SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પS શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ મને પ્રહાર કરીને મારો સર્વ પરિવાર લઈ લીધો છે, હું ચૂથથી ભ્રષ્ટ થયેલો અહીં તારી પાસે આવ્યો છું. તને જોઈને મને જાતિસ્મરણ થયું તેથી મેં તને શલ્યથી મુક્ત કર્યો છે. હવે તું પણ મને સહાયભૂત થા કે જેથી મારા શત્રુ વાનરનો હું પરાજય કરું.” તે સાંભળીને હું તે મર્કટની સાથે ગયો. ત્યાં બન્ને મર્કટોનું યુદ્ધ શરૂ થયું. તેમાં મારી સાથેના મર્કટનો પરાજય થયો, ત્યારે તેણે મને કહ્યું કે, તેં મારી સહાયતા કેમ ન કરી?” મેં કહ્યું કે, “તમે બન્ને રૂપ અને વર્ણાદિકે કરીને સમાન દેખાઓ છો, તેથી મારો મિત્ર કોણ અને તેનો શત્રુ કોણ તે હું ઓળખી શક્યો નહીં.” તે સાંભળીને તે મર્કટ નિશાની માટે પોતાના કંઠમાં પુષ્પમાળા નાંખીને ફરીથી યુદ્ધ કરવા ગયો. તે વખતે મેં બીજા વાનરને પથ્થરવડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યો, જેથી તે મૃત્યુ પામ્યો. પછી હું મારા મિત્ર વાનરની રજા લઈને પાછો ચોરની પલ્લીમાં ગયો. ત્યાં મારી ભાર્યા સાથે આલિંગન કરીને સૂતેલા પલ્લીપતિના ભાઈને મેં ખગ્નવડે મારી નાંખ્યો અને બળાત્કારથી મારી સ્ત્રીને લઈને મારે ઘેર આવ્યો; પરંતુ સર્વ પ્રકારનાં દુઃખનો અનુભવ થવાથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી મેં તત્કાળ સંસાર છોડીને ચારિત્ર ગ્રહણ કર્યું. હે મંત્રી! આજે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં તે ભયનું મને સ્મરણ થયું.” તે સાંભળી મંત્રી બોલ્યો કે, “હે મુનિ! આપે તે સ્ત્રીનો સંગ છોડીને ચારિત્ર લીધું તે ઘણું ઉત્તમ કામ કર્યું છે.” પછી ત્રીજે પ્રહરે ઘન્યમુનિ સુસ્થિતમુનિના દેહને પ્રમાર્જવા ગયા. તે પણ તેવી જ રીતે હાર જોઈને “અહો! મોટું ભય ઉત્પન્ન થયું'' એમ બોલતા ઉપાશ્રયમાં આવ્યા, એટલે અભયકુમારે પૂછ્યું કે, “હે પૂજ્ય! વીતરાગના માર્ગમાં રહેલાને અતિ ભય ક્યાંથી હોય?” મુનિ બોલ્યા કે, “પૂર્વે અનુભવેલ ભય યાદ આવ્યો.” મંત્રીએ કહ્યું, “હે સ્વામી! તે વૃત્તાન્ત પ્રકાશિત કરો.” ત્યારે મુનિ કહેવા લાગ્યા કે, “અવન્તિ નગરી સમીપે એક ગામડાના રહીશ કોઈ કુલપુત્ર (કણબી)નો હું ઘનક નામે પુત્ર છું. મારા માતાપિતાએ મને અવન્તિમાં પરણાવ્યો હતો. એકદા હું સાયંકાળને વખતે મારે સાસરે જતો હતો. સંધ્યા સમય થતાં હું અવન્તિ નગરીના સ્મશાને જઈ પહોંચ્યો. ત્યાં એક યુવતીને રોતી સાંભળીને મેં તેને પૂછ્યું કે, “તું કેમ રુએ છે?” તે બોલી કે, “જે માણસ કદી દુઃખ પામ્યો નથી અથવા જે દુઃખ ભાંગવા સમર્થ નથી અથવા જે બીજાનું દુઃખ જાણી દુઃખી થતો નથી તેવા માણસને દુઃખનું વૃત્તાંત કહેવું નહીં અને જે દુઃખ પામ્યો છે, જે દુઃખનો નિગ્રહ કરવા સમર્થ છે અથવા જે પારકા દુઃખે દુઃખી થાય છે તેને દુઃખની વાત કહેવી.” તે સાંભળીને મેં કહ્યું કે, હું તારા દુઃખનું નિવારણ કરીશ.” ત્યારે તે બોલી કે, “આ શૂળી ઉપર ચડાવેલો માણસ મારો સ્વામી છે. તે નિર્દોષ છતાં તેને રાજાએ આવી દશા પમાડી છે. હું રાજપુરુષોથી ભય પામતી “મને કોઈ જાણે નહીં” એમ વિચારીને આ સંધ્યા સમયે મારા સ્વામી માટે ભોજનાદિક લઈને આવી છું, પણ મારું શરીર નાનું હોવાથી હું તેને ભોજન કરાવવા શક્તિમાન થતી નથી, તેથી હું રુદન કરું છું. તે સાંભળીને મેં તેને કહ્યું કે, મારી પીઠપર ચડીને તું તારા પતિને ભોજન કરાવ.” ત્યારે તેણે મને કહ્યું કે, “તારે નીચી દ્રષ્ટિ જ રાખવી, ઊંચું જોવું નહીં; જો ઊંચું જોઈશ તો હું પતિવ્રતા હોવાથી લm પામીશ.” એમ કહીને તે મારી પીઠપર ચડી પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ. થોડી વારે મારા પૃષ્ઠ ઉપર રુધિરનાં બિંદુઓ પડવા લાગ્યાં. તેથી મેં કાંઈક ઊંચી દ્રષ્ટિ કરી જોયું તો છરીવડે તે માણસનું માંસાદિક લેતી અને તેને કાપી કાપીને પાત્રમાં નાંખતી મેં તેને જોઈ. આવા બીભત્સ કર્મને જોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy