SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પપ વ્યાખ્યાન ૨૯૮] સુસ્થિત મુનિ વાળું દૃષ્ટાંત (ચાલુ) ઉત્પન્ન થયું” એમ બોલ્યા. તે સાંભળીને અભયકુમાર મંત્રીએ પૂછ્યું કે, “હે પૂજ્ય! જેમણે ગૃહકાર્યોનો સર્વથા ત્યાગ કર્યો છે એવા મુનિને મોટું ભય શું?” સાધુ બોલ્યા કે, “પૂર્વે અનુભવેલું ભય સ્મરણમાં આવ્યું.” મંત્રીએ તેનું સ્વરૂપ પૂછ્યું, એટલે સુવ્રત મુનિ બોલ્યા કે, “અંગદેશને વિષે વ્રજ નામના ગામમાં મદદરને પુત્ર હું સુવ્રત નામે હતો. મારે સીરિભટ્ટા નામની પત્ની હતી. એકદા તે ગામમાં ચોરો પેઠા. તેમના ભયથી સર્વ લોકો નાસી ગયા. હું એકાન્ત સ્થળમાં સંતાઈ ગયો. તે વાતથી અજાણી મારી સ્ત્રીએ ચોરોને કહ્યું કે, “તમે સ્ત્રીઓને કેમ હરી જતા નથી?” તેના આવા વાક્યથી ચોરોએ તેનો અભિપ્રાય જાણીને તેનું હરણ કર્યું, અને પોતાના પલ્લી પતિને અર્પણ કરી. પછી મારા સ્વજનો મને વારંવાર કહેવા લાગ્યા કે, “તું વધૂને બંઘનથી કેમ છોડાવતો નથી?” તોપણ હું તેની શોધ કરતો નહોતો. અન્યદા સ્વજનોનો બહુ આગ્રહ થવાથી હું એકલો ચોરની પલ્લીમાં ગુપ્ત રીતે ગયો. ત્યાં એક વૃદ્ધ ડોશીને ઘેર રહ્યો. એક દિવસ મેં તે ડોશીને મારી સ્ત્રીનું હરણ થયેલું જણાવ્યું. તેથી તે વૃદ્ધાએ પલ્લી પતિને ઘેર જઈને તે સ્ત્રીને કહ્યું કે, ‘તારે માટે તારો પતિ અહીં આવ્યો છે. તે સાંભળી સીરિભટ્ટા બોલી કે, “આજે પલ્લીપતિ બહાર જવાનો છે, તેથી તેના ગયા પછી સાંજે મારા પતિને મારી પાસે મોકલજો.” પછી તે વૃદ્ધાના કહેવાથી હું મારી સ્ત્રી પાસે ગયો. તેણે મારું સારી રીતે આસનાદિકથી સન્માન કર્યું. તેવામાં પલ્લીપતિ અપશુકન થવાથી પાછો આવ્યો, તેથી મારી સ્ત્રીએ મને પલંગની નીચે સંતાડી દીઘો. પલ્લીપતિ પણ આવીને તે જ પલંગ ઉપર બેઠો, તેથી હું ભયભીત થયો. પછી મારી સ્ત્રીએ પલ્લી પતિને પૂછ્યું કે, “હે પલ્લીશ! જો કદાચ મારો પતિ અહીં આવે તો તમે મને શું કરો?” તેણે જવાબ આપ્યો કે, “સત્કારપૂર્વક તને તારા પતિને પાછી સોંપી દઉં.' તે સાંભળીને તેણે વક્ર ભૃકુટી કરીને સંજ્ઞા કરી, એટલે તે ફરીથી બોલ્યો કે–“જો હું તારા પતિને જોઉં, તો તેનો વઘ કરું.' એટલે મારી સ્ત્રીએ નેત્રની સંજ્ઞાથી મને દેખાડ્યો કે તેણે તરત જ મારા કેશ પકડીને મને બહાર કાઢ્યો અને લીલી વાઘરથી મને બાંધી લીઘો. પછી પલ્લીપતિ વગેરે સર્વ જનો સૂઈ ગયા. મને બાંધ્યો હતો ત્યાં કેટલાક કૂતરા આવ્યા, તેમણે મારાં સર્વ બંઘન ભક્ષણ કર્યા, તેથી હું બંધનમુક્ત થયો. પછી તે ચોરના જ ખર્ગથી મેં પલ્લીપતિને મારી નાંખ્યો, અને મારી સ્ત્રીના કેશ પકડીને ખેંચી અને કહ્યું કે, જો બૂમ પાડીશ તો હું તારું શિર પણ છેદી નાખીશ.” એટલે તે સ્ત્રી મૌન ઘરી રહી. પછી તેને લઈને હું બહાર નીકળી ચાલવા માંડ્યો. તે મારી સ્ત્રીએ માર્ગમાં કંબલ ફાડીને તેના કકડા નાંખવા માંડ્યા. પ્રાતઃકાળે હું તેની સાથે એક વાંસની જાળમાં વિસામો ખાવા માટે રોકાયો. થોડી વારે મારી સ્ત્રીએ નાંખેલા કંબલના કકડાને અનુસાર તે પલ્લીપતિના અનુચરો આવી પહોંચ્યા, અને મને ખૂબ માર માર્યો. પછી મારા પાંચ અંગોને પાંચ ખીલાથી જડી લઈ મને પૃથ્વી સાથે ચોંટાડી દીઘો. અને મારી ભાર્યાને લઈને તેઓ પાછા ચાલ્યા ગયા. થોડી વારે એક વાર મારી પાસે આવ્યો. તે મને જોઈને મૂછ પામ્યો. કેટલીક વારે સાવધ થઈને તે શલ્યોદ્ધરણી (શલ્યનો ઉદ્ધાર કરનારી) અને સંરોહણી (ઘા રુઝાવનારી) ઔષધિ લઈને મારી પાસે આવ્યો. તેનાથી તેણે મને શલ્ય રહિત કર્યો. પછી મારી સમીપે તેણે અક્ષરો લખ્યા કે–“હું તારા ગામમાં સિદ્ધકર્મા નામનો વૈદ્ય હતો; તે વખતે પણ મેં તને સાજો કર્યો હતો, તે હું મરીને આ વનમાં વાનર થયો છું. આ વનમાં કોઈ એક વાનરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy