SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ વ્યાખ્યાન ૨૯૫] તપાચારનો દશમો ભેદ-સ્વાધ્યાય धाइकम्माइआ, जं दोसा जिणवरेहिं इह भणिया । ડ્રોમ પરત્નોરૂમ, દુWવા નિબંધ હિમુ ારા ભાવાર્થ-“કોઈ બાળકને ખાવાનું આપે, કોઈને ખવરાવે, કોઈને અત્યંગ કરે, ઉવણું કરે, તેમજ ફાસુ જળવડે નવરાવે, ઇત્યાદિ ઘાતૃકર્મ (ઘાવમાતા દ્વારા કરાતાં કાર્ય)થી જે દોષ જિનેશ્વર ભગવંતે કહેલા છે તે આ લોકમાં ને પરલોકમાં દુઃખના નિબંઘનભૂત (કારણભૂત) જાણવા.” આ પ્રમાણે સુભદ્રા સાથ્વીની ચેષ્ટા જોઈને બીજી વૃદ્ધા સાધ્વીઓએ તેને શિખામણ આપી કે,“તને આમ કરવું ઘટતું નથી, સ્વાધ્યાયાદિક ક્રિયામાં તું કેમ પ્રમાદ કરે છે? મુનિઓ તો દ્રવ્ય અને ભાવથી બાળક સાથેની ક્રીડા અથવા તેની ઇચ્છાનો ત્યાગ કરીને નિરન્તર અધ્યાત્મમાં જ આસક્ત હોય છે. તે સાંભળીને સુભદ્રા અતિ કોપ પામીને બીજા ઉપાશ્રયમાં ગઈ, ત્યાં નિરંકુશ થઈને યથેચ્છ રીતે બાળકોની સાથે ક્રીડા કરવા લાગી. છેવટે પાક્ષિક અનશનથી કાળ કરીને પ્રથમ સ્વર્ગમાં દેવીપણે ઉત્પન્ન થઈ. એકદા તે સુભદ્રા દેવી શ્રી મહાવીરસ્વામીને વાંદવા માટે સર્વ સમૃદ્ધિ સહિત આવી, ત્યાં પણ પૂર્વના અભ્યાસથી તેમજ બાળકપરના રાગથી ઘણાં બાળકો વિકર્વીને નાટક કરી તે પોતાના વિમાનમાં ગઈ. તેના ગયા પછી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, “હે ભગવન! આ દેવતાએ ઘણાં બાળકોને શા માટે વિકુવ્યં?” જિનેશ્વરે કહ્યું કે, “હે ગૌતમ! એ બહપત્રિકા નામની દેવી છે. તેણે પૂર્વભવના અભ્યાસના વશથી અહીં પણ બાળકો વિકવ્યાં હતાં, શક્રેન્દ્રની સભામાં પણ તેણે નૃત્ય કરતી વખતે ઘણાં બાળકો વિદુર્થી હતાં, તેથી તે દેવી બહુપુત્રિકા નામથી પ્રસિદ્ધ થઈ છે.” તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો, એટલે સ્વામીએ સર્વ વૃત્તાન્ત કહ્યો. ગૌતમ સ્વામીએ “હવે પછી તે ક્યાં જશે?” એવો પ્રશ્ન કર્યો, ત્યારે પ્રભુ બોલ્યા કે, “એ દેવી ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને વિંધ્યાચળ પર્વતની સમીપે વેભેલ નામના સન્નિવેશમાં સોમા નામે કોઈ બ્રાહ્મણની રૂપવતી પુત્રી થશે, તેને કોઈ રાષ્ટ્રકૂટ નામનો બ્રિજ પરણશે, ત્યાં તેને યુગલ સંતાન ઉત્પન્ન થશે, એમ દર વર્ષે બબ્બે સંતતિ ઉત્પન્ન થતાં સોળ વર્ષમાં બત્રીશ પુત્રપુત્રીનો સમુદાય થશે. બાળકોમાં કોઈ તેની પીઠ ઉપર અને કોઈ માથા ઉપર ચડી જશે, કોઈ પ્રહાર કરશે, કોઈ ખાવાનું માગશે, કોઈ ઉસંગમાં મૂત્રાદિક કરશે, એમ રાત્રીદિવસ પુત્રોનાં દુઃખથી પીડા પામીને ઘણો ઉદ્વેગ પામતી સતી તે મનમાં વિચાર કરશે કે, “મારા કરતાં વંધ્યા સ્ત્રી શ્રેષ્ઠ છે, કે જે સુખે રહે છે અને નિરાંતે નિદ્રા લે છે.” પછી એકદા સાથ્વીના સંઘાડાને પ્રતિલાલતાં તેને જાતિસ્મરણ ઉત્પન્ન થશે; તેથી પોતાના પૂર્વભવ જાણીને તે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરશે. પછી એકાદશ અંગનો અભ્યાસ કરી સર્વજનોની સમક્ષ પોતાના પૂર્વભવનું ચરિત્ર પ્રગટ કરી અંતે એક માસના અનશનથી કાળઘર્મ પામીને બે સાગરોપમના આયુષ્યવાળો દેવ થશે, ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. “સુભદ્રા સાથ્વી સ્વાધ્યાયાદિક ક્રિયામાં પ્રવર્તતાં છતાં પણ બાળકોને જોઈને તેના પરના મોહથી ક્રિયામાં શિથિલ થઈ, તો તેનું ફળ બીજા મનુષ્યભવમાં પામીને પછી તેની આલોચના કરી પ્રાંતે મુક્તિ પામી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy