SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૮] સુસ્થિત મુનિ વાળું દૃષ્ટાંત (ચાલુ) પ૭ મેં તેને પડતી મૂકી અને ભયથી હું ગામના દરવાજા પાસે આવેલા એક યક્ષના દેરામાં પેઠો. મારી પાછળ જ દોડતી આવતી તેણે મને જોયો; એટલે મારો એક પગ દેરાના ઉંબરાની બહાર અને એક પગ અંદર હતો, તે જ વખતે તેણે બહારના પગ ઉપર તે જ અસિવડે પ્રહાર કર્યો અને તેનાથી કપાયેલો મારો ઉપ્રદેશ લઈને તે નાસી ગઈ. પછી હું દ્વારદેવીની પાસે કરુણ સ્વરે રુદન કરવા લાગ્યો; તેથી દેવીને કરુણા ઉત્પન્ન થઈ; એટલે કોઈ શૂળીએ ચડાવેલા સજીવન માણસને ઉપ્રદેશ કાપી લાવીને મારા પગ સાથે સાંધી તેણે મને સાજો કર્યો. પછી હું રાત્રીને જ વખતે મારા સસરાને ઘેર ગયો, ત્યાં ઘરમાં દીવો બળતો હોવાથી દ્વારના છિદ્રમાંથી ઘરની અંદર શું થાય છે તે હું જોવા લાગ્યો, તો તે જ સ્ત્રીને અને તેની માને મદ્ય માંસ ખાતી મેં જોઈ. તેની માએ તેને પૂછ્યું કે, “અહો પુત્રી! આવું સુંદર તાજું માંસ તું ક્યાંથી લાવી?” તે બોલી “હે માતા! આ માંસ તારા જમાઈનું છે.” એમ કહીને તેણે સર્વ વૃત્તાન્ત કહ્યો. ત્યારે તેની માતા બોલી કે, “એમ કરવું તને યોગ્ય નહોતું.” પુત્રી બોલી કે, “હું શું કરું? તેણે મારા વચન પ્રમાણે કર્યું નહીં, અને ઊંચું જોયું, તેથી મેં તેમ કર્યું. આ પ્રમાણે તે બન્નેની વાતો સાંભળીને હું પાછો ફરી દેવીના ચૈત્યમાં આવ્યો અને ત્યાં રાત્રી નિર્ગમન કરી. પછી કોઈ સાધુ પાસે ઘર્મોપદેશ સાંભળીને મેં દીક્ષા ગ્રહણ કરી. હાલમાં આ સુસ્થિત મુનિની સેવા કરું છું. આજે તે પૂર્વે અનુભવેલો ભય મને સ્મરણમાં આવ્યો.” તે સાંભળીને અભયકુમારે તેમની અતિ પ્રશંસા કરી. હવે ચોથે પ્રહરે જોણક મુનિ પ્રમાર્જન કરવા નિમિત્તે ગયા. તેઓ પણ હાર જોઈને, “મહા ભય ઉત્પન્ન થયો.” એમ બોલ્યા. અભયકુમારે પૂછતાં તે જોણક સાધુ પોતાનું પૂર્વ ચરિત્ર કહેવા લાગ્યા કે, અવન્તિનગરીમાં જોણક નામનો હું સાર્થવાહ હતો. મારી સ્ત્રી ઉપર હું અતિ રાગવાન હતો. એક વખત મારી ભાર્યાએ મને કહ્યું કે, “તમે મને મૃગપુચ્છ લાવી આપો.” મેં કહ્યું કે, હું ક્યાંથી લાવી આપું?” તે બોલી કે, “રાજગૃહી નગરીના રાજાને ઘેર મૃગો છે, ત્યાંથી લાવી આપો.” પછી હું રાજગૃહી નગરીના ઉદ્યાનમાં ગયો, ત્યાં સ્વરૂપવાન વેશ્યાનો સમૂહ છેલ પુરુષોની સાથે ક્રીડા કરતો મેં જોયો, તેમાંથી એક મુગ્ધસેના નામની સુંદર યુવતીને કોઈ વિદ્યારે હરણ કરી. મેં તે વિદ્યાઘરને બાણથી વીંધી નાખ્યો, એટલે તેના હાથમાંથી છૂટીને તે યુવતી સરોવરમાં પડી, તેમાં ઊગેલા કમળો લઈને તે બહાર નીકળી અને મને કમળનું ભેટશું કરી મારી સાથે સ્નેહ કરવા લાગી. ત્યાર પછી તેણે મને આગમનનું કારણ પૂછ્યું, એટલે મેં પણ સ્ત્રીની પ્રેરણાથી કરેલા પ્રયાણનું વૃત્તાન્ત નિવેદન કર્યું. તે વૃત્તાન્ત સાંભળીને તે યુવતીએ મને કહ્યું કે, ખરેખર તમારી સ્ત્રી અસતી જણાય છે. તેણે કપટ કરીને તમને છેતર્યા છે.” તે યુવતીનું આ વાક્ય મને સત્ય લાગ્યું નહીં. મને એવો ભાસ થયો કે, “સ્ત્રીઓ બીજી સ્ત્રીના ગુણ સાંભળીને ખુશી થતી નથી, પણ ઈર્ષ્યાળુ થાય છે. પછી હું તે મુગ્ધસેના વેશ્યાને ઘેર ગયો. તેણે ઘણા ઉપચારોથી મારી સેવા કરી. એક દિવસ તે વેશ્યાએ શ્રેણિક રાજા પાસે નૃત્ય કરવાનો આરંભ કર્યો, તે વખતે હું તેની સાથે ગયો હતો. સર્વ જનોનાં હૃદય નૃત્યમાં લીન થયેલાં જોઈને મેં મૃગપુચ્છ હરણ કર્યું પણ તેના રક્ષકે મને દીઠો એટલે તેણે રાજા પાસે જાહેર કર્યું. તે ગુનાઓમાંથી મને મુગ્ધસેનાએ છોડાવ્યો. અન્યદા તે મુગ્ધસેનાને લઈને હું મારા ગામ તરફ ચાલ્યો અને ગામની બહાર ઉદ્યાનમાં તે વેશ્યાને મૂકીને રાત્રે હું ગુપ્ત રીતે મારે ઘેર ગયો. તે વખતે મારી ભાર્યાને એક જાર પુરુષની સાથે ભોજન કરતી મેં જોઈ. ત્યાર પછી મારી Jain Education International For Mivate & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy