SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫] તપાચારનો દશમો ભેદ–સ્વાધ્યાય ૪૩ જોઈને તેની સ્ત્રીઓએ મુનિને કલંક ચડાવ્યું કે, “તમે મારા સ્વામીને મૂઠ વગેરે પ્રયોગથી મારી નાંખ્યો.” મુનિએ તેમને ઘણો ઉપદેશ તથા શિખામણ આપી, પણ તે સ્ત્રીઓએ પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં, અને ગામના લોકોને ભેગા કરી મુનિને કલંક આપવા લાગી. મુનિ પણ તે દેવના આગમનની રાહ જોતા ત્યાં જ ઊભા રહ્યા. એટલામાં તે વણકર દેવ પોતાના ગુરુના ઉપકારનું સ્મરણ થતાં તત્કાળ ત્યાં આવ્યો, અને ગામના લોકોને તથા પોતાની સ્ત્રીઓને સર્વ વૃત્તાંત કહીને તેમની શંકા દૂર કરી, ગુરુને નમી તથા સ્તવીને સ્વર્ગે ગયો. (૪) ચોથો અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા એટલે સૂત્રાર્થનો મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં ધ્યાન કરવું તે. કાયોત્સર્ગાદિકમાં અને અસ્વાધ્યાયને દિવસે મુખે પરાવર્તન થઈ શકે નહીં. માટે તે વખતે અનુપ્રેક્ષાવડે જ શ્રુતસ્મૃતિ વગેરે થાય છે. પરાવર્તન કરતાં અનુપ્રેક્ષા અધિક ફળદાયી છે; કેમકે અભ્યાસના વશથી મનનું શૂન્યપણું છતાં પણ મુખવડે પરાવર્તન થઈ શકે છે, અને અનુપ્રેક્ષા તો મન સાવઘાન હોય ત્યારે જ થઈ શકે છે. મંત્રની આરાધના વગેરેમાં સ્મરણ(અનુપ્રેક્ષા)થી જ વિશેષ સિદ્ધિ થાય છે. કહ્યું છે કે संकुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । મૌનનાન્માનસ શ્રેષો, નાપ: જ્ઞાઃ પર પર: કા. ભાવાર્થ-“ઘણા માણસોમાં રહીને જાપ કરવો તે કરતાં એકાંતે કરવો તે શ્રેષ્ઠ છે, તેમાં પણ મુખથી બોલીને કરવા કરતાં મૌન ઘારણ કરીને કરવો તે શ્રેષ્ઠ છે, મૌન જપ કરતાં પણ મનથી જાપ કરવો તે શ્રેષ્ઠ છે. એવી રીતે ઉત્તરોત્તર જપ વખાણવા લાયક છે.” વળી સંલેખના, અનશન વગેરે કરવાથી બહુ ક્ષીણ શરીરવાળા થઈ જવાને લીધે પરાવર્તનાદિક કરવાની શક્તિ જ્યારે રહેતી નથી ત્યારે અનુપ્રેક્ષાએ કરીને જ પ્રતિક્રમણ વગેરે નિત્યક્રિયા થાય છે, અને તેથી જ ઘાતકર્મનો ક્ષય થઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને પ્રાંતે સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. (૫) પાંચમો ઘર્મકથા નામનો સ્વાધ્યાય છે. ઘર્મકથા એટલે ઘર્મનો ઉપદેશ અને સુત્રાર્થની વ્યાખ્યા કરવી તથા સાંભળવી તે. તે ઘર્મકથા નંદિષેણ ઋષિની જેમ કરવી. આ પાંચ પ્રકારના સ્વાધ્યાયે કરીને તપની પૂર્તિ થાય છે. તે વિષે આલોચનાના ગ્રંથમાં કહ્યું છે કે, “એકાસણાનો ભંગ થાય તો પાંચસો નવકાર ગણવા. ઉપવાસનો ભંગ થાય તો બે હજાર નવકાર ગણવા. નીવીનો ભંગ થાય તો છસો ને સડસઠ નવકાર ગણવા. આંબિલનો ભંગ થાય તો એક હજાર નવકાર ગણવા. ચોવિહારનો ભંગ થાય તો એક ઉપવાસ કરવો, તથા હમેશાં એકસો નવકાર ગણવાથી વર્ષે છત્રીશ હજાર નવકારનો સ્વાધ્યાય થાય છે. હમેશાં બસો નવકાર ગણવાથી એક વર્ષે બોંતેર હજાર અને હમેશાં ત્રણસો નવકાર ગણવાથી એક વર્ષે એક લાખ અને આઠ હજાર નવકારનો સ્વાધ્યાય થાય છે. ઇત્યાદિ પોતાની મેળે જાણી લેવું.” આવી રીતના સ્વાધ્યાય તપને જિનેશ્વરે સર્વોત્તમ એટલે સર્વ તપમાં ઉત્તમ તપ કહેલું છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે बारसविहंमि तवे, अम्भितरबाहिरे कुसलदिछे । न वि अत्थिन वि अ होहि, सज्झायसमंतवो कम्मं ॥१॥ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy