SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ વ્યાખ્યાન 3૦૦] વીર્યાચાર अणिगूहिअ बलवीरिओ, परिक्कमइ जो जहुत्तमाउत्तो । जुंजइ अ जहाथाम, नायब्वो वीरिआयारो॥१॥ ભાવાર્થ-“બલ અને વીર્યને ગોપવ્યા સિવાય જે યથોક્ત રીતે જ્ઞાનાદિ આચારનો આશ્રય કરીને અનન્ય ચિત્તે પરાક્રમ કરે છે, અને તે બાહ્યાભંતર પરાક્રમને યોગ્ય સ્થાને જોડે છે એટલે તેનો ઘટિત ઉપયોગ કરે છે તે વિર્યાચાર જાણવો.” અહીં આચાર અને આચારવાળાનો કથંચિત્ અભેદ માનીને તેને વર્યાચાર કહેલો છે. તે મન, વાણી અને કાયાના ભેદે કરીને ત્રણ પ્રકારનો છે. તેના અતિચાર પણ મન, વાણી અને કાયાના વીર્યને ગોપવવારૂપ ત્રણ જ છે. તે વિષે શ્રાવકના એકસો ને ચોવીશ અતિચારોના વર્ણનની ગાથામાં કહ્યું છે કે पण संलेहण पनरस्स कम्मा, नाणाइ अठ्ठ पत्तेयं । बारस तव विरिय तिग, पण सम्मवयाइं अइयारा ॥१॥ ભાવાર્થ-“સંલેખનાના પાંચ અતિચાર છે, કર્માદાનના પંદર છે, જ્ઞાનાદિ (જ્ઞાન, દર્શન, ચારિત્ર) આચારના પ્રત્યેકે આઠ આઠ છે, તપાચારના બાર છે, વીર્યાચારના ત્રણ છે અને સમ્યકત્વ તથા બાર વ્રતના પાંચ પાંચ અતિચાર છે.” એટલે પ+૧૫+૨૪+૧૨+૩+૬૫ મળી ૧૨૪ થાય છે. અહીં કોઈ શંકા કરે કે-“આ બકરીના ગળાના આંચળ જેવા (નકામા) વીર્યાચારને સારી રીતે ઉપયોગમાં લેવાનું શું પ્રયોજન છે? કેમકે ભવ્ય પ્રાણીઓને ભવસ્થિતિનું તો નિયતપણું છે. તેથી જ્યારે જે ભવ્ય પ્રાણી સિદ્ધિમાં જવાનો હશે, ત્યારે તે પ્રાણી વીર્યાચારનો ઉપયોગ કર્યા વિના પણ મોક્ષે જશે.” ગુરુમહારાજ તેનો જવાબ આપે છે કે, “તેં જે અહીં ભવસ્થિતિનું નિયતપણું હેતપણે દર્શાવ્યું, તે યુક્તિવિકળ હોવાથી સત્ય નથી; કેમકે ભવ્ય જીવોની ભવસ્થિતિ એકાન્ત નિયત પણ નથી, તેમ અનિયત પણ નથી, પણ નિયતાનિયત છે. તે શી રીતે? એમ પૂછીશ તો સાંભળ–પુણ્ય પાપને અનુસારે ભવસ્થિતિ ઘટે છે અને વૃદ્ધિ પામે છે. તેથી તેનું અનિયતપણું કહેવાય છે; અને જે જ્યારે મુક્તિ જવાનો છે તે ત્યારે જ મુક્તિ પામશે, એ યુક્તિથી નિયત પણ કહેવાય છે. પરંતુ જો જે જ્યારે મોક્ષે જવાનો છે, તે ત્યારે જ મોક્ષે જશે એવો એકાન્તવાદ સ્વીકારીએ, તો ગોશાળાનો મત પ્રાપ્ત થાય છે. ગોશાળો “જેનું જે જ્યારે થવાનું છે તેનું તે ત્યારે જ થાય છે એવો નિયતિવાદ માને છે, અને તેમ માનવાથી તો પ્રત્યક્ષ મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. કેમકે જિનશાસનમાં કાલાદિક પાંચ કારણો જગતના વિવર્તમાં હેતુરૂપ કહેલાં છે. તેમાંના માત્ર પ્રત્યેકને હેતુ માનેલા નથી, પણ પાંચે મળીને હેતુ રૂપે માનેલાં છે; માટે ભવસ્થિતિને નિયતાનિયત જ માનવી જોઈએ. આ વચન યુક્તિથી વિકળ છે એમ સમજવું નહીં. કેમકે જેમ એક જ વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અવિરોઘ રહે છે, તેમજ એક ભવસ્થિતિમાં કથંચિત્ નિયતપણું અને કથંચિત્ અનિયતપણું પણ રહી શકે છે. અહીં તાત્પર્ય એ છે કે-જીવ પુણ્યાદિક ઉપક્રમ કરવાથી વહેલો પણ મોક્ષ પામે છે, અને જિનાજ્ઞા લોપવાથી તથા મહા પાપો કરવાથી અધિક કાળ સંસારમાં પરિભ્રમણ પણ કરે ૧. વચન અને કાયાનું બળ, ૨. મનનું બળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy