SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ વ્યાખ્યાન ૨૬ તપાચારનો અગિયારમો ભેદ–ધ્યાન હવે ધ્યાન નામના અગિયારમા તપાચાર વિષે કહે છે सिद्धाः सिद्ध्यन्ति सेत्स्यन्ति, यावन्तः केऽपि मानवाः । ध्यानतपोबलेनैव, ते सर्वेऽपि शुभाशयाः॥१॥ ભાવાર્થ-જે કોઈ મનુષ્યો સિદ્ધ થયા છે; સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે તે સર્વે શભાશયવાળા ધ્યાનતપના બળે કરીને જ સિદ્ધિપણું પામે છે એમ જાણવું.” અહીં એવો આશય છે કે નાના પ્રકારનાં દુસ્તપ તપ તપે, તોપણ તે શુભ ધ્યાનથી જ સિદ્ધિને પામે છે; કેમકે મરુદેવી માતા અને ભરતચક્રી વગેરે તપ વિના પણ સિદ્ધિ પામ્યા છે, માટે મોક્ષનું વ્યવઘાન રહિત અવય્ય સાઘન શુભ ધ્યાન જ છે; બીજાં સર્વ સત્કૃત્યો પરંપરાએ કરીને જ મોક્ષનાં સાઘન છે. સર્વ સુક્ષ્યો કરતાં શુભ ધ્યાનનું જ સર્વ પ્રકારે અતિશયપણું છે. કહ્યું છે કે निर्जराकरणे बाह्याच्छ्रेष्ठमाभ्यन्तरं तप । तत्राप्येकातपत्रत्वं, ध्यानस्य मुनयोः जगुः॥१॥ ભાવાર્થ-નિર્જરા કરવામાં બાહ્ય તપ કરતાં અભ્યત્તર તપ શ્રેષ્ઠ છે; તેમાં પણ ધ્યાનતપનું એકછત્રપણું છે. તે તપ “ચક્રવર્તી છે એમ મુનિઓ કહે છે.” ધ્યાનના કાળનું પ્રમાણ આ પ્રમાણે કહ્યું છે– अन्तर्मुहूर्त्तमात्रं यदेकाग्रचित्ततान्वितम् । तळ्यानं चिरकालीनां, कर्मणां क्षयकारणम् ॥१॥ ભાવાર્થ-“અન્તર્મુહૂર્ત માત્ર જે એકાગ્ર ચિત્તપણે તે ધ્યાન કહેવાય છે. તેનું ધ્યાન ઘણા કાળનાં બાંધેલાં કર્મોનો ક્ષય કરવામાં કારણભૂત છે.” આ અર્થને પુષ્ટિ કરનારું સિદ્ધાંતનું વાક્ય પણ છે કે अंतोमुहुत्तमित्तं, चित्तावत्थाणमेगवत्थुमि । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु॥१॥ ભાવાર્થ-એક જ વસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર જે ચિત્તની એકાગ્રતા તે છાપસ્થિકનું (છદ્મસ્થોનું) ધ્યાન છે અને યોગનિરોઘ તે જિનેશ્વરોનું ધ્યાન છે. - આ ધ્યાન ઘણા કાળનાં સંચિત કરેલાં અનન્ત કર્મોનો પણ તત્કાળ ક્ષય કરે છે. તે વિષે ભાષ્યકાર કહે છે કે जह चिअसंचिअमिंधणमणलो य पवण सहिओ दुअं डहइ । तह कम्मिंधणममिअं खणेण झाणाणलो डहइ॥१॥ ભાવાર્થ-“જેમ ચિરકાળનાં એકઠાં કરેલાં કાષ્ઠોને પવનની સાથે રહેલો અગ્નિ તત્કાળ બાળી નાખે છે, તેમ અનન્ત કર્મરૂપી ઇંઘનને એક ક્ષણમાત્રમાં જ ધ્યાનરૂપી અગ્નિ બાળી નાંખે છે.” अहवा घणसंघाया, खणेण पवणाहया विलिज्जंति । झाणपवणावहूआ, तह कम्मघणा विलिज्जंति ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy