SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ પછી હર્ષવત્ત થઈને તે સર્વ બ્રાહ્મણો બોલ્યા કે, “બાહ્ય સ્નાનાદિક ઘર્મની સ્પૃહાવાળા અમે આપે અંગીકાર કરેલા યજ્ઞાદિકનું તત્ત્વ જાણતા નથી; તેથી પૂછીએ છીએ કે–તમારે યજ્ઞ કરવાના વિધિમાં કયો અગ્નિ છે? તે અગ્નિનું સ્થાન કર્યું છે કે જ્યાં અગ્નિનું સ્થાપન કરાય છે? વૃતાદિક નાંખવા માટે તમારે સરવો કયો છે? અગ્નિને પ્રદીપ્ત કરવા માટે તમારે કારીસ (ભૂંગળી) રૂપ શું છે કે જેનાથી અગ્નિ કુંકાય છે? અગ્નિને સળગાવવા માટે સમિથ (કાષ્ઠ) કયા છે? પાપને ઉપશમન કરવામાં હેતુરૂપ એવી શાંતિને માટે તમારી અધ્યયનપદ્ધતિ કઈ છે? અને કેટલા તેમજ કોના સંબંઘી હોમવિધિથી શાનો હોમ કરો છો? તે સર્વ કૃપા કરીને કહો.” મુનિએ જવાબ આપ્યો કે, “અમારે તપ (આહારમૂછત્યાગ) રૂપ અગ્નિ છે; કેમકે તે કર્મેન્શનને બાળનાર છે. જીવ અગ્નિનું સ્થાન છે; કારણ કે તારૂપી જ્યોતિ (અગ્નિ) તેને આશ્રયે રહે છે. મન, વચન અને કાયાના યોગરૂપ સરવો છે. તેના વડે થતા શુભ વ્યાપાર તે સ્નેહ (વૃત)ને સ્થાને છે. શરીરરૂપ અગ્નિ શમવાનું કારીસ (ભૂંગળી) છે. કર્મરૂપી સમિઘ (કાષ્ઠ) છે અને સંયમ તથા યોગરૂપ શાન્તિ ક્રિયા છે. એવી રીતે મુનિઓને હોમ કરવાનો વિધિ છે. તેવા પ્રકારથી હું પણ હોમ કરું છું.” ફરીને અધ્યાપકે સ્નાનનું સ્વરૂપ પૂછ્યું કે, “તમારે સ્નાન કરવા માટે કયો દ્રહ (ધરો) છે? પાપ ટાળવા માટે અને શાંતિ માટે કર્યું તીર્થ છે? કયું પુણ્યક્ષેત્ર છે? તે તીર્થોનાં કેટલાં સ્વરૂપ છે કે જે સંસારરૂપી સમુદ્રથી તારે છે? શેને વિષે સ્નાન કરીને પવિત્ર થયેલા આપ કર્મમળનો ત્યાગ કરો છો? અમારા જ જેવાં તમારે પણ શુદ્ધિ કરવાનાં દ્રહાદિ જળાશયો (તીર્થો) છે કે કાંઈ જુદાં જ છે? તે અમે જાણતા નથી. માટે હે યક્ષપૂજ્ય મુનિ! તે સર્વ આપની પાસેથી અમે જાણવા ઇચ્છીએ છીએ.” મુનિ બોલ્યા કે, અમારે ઘર્મરૂપી દ્રહ (ઘરો) છે અને બ્રહ્મચર્યરૂપી તીર્થ છે કે જેને વિષે અનાવલિ (સંસારમાં નહીં લપટાયેલો) અને પ્રસન્ન લેશ્યાવાળો આત્મા સ્નાન કરવાથી નિર્મળ, શુદ્ધ અને શીતળ થઈને સર્વ દોષનો ત્યાગ કરે છે.” ઇત્યાદિ મુનિનાં શુભ વાક્યોથી તે બ્રાહ્મણો બોધ પામીને જૈનઘર્મી થયા. મુનિ પણ અન્યત્ર વિહાર કરતા અનુક્રમે કર્મનો ક્ષય કરીને પરમપદને પામ્યા. ખરેખર સૌથી અધિક તપ જ દેખાય છે; કોઈ ઠેકાણે જાતિનું અધિકપણું દેખાતું નથી. જુઓ! હરિકેશી ચાંડાળના પુત્ર હોવા છતાં પણ તપના જ પ્રભાવથી મહાનુભાગ થઈને આવી ઋદ્ધિને પામ્યા.” વ્યાખ્યાન ૩૦૦ વીર્યાચાર बाह्याभ्यन्तरसामर्थ्यानिह्नवेन प्रवर्तनम् । सर्वेषु धर्मकार्येषु, वीर्याचरणमुच्यते ॥१॥ ભાવાર્થ-બાહ્ય તથા અભ્યત્તર સામર્થ્યને ગોપવ્યા વિના તેને સર્વ ઘર્મકાર્યોમાં પ્રવર્તાવવું તે વિર્યાચાર કહેવાય છે.” વાણી અને કાયાને આધીન જે સામ તે બાહ્ય સામર્થ્ય કહેવાય છે, અને મન સંબંધી જે વીર્ય તે અત્યંતર સામર્થ્ય કહેવાય છે. તે બન્નેને અનિદ્વવપણે (ગોપવ્યા વિના) પ્રવર્તાવવું એટલે સર્વ ઘર્મકાર્યમાં વીર્યને ફોરવવું તેને વીર્યાચાર કહે છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy