SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ તે મૃત્યુ પામીને તે જ ગામમાં વાનર થયો. તેને એકદા દરેક ઘેર ફરતાં ફરતાં પોતાનું ઘર તથા પુત્રાદિકને જોઈને જાતિસ્મરણ થયું. તે જોઈને પુત્રો ઉપરની અનુકંપાથી તેણે “હું તમારો પિતા છું.” એવા અક્ષર પુત્રની પાસે લખ્યા. તે જોઈને તેના સર્વે સ્વજનોએ આશ્ચર્ય પામી વિચાર્યું કે, “અહો! કર્મની ગતિ કેવી વિચિત્ર છે!” પછી તે વાનરે અક્ષર લખ્યા કે, “બાકીનું દ્રવ્ય રાજાએ તમને આપ્યું કે નહીં?” પુત્રો બોલ્યા કે, “નથી આપ્યું.” તે સાંભળીને તેને રાજા ઉપર દ્વેષ ઉત્પન્ન થયો. પછી તે હારની ચોરી કરવા માટે છિદ્ર જોવા લાગ્યો. એકદા ચલણા રાણી સાયંકાળે વાવમાં સ્નાન કરતી હતી, તે વખતે તેણે સર્વ અલંકારો ઉતારીને બહાર મૂક્યાં હતાં, તેમાં તે હાર દેખીને લાગ જોઈ વાનરે તે હાર ગુપ્ત રીતે ઉપાડી લીધો અને પોતાના પુત્રને આપ્યો. રાણી નાહીને અલંકાર પહેરવા લાગી તે વખતે હાર જોયો નહીં, તેથી તે વિલખી થઈ ગઈ. તેણે તે વૃત્તાંત રાજાને કહ્યો. રાજાએ અભયકુમારને બોલાવીને કહ્યું કે, “આ હાર સાત દિવસમાં શોધી લાવ, તે સિવાય તારો જીવવાનો ઉપાય દેખાતો નથી.” પછી અભયકુમાર મંત્રીએ તે હારની નિરંતર શોઘ કરવા માંડી. - હવે તે નગરમાં કોઈ આચાર્યના પાંચ શિષ્યો આવ્યા હતા, તેમનાં શિવ, સુવ્રત, ઘચ, જાણક અને સુસ્થિત એવાં નામ હતાં; તેમાંથી સુસ્થિત મુનિ જિનકલ્પીપણું અંગીકાર કરવાની ઇચ્છાથી તેની પાંચ પ્રકારની ભાવના ભાવતા હતા, (તુલના કરતા હતા) તેનાં નામ આ પ્રમાણે तवेण सत्तेण सुत्तेण, एगत्तएण बलेण य । तुलणा पंचहा वुत्ता, जिणकप्पं पडिवजओ ॥४॥ ભાવાર્થ-જિનકલ્પ પ્રતિપન્ન કરવાને ઇચ્છનાર મુનિને માટે તપ, સત્ત્વ, સૂત્ર, એત્વ અને બળ એ પાંચ પ્રકારની તુલના કહી છે.” પહેલી તપભાવના આ પ્રમાણે છે કે-પ્રથમ તે પોરસી વગેરે તપનો અભ્યાસ કરે છે, તેમાં ગિરિનદીમાં ઊતરતા સિંહની જેમ સુઘાનો વિજય કરવાને માટે ત્રણ ગણું તપ કરવું. જેમ કોઈ પર્વતમાંથી નીકળતી નદી જળથી ભરપૂર હોય, તે નદીને ઊતરતો સિંહ સરલ માર્ગ આવે ત્યાં સુધી વક્ર ગતિએ ચાલે, તેવી જ રીતે એક એક ઉપવાસની વૃદ્ધિ કરતાં કાંઈ પણ હાનિ ન થાય તેમ છે માસના ઉપવાસ કરવા સુધી તપને વૃદ્ધિ પમાડે. બીજી સત્ત્વ ભાવના એ પ્રમાણે છે કે-રાત્રીને વખતે પ્રથમ ઉપાશ્રયમાં રહીને કાયોત્સર્ગ કરતાં સર્પ, ચોર, ગોપાળ તથા ભયંકર સંગ્રામ વગેરેથી ભય પામે નહીં, અને રાત્રીના પહેલા ત્રણ પ્રહર સુથી ધ્યાનમાં જ સ્થિત રહે, બિલકુલ નિદ્રા લે નહીં. તેને કાયોત્સર્ગ કરવાનાં પાંચ સ્થાન છે. તેમાં પ્રથમ ઉપાશ્રયમાં, બીજું ઉપાશ્રય બહાર, ત્રીજું ચૌટામાં, ચોથું શૂન્ય ઘરમાં અને પાંચમું સ્મશાનમાં. આ સ્થાનોમાં ધ્યાનમગ્ન રહેતાં ભયંકર સ્વરૂપવાળા દેવતાઓ બીવડાવે તોપણ કિંચિત્ ભય પામે નહીં; સર્વત્ર નિર્ભય રહે. (આ ભાવનામાં ભય ને નિદ્રાનો જય કરવાનો છે). ત્રીજી સૂત્ર ભાવના એવી રીતે છે કે-નંદીસૂત્ર વગેરે સર્વ શાસ્ત્ર પોતાના નામની જેમ કોઈ પણ વખતે ભૂલે નહીં, કંઠે રાખે અને કાળના પ્રમાણને સૂત્રને આધારે બરાબર જાણે. શ્વાસોચ્છવાસ, પ્રાણ, સ્તોક, મુહૂર્ત તથા પોરસી વગેરે કાળના પ્રમાણને, દિવસે તથા રાત્રીએ મેઘાદિકથી આકાશ છવાયું હોય તોપણ યથાસ્થિત જાણે, તથા પડિલેહણનો કાળ, બે ટંકના પ્રતિક્રમણનો કાળ, ભિક્ષાનો કાળ તથા વિહારાદિકનો કાળ પણ દેહની છાયા ન દેખાતી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy