SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ વ્યાખ્યાન ર૯૬] તપાચારનો અગિયારમો ભેદ-ધ્યાન ભાવાર્થ-અથવા જેમ પવનથી હણાયેલો મેઘસમૂહ એક ક્ષણમાત્રમાં વીંખાઈ જાય છે નાશ પામી જાય છે), તેમ ધ્યાનરૂપી પવનથી હણાયેલો કર્મરૂપી મેઘ ક્ષણ માત્રમાં વેરાઈ જાય છે. હવે પ્રશસ્ત અને અપ્રશસ્ત નિમિત્તો ધ્યાનને અનુસારે જ ફળ આપે છે, તે વિષે કહ્યું છે કે प्रशस्त कारणानि स्युः शुभानि ध्यानयोगतः । अनर्हाण्यपि तान्येव, अनर्हध्यानपुष्टितः॥१॥ अप्रशस्तनिमित्तानि, शुभानि ध्यानशुद्धितः । तद्रूपाणि भवन्त्येव, अशुभास्त्रवस्त्रश्रयात् ॥२॥ ભાવાર્થ-“શુભ ધ્યાનના યોગથી પ્રશસ્ત એવાં કારણો શુભ થાય છે, અને તે જ કારણો અશુભ ધ્યાનની પુષ્ટિથી અશુભ (અયોગ્ય) પણ થાય છે, તેમજ ધ્યાનની શુદ્ધિથી અપ્રશસ્ત નિમિત્તો શુભ થાય છે, અને અશુભ આસ્રવનો આશ્રય કરવાથી તે જ કારણો અશુભ થાય છે.” આ બે શ્લોકોનું તાત્પર્ય એવું છે કે શ્રી જિનેશ્વરના મતમાં જેટલા સુકૃત્યોના પ્રકારો છે તે સર્વે જો કે મુક્તિના હેતુઓ છે, પરંતુ તે સત્કૃત્યો શુભધ્યાનસંયુક્ત હોય તો જ મુક્તિનાં કારણ છે, નહીં તો મુક્તિનાં કારણ નથી. તે ઉપર ઘણા વખત સુધી ચારિત્રનું આરાઘન કરનાર અંગારમર્દક નામના આચાર્યનું દ્રષ્ટાંત સ્વયમેવ જાણી લેવું. અને શુભ ધ્યાન સતે સ્ત્રી ઘનાદિક જે કાંઈ ભવવૃદ્ધિના કારણભૂત છે તે પણ મુક્તિનાં કારણે થાય છે, કહ્યું છે કે अहो! ध्यानस्य माहात्म्यं, येनैकापि हि कामिनी । अनुरागविरागाभ्यां, भवाय च शिवाय च ॥१॥ ભાવાર્થ-“અહો! ધ્યાનનું કેવું માહાભ્ય છે કે જેથી એક જ સ્ત્રી અનુરાગ અને વિરાગે કરીને ભવને માટે તથા મોક્ષને માટે થાય છે. એટલે અનુરાગથી ભવને માટે થાય છે અને વિરાગથી મોક્ષને માટે થાય છે.” સૂત્રમાં પણ કહ્યું છે કે __ जे जित्तिआयहेऊ, भवस्स तेचेव तित्तिआ मुक्खे । गुणगणाईआ लोगा, दुण्हवि पुन्ना भवे तुल्ला ॥१॥ ભાવાર્થ-“જે જેટલા સંસારના હેતુ છે તે જ તેટલા મોક્ષના હેતુ છે; ગુણગણાતીત લોકમાં બન્ને પૂર્ણ છે, અને સરખા જ છે.” આ વગેરે અનેક યુક્તિ કરીને ધ્યાનનું માહાસ્ય શાસ્ત્રમાં વર્ણવ્યું છે. તે સાંભળીને અપ્રશસ્ત અનેક નિમિત્તો મળે તો પણ વસુભૂતિની જેમ શુભ ધ્યાન તજવું નહીં. વસુભૂતિની કથા વસંતપુરમાં શિવભૂતિ અને વસુભૂતિ નામના બે ભાઈઓ હતા. એકદા મોટા ભાઈ શિવભૂતિની સ્ત્રી કમલશ્રીએ કામદેવ જેવા વસુભૂતિ દિયરને જોઈને રાગ ઉત્પન્ન થવાથી ભોગને માટે તેની પાસે યાચના કરી; ત્યારે વસુભૂતિ બોલ્યો કે, “હે મુગ્ધા! મોટા ભાઈની પત્ની માતા સમાન જાણવી” એમ નીતિશાસ્ત્રમાં કહેલું છે.” તે સાંભળીને કમલશ્રી બોલી કે, “હે સ્વામી! મારા અંગમાં વ્યાપેલી કામન્વરની વ્યથા શાંત કર, નહીં તો તને મોટું પાપ લાગશે. તું લોકવ્યવહારથી અજ્ઞાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy