેનું અન્તઃકરણ જૈન ઘર્મથી વાસિત હતું. એકદા ગુરુમુખથી વૈરાગ્યની કથા સાંભળતાં તેમાં ભારવાહક વગેરેનાં દ્રષ્ટાન્તો સાંભળીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તે ભારવાહકનું દ્રષ્ટાંત આ પ્રમાણે કોઈ એક ભારવાહક હમેશાં મોટા કષ્ટથી કાષ્ઠ લાવી તે વેચીને આવેલા પૈસામાંથી પોતાનો નિર્વાહ ચલાવતો હતો. એકદા ગ્રીષ્મઋતુમાં મધ્યાહ્ન સમયે તે કાષ્ઠનો ભારો માથે ઉપાડીને વેચવા માટે ગામમાં અટન કરતો હતો. અતિ ભારની પીડાથી માથેથી ભારો ઉતારીને તે કોઈ ગૃહસ્થની ૧. બળ શરીર સંબંધી જાણવું, ૨. વીર્ય મન સંબંધી જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy