SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ર૬] તપાચારનો અગિયારમો ભેદ–ધ્યાન ૪૯ કરે (રઝાવે છે, શીધ્ર પાચન કરનાર છે, કોઠાને શુદ્ધ કરે છે, વળી બાળકોને વિશેષે હિત કરનાર છે માટે તે નિંબવૃક્ષને (લીંબડાને) નમસ્કાર છે.” આમ વિચારીને તે વૈદકશાસ્ત્રને આઘારે લીંબડાનું શાક લઈને આવ્યો. આ પ્રમાણે તેઓ શાસ્ત્ર ભણેલા હતા, છતાં લોકવ્યવહારને નહીં જાણવાથી પોતપોતાના કાર્યમાં ભ્રષ્ટતાને પામ્યા. માટે હે દિયર! તું પણ શાસ્ત્રની જડતા છોડીને મારી સાથે ક્રીડા કર, નહીં તો તને મોટો દોષ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે આગ્રહવાળાં ભાભીનાં વચનો સાંભળી વસુભૂતિ વૈરાગ્ય પામી ઘર તજી દઈને યતિ થયો. કહ્યું છે કે अपसर सखे दूरादस्मात् कटाक्षविषानलात् प्रकृतिविषमाद्योषित्सद्विलासलसत्फणात् । इतरफणिना दष्टः शक्यश्चिकित्सितुमौषधै श्चटुलवनिताभोगिग्रस्तं त्यजन्ति हि मंत्रिणः॥१॥ ભાવાર્થ-“હે મિત્ર! જેમાં કટાક્ષરૂપી વિષનો અગ્નિ રહેલો છે, વિલાસરૂપી જેને ઊછળતી ફણા છે, અને જે સ્વભાવથી જ વિષમ છે એવા આ સ્ત્રીરૂપી સર્પથી દૂર ખસી જા; કેમકે બીજા લૌકિક સર્પથી ડસાયેલા માણસની ઔષઘાદિકથી ચિકિત્સા કરી શકાય છે, પણ સ્ત્રીરૂપી ચપળ સર્પથી ગ્રસ્ત થયેલાને તો મંત્રીઓ પણ છોડી દે છે, તેઓ પણ તેની ચિકિત્સા કરી શકતા નથી.” આ પ્રમાણે સ્ત્રીનો સંગ વિષમ જાણીને તે મહાત્મા વસુભૂતિ સર્વથા સ્ત્રીસંગનો ત્યાગ કરીને વિહાર કરવા લાગ્યા. તેની ભાભી પણ તેણે દીક્ષા લીધાના ખબર જાણીને રાગના ઉદયથી આર્તધ્યાને મૃત્યુ પામી કોઈક ગામમાં કૂતરી થઈ. ત્યાં તે વસુભૂતિ મુનિને ગોચરી માટે ફરતા જોઈને પૂર્વરાગના વશથી તે કૂતરી શરીરની છાયાની જેમ તે મુનિની સાથે જ ચાલવા-રહેવા લાગી. સર્વ કાળે અને સર્વ સ્થાને તે કૂતરીને સાથે રહેતી જોઈને લોકો તે મુનિને શુનીપતિ (કૂતરીનો સ્વામી) કહેવા લાગ્યા. આવા લોકવાક્યથી લજ્જા પામીને મુનિ કોઈ પ્રકારે તે કૂતરીની દ્રષ્ટિને ભુલાવી ત્યાંથી જતા રહ્યા. મુનિને નહીં જોવાથી તે કૂતરી આર્તધ્યાનથી મૃત્યુ પામી કોઈ વનમાં વાનરી થઈ. ત્યાં પણ કોઈ વાર વસુભૂતિ મુનિને માર્ગમાં વિચરતા જોઈને કૂતરીની જેમ તેમની પાછળ પડી ને સાથે જ ફરવા લાગી. તેવી રીતે જોઈને લોકો મુનિને વાનરીપતિ કહેવા લાગ્યા. જેમ જેમ લોકો મુનિને વાનરીપતિ કહેતા, તેમ તેમ તે વાનરી અત્યંત હર્ષ પામતી, અને હમેશાં મુનિની પાસે વિષયની ચેષ્ટા કર્યા કરતી. આ સર્વ જોઈને મુનિ વિચારતા કે, “અહો! મારા કર્મની ગહન ગતિ છે!” પછી શુનીની જેમ આ વાનરીને પણ કોઈ પ્રકારે ભુલાવો ખવરાવીને મુનિ જતા રહ્યા, એટલે તે વાનરી પણ આર્તધ્યાનથી મૃત્યુ પામીને કોઈ જળાશયમાં હંસી થઈ. તે જળાશય પાસે તે મુનિ એકદા શીતપરિષહ સહન કરવા માટે પ્રતિમા ઘારણ કરીને ઊભા હતા, તેને જોઈને હંસી કામાતુર થઈ ગઈ, તેથી બે હાથવડે સ્ત્રીની જેમ પાણીથી ભીંજાયેલી બન્ને પાંખોવડે તેણે મુનિને આલિંગન કર્યું, અને વારંવાર કરુણ સ્વરે અવ્યક્ત મધુર અને વિરહ વેદનાવાળી વાણી બોલવા લાગી, મુનિ તો શુભધ્યાનમાં જ મગ્ન રહ્યા અને પછી ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. મુનિને નહીં ૧. સર્પના પક્ષમાં મંત્રી એટલે મંત્ર જાણનાર અને સ્ત્રીના પક્ષમાં મંત્રી એટલે પ્રઘાન વગેરે For Private & Personal Use Only (ભાગ ૫-૪છે. www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy