SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ છે, તેથી શાસ્ત્રના વાક્યથી ભ્રાન્તિ પામ્યો છે. વ્યવહારને નહીં જાણનારાનું એક દ્રષ્ટાંત તને કહું છું તે સાંભળ. હરિસ્થળ નામના ગામમાં ન્યાય, જ્યોતિષ, વ્યાકરણ અને વૈદ્યકશાસ્ત્રમાં કુશળ થયેલા પણ વ્યવહારથી વિકળ ચાર બ્રાહ્મણના પુત્રો પરસ્પર પ્રીતિવાળા હતા. એક દિવસ તે ચારે જણ પોતાપોતાની વિદ્યાથી ગર્વિત થયેલા પરદેશના કૌતુકો જોવા માટે પોતાના ગામથી નીકળ્યા. માર્ગમાં કોઈ ગામ આવ્યું ત્યાં ભોજન માટે રોકાયા. પછી જે નૈયાયિક હતો તેણે ઘી લાવવાનું, જ્યોતિષીએ બળદ ચારવાનું, વૈયાકરણીએ રસોઈ કરવાનું અને વૈધે શાક લાવવાનું કામ માથે લીધું. પછી પોતપોતાના કાર્યમાં ચારે જણા પ્રવૃત્ત થયા. તેમાં તૈયાયિક ઘી લઈને આવતાં માર્ગમાં વિચાર કરવા લાગ્યો કે, “વૃતાધારું પાત્ર પત્રાધાર વૃતિં વા’ ઘીને આધારે પાત્ર છે કે પાત્રને આઘારે ઘી રહ્યું છે? એમ વિચારીને ખાતરી કરવા માટે તે ધૃતપાત્રને ઊંધું વાળ્યું, એટલે તેમાંનું બધું ઘી પૃથ્વી પર પડી ગયું. પછી આગળ ચાલતાં સામેથી હાથી આવતો જોઈને તેણે વિચાર્યું કે, “આ હાથી પ્રાપ્ત (અડકનાર)ને મારે કે અપ્રાપને મારે? જો અપ્રાણને હણે તો તો કોઈ પણ જીવે નહીં, અને તેવી રીતે જોવામાં પણ આવતું નથી. જો કદાચ પ્રાસને હણે તો પ્રથમ તેના મહાવતને હણશે, હું તો અતિ દૂર છું, અને તેને અડકતો પણ નથી.” ઇત્યાદિ વિચાર કરે છે, તેવામાં હાથીએ તેને તત્કાળ સુંઢથી પકડ્યો. હવે બીજો જે જોષી હતો તે બળદ ચારવા ગયો, ત્યાં બળદો લીલો ઘાસ ચરતા ચરતા દૂર નીકળી ગયા. તેથી તેની શોઘને માટે તે જ્યોતિષશાસ્ત્રનું અવલોકન કરવા લાગ્યો કે, “આ મારા બળદો અંઘ નક્ષત્રમાં, કાણ નક્ષત્રમાં, ચીપ્પટ નક્ષત્રમાં કે દિવ્યચક્ષુ નક્ષત્રમાં કયા નક્ષત્રમાં ગયા છે? વળી તેઓ કઈ દિશામાં ગયા છે? અને ચર લગ્નમાં ગયા છે કે સ્થિર લગ્નમાં ગયા છે?” ઇત્યાદિ વિચાર કરવા લાગ્યો, તેટલામાં તો તે બળદો અતિ દૂર નીકળી ગયા. હવે ત્રીજો જે વૈયાકરણી હતો તે રસોઈ કરતો હતો, તેણે ચૂલા પર ખીચડી મૂકી હતી. તેમાં ખદબદ' શબ્દ થવા લાગ્યો. તે સાંભળીને તેણે વિચાર્યું કે, “અહો! આ ખદબદશબ્દ કયા વ્યાકરણમાં કયા સૂત્રથી સિદ્ધ થયો છે?' ઇત્યાદિ વિચાર કરવા લાગ્યો, એટલે ખીચડી દાઝી ગઈ. હવે ચોથો જે વૈદ્ય હતો, તે શાક લેવા ગયો હતો. ત્યાં કેળાં, કેરી, કંકોડા, ભાજી, લીંબુ વગેરે ઘણાં શાક જોઈને તેણે વિચાર્યું કે “આ સર્વ શાક વાત, પિત્ત, કફ, શ્લેષ્મ અને ત્રિદોષ વગેરે મહા વ્યાધિઓને ઉત્પન્ન કરવાના કારણભૂત છે, માટે તે શાક તો લેવાં નહીં. પણ આ લીંબડાનું શાક ઠીક છે, કેમકે વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે निंबो वातहरः कलौ सुरतरुः शाखाप्रशाखाकुलः पित्तघ्नः कृमिनाशनः कफहरो दुर्गन्धनिर्नाशनः । कुष्ठव्याधिविषापहो व्रणहरो द्राक्पाचनः शोधनो बालानां हितकारको विजयते निंबाय तस्मै नमः॥१॥ ભાવાર્થ-શાખા પ્રશાખાએ કરીને યુક્ત એવો આ લીંબડો કલિયુગને વિષે કલ્પવૃક્ષ સમાન વિજય પામે છે, તે વાતનું હરણ કરે છે, પિત્તને હણે છે, કૃમિનો નાશ કરે છે, કફનું હરણ કરે છે, દુર્ગન્ધનો નાશ કરે છે, કુષ્ઠ (કોઢ)ના વ્યાધિનો અને વિષનો નાશ કરે છે. ત્રણ-ચાંદા વગેરેનું હરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy