SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૯] તપની પ્રઘાનતા ૬૧ અંત પ્રાંતાદિ પણ આપત.” યક્ષ બોલ્યો કે, “સમિતિવંત, સમાધિવાળા, ત્રણ ગતિથી ગુપ્ત અને જિતેન્દ્રિય એવા મને જો તમે એષણીય અન્ન નહીં આપો; તો પછી આ યજ્ઞથી તમને શું લાભ મળવાનો છે? કાંઈ પણ લાભ મળશે નહીં.” તે સાંભળીને અધ્યાપકે પોતાના શિષ્યોને કહ્યું કે, “આને લાકડી અને મૂઠી વગેરેથી મારીને કાઢી મૂકો.” તે સાંભળીને સર્વે શિષ્યો એકદમ તેના તરફ દોડ્યા, અને મુનિને દંડાદિકવડે મારવા લાગ્યા. તે વખતે રાજપુત્રી ભદ્રા તેમને અટકાવીને બોલી કે, “હે શિષ્યો! આ મુનિ કદર્થનાને યોગ્ય નથી; કેમકે દેવના વચનથી મને રાજાએ આ મુનિને આપી હતી, તોપણ તેણે મનથી પણ મારી ઇચ્છા કર્યા વિના મને છોડી દીધી છે; તે આ ઋષિ છે, દેવેંદ્ર અને નરેંદ્રને પણ વંદનિક છે. આ મહા યશસ્વી, મોટા પ્રભાવવાળા, મહા દુષ્કર વતઘારી અને ઘોર પરાક્રમવાળા એવા મુનિની તમે હલના કરો નહીં. તેમની હીલના કરવાથી તેમના તપના પ્રભાવવડે તમે ને અમે સર્વે બળીને ભસ્મ થઈ જઈશું, માટે તેવું ન થાય તેમ કરો.” તે સાંભળીને યક્ષે “આ ભદ્રાનું વચન મિથ્યા ન થાઓ” એમ ઘારી સર્વ છાત્રોનું નિવારણ કર્યું. કહ્યું છે કે एयाइं तीसे वयणाइ सोच्चा, पत्तीए भद्दाए सुभासियाई । इसिस्स वेयावडियठ्याए, जक्खा कुमारोवि णिवारयति ॥१॥ ભાવાર્થ-“પોતાના પતિને કહેલાં ભદ્રાનાં આવાં સુભાષિત વચન સાંભળીને મુનિની વૈયાવચ્ચ કરનાર યક્ષે તે શિષ્યોનું નિવારણ કર્યું. કેવી રીતે કર્યું તે કહે છે તરત જ રોષ પામીને યક્ષે આકાશમાં અનેક રૂપો વિફર્વી તે ઉપસર્ગ કરનારા સર્વે છાત્રોને અંગ વિદારતા અને લોહી વમતા કર્યા. તે જોઈ ફરીથી ભદ્રા બોલી કે, “હે છાત્રો! આ મુનિની તમે અવગણના કરો છો તે પર્વતને નખથી ખોદવા જેવું, લોહદંડને દાંતથી ખાવા જેવું અને જાજ્વલ્યમાન અગ્નિને પાદપ્રહાર કરવા જેવું કરો છો, તેમને સામાન્ય ભિક્ષુ માનીને મૂર્ખને યોગ્ય એવું કાર્ય કરો છો તે તમને ઘટતું નથી; માટે જો તમે જીવિતને કે ઘનને ઇચ્છતા હો તો તે મુનિને મસ્તક નમાવીને તેમને શરણે જાઓ.” પછી તે સોમદેવ નામનો યજ્ઞાચાર્ય, જેમનાં નેત્ર અને જિલ્લા બહાર નીકળેલ છે એવા, અને કાષ્ઠ સમાન થઈ ગયેલા તેમજ ઊર્ધ્વ મુખવાળા છાત્રોને જોઈને પોતાની પત્ની ભદ્રા સહિત તે મુનિ પાસે જઈ તેમને સ્તુતિ દ્વારા પ્રસન્ન કરવા માટે કહેવા લાગ્યો કે, “હે ભગવન્! અમારા અપરાઘને ક્ષમા કરો. આ બાળક, મૂર્ખ અને અજ્ઞાની છાત્રોએ આપની હીલના કરી, તેને આપ ક્ષમા કરો; કેમકે મુનિજનો તો ઘણા કૃપાળુ હોય છે; તેઓ કદી પણ કોઈના પર કોપ કરતા નથી.” તે સાંભળી મુનિ બોલ્યા કે, “પ્રથમ, અત્યારે કે હવે પછી મને કિંચિત્ પણ તમારા ઉપર પ્રષ નથી, પણ કોઈ યક્ષ મારું વૈયાવૃત્ય કરે છે, તેણે આ તમારા છાત્રોને પરાભવેલા જણાય છે.” અધ્યાપક બોલ્યા કે, “હે પૂજ્ય! તમે ઘર્મતત્ત્વના જ્ઞાની ક્રોઘ કરો જ નહીં, પણ અમે તો આપના ચરણને શરણે આવ્યા છીએ. માટે આ પુષ્કળ શાલિ વગેરે અન્ન ઇચ્છાનુસાર ગ્રહણ કરો, અને તે વાપરીને અમારા પર અનુગ્રહ કરો.” તે સાંભળીને મુનિએ માસક્ષપણનું પારણું હોવાથી શુદ્ધ અન્નપાન ગ્રહણ કર્યું એટલે પેલા યક્ષે સર્વ છાત્રોને સાજા કર્યા અને પાંચ દિવ્ય પ્રગટ કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy