SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭] તપાચારનો બારમો ભેદ-કાયોત્સર્ગ ૫૩ ત્યારે પણ બરાબર જાણે. ચોથી એકત્વ ભાવના એવી રીતે છે કે જો કે પ્રથમ ગૃહસ્થપણાનું સ્ત્રીઘનાદિક સંબંધી મમત્વ સાધુઓએ છોડી દીધું છે, તોપણ પાછળથી આચાર્યાદિક પદ પ્રાપ્ત થવાથી ગચ્છ વગેરે ઉપર મમત્વ ઉત્પન્ન થાય છે, તેવું મમત્વ ન કરવું, અને દૃષ્ટિપાત, આલાપ, પરસ્પર કુશળ પૃચ્છા અને કથાવ્યતિકર કહેવા વગેરેની જે પ્રથમ પ્રવૃત્તિ હતી, તે સર્વનો ત્યાગ કરવો. છેવટે દેહ અને ઉપથિ આદિકનું મમત્વ પણ તજવું. પાંચમી બળ ભાવના આ પ્રમાણે છે કે તપ પ્રમુખના વશથી જો શરીરનું બળ ક્ષીણ થયું હોય તોપણ ચિત્તના ધૈર્યનો ત્યાગ કરે નહીં. મહા ઘોર પરિષહ ઉત્પન્ન થાય, અથવા બીજાં દુર્બર પ્રાણીઓના ભયજનક ઉપસર્ગો થાય તોપણ પોતાનું ધૈર્ય મૂકે નહીં. આ પ્રમાણે પાંચે ભાવનાથી કાંઈ પણ ક્ષોભ ન પામે તો પછી જિનકલ્પને અંગીકાર કરી શકાય છે. સુસ્થિત મુનિ બીજી સત્વ ભાવનાએ કરીને આત્માને ભાવતા હતા. તેમાં પણ ઉપાશ્રય બહાર રહીને કાયોત્સર્ગ કરવારૂપ બીજા સત્ત્વ યોગની ભાવના કરતા હતા. તે પાંચે મુનિઓ અભયકુમાર મંત્રીની યાનશાળામાં માસકલ્પ રહ્યા હતા. હવે અભયકુમારે ઘણી શોઘ કરી તોપણ હાર મળ્યો નહીં, તેથી “છ દિવસ વીતી ગયા અને સાતમો દિવસ છે, કોણ જાણે કાલે શું થશે?” ઇત્યાદિ વિચારથી તે શોકાતુર થયા સતા “આજે તો સાધુ પાસે જઈને તેમની પર્યપાસના કરું.” એવો વિચાર કરીને ઉપાશ્રયમાં આવી રાત્રિપોસહ લઈ ત્યાં જ રાત્રિ રહ્યા. તે સમયે સુસ્થિત મુનિ પ્રતિક્રમણ કરીને ઉપાશ્રયની બહાર જઈ કાયોત્સર્ગે રહ્યા. અહીં પેલા મણિકારના પુત્રને વિચાર થયો કે, “જો કદાચ રાજાને આ હાર મારી પાસે છે એમ ખબર પડશે, તો આખા કુટુંબ સહિત મારા જીવિતની હાનિ થશે.” પછી તેણે તે હાર વાનરને પાછો આપ્યો. માણસો ઉપર કૃપાવાન વાનર તે હાર બીજે ક્યાંય ન મૂકતાં સાધુના ઉપાશ્રય પાસે આવ્યો, ત્યાં મુનિને ઉપાશ્રયની બહાર એકલા કાયોત્સર્ગે રહેલા જોઈને તે હાર મુનિના કંઠમાં પહેરાવી દીઘો. હવે ઉપાશ્રયમાં રહેલા બીજા ચાર સાઘુઓ એક એક પ્રહરના વારા પ્રમાણે સુસ્થિત મુનિના શરીરને પ્રમાવા (તેની સંભાળ લેવા) આવતા હતા. તેમાં પ્રથમ શિવસાઘુ પહેલે પ્રહરે કાયોત્સર્ગે રહેલા સુસ્થિત મુનિના દેહનું પ્રમાર્જન કરવા માટે આવ્યા, તે વખતે તેમના કંઠમાં દિવ્ય કાંતિવાળો હાર જોઈને તેણે ઘાર્યું કે, “જરૂર જેને માટે અભયમંત્રી ચિંતાતુર છે તે જ આ હાર જણાય છે.” પછી સુસ્થિત મુનિના દેહનું પ્રમાર્જન કરીને પહેલો પ્રહર પૂરો થયે ઉપાશ્રયની અંદર પ્રવેશ કરતાં નિિિદ ને બદલે “અહો! મહાભય પ્રાપ્ત થયું,” એમ શિવસાધુ બોલ્યા. તે સાંભળી અભયે પૂછ્યું કે, “નિર્ભય એવા મુનિઓને ભય ક્યાંથી હોય?” સાઘુએ કહ્યું કે, “પૂર્વે અનુભવેલા ભયનું સ્મરણ થયું.” અભયે કહ્યું કે, “હે પૂજ્ય! હું તે વૃત્તાન્ત જાણવા ઇચ્છું છું.” ત્યારે મુનિ બોલ્યા કે અવન્તિ નગરીમાં સોમ અને શિવદત્ત નામે બે ભાઈઓ રહેતા હતા. તે બન્ને ઘન મેળવવાની ઇચ્છાથી વ્યાપાર કરવા માટે સૌરાષ્ટ્ર દેશમાં ગયા. ત્યાં અનેક પ્રકારના અઘમ તથા કર્માદાનના વ્યાપાર કરીને તેમણે ઘણું દ્રવ્ય મેળવ્યું. પછી પોતાના ઘર તરફ આવવા તૈયાર થયા. તે વખતે સર્વ ઘન એક વાંસળીમાં ભરીને મોટા ભાઈએ તે વાંસળી પોતાની કેડે બાંધી. માર્ગમાં ચાલતાં તેને વિચાર થયો કે, “જો હું નાના ભાઈને મારી નાખું તો આ ઘનનો ભાગીદાર કોઈ રહે નહીં, અને સર્વ ઘન મારા હાથમાં જ રહે.” એમ વિચાર કરતો કરતો તે નાના ભાઈ સહિત ગુન્યવતી નદી પાસે Jain Education International Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy